1. Home
  2. Tag "Terrorist attacks"

TTPના આતંકવાદી હુમલાથી ડરી ગયેલા પાકિસ્તાને અફઘાનની તાલિબાની સરકાર પાસે માગી મદદ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન વર્ષોથી ભારતમાં આતંક મચાવવા માટે આતંકવાદી સંગઠનો અને આતંકી આક્કાઓને પ્રોત્સહન આપી રહ્યું છે. દુનિયાના મોટાભાગના દેશો હવે પાકિસ્તાનની અસલીયત જાણી ચુક્યાં છે. જેથી હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનને મદદ કરવા માટે કોઈ આગળ આવતું નથી. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે હવે આતંકવાદે પાકિસ્તાનમાં માથુ ઉચક્યું છે. તેમજ તહેરીક-એ-તાલિબાન (પાકિસ્તાન) આતંકવાદી […]

સંસદભવન ઉપર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી

નવી દિલ્હીઃ દેશના સંસદભવન ઉપર થયેલા આતંકવાદી હુમલાની 21મી વરસીએ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહ સહિતના આગેવાનોએ દેશની રક્ષા માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સંસદભવન પર થયેલ આતંકીહુમલાની આજે 21મી વરસી છે. 13 ડિસેમ્બર 2001ના દિવસે પાકિસ્તાનથી આવેલા પાંચ આંતકીઓએ લોકતંત્રના પવિત્ર મંદિર સંસદભવન પર હુમલો […]

તાલિબાનો હવે પાકિસ્તાન માટે ખતરો બન્યાં, આતંકવાદી હુમલામાં 51 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓની સંખ્યામાં 51 ટકાનો વધારો થયાનો સ્થાનિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આમ આતંકવાદ અને તાલિબાનની પડખે ઉભું દેખાતું પાકિસ્તાન હવે પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી છે, તાલિબાન હવે પાકિસ્તાન માટે […]

ગુજરાતઃ અલકાયદાના આતંકવાદી હુમલાની ધમકીને પગલે પોલીસ એલર્ટ

અમદાવાદઃ પૈગંબર મામલે નુપુર શર્માએ કરેલા નિવેદનને પગલે મુસ્લિમોમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન આ મામલે મુસ્લિમ દેશોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ આતંકવાદી સંગઠન અલકાયદા દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આત્મઘાતી હુમલાની ચિમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં આતંકવાદી હુમલાની શકયતાને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારી રાજકુમારે જણાવ્યું હતું કે, […]

સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાની 20મી વરસીઃ શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલી

દિલ્હીઃ ભારતની સંસદ સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની આજે 20મી વરસી છે. આ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદ ભવન પરિસરમાં શહીદોના ફોટાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સંસદની સુરક્ષામાં તૈનાત 9 જવાનો શહીદ થયાં હતા. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદ ભવનમાં વિશેષ આયોજન કરાયું હતું જ્યાં આતંકી હુમલામાં પોતાના પ્રાણોની […]

દેશમાં પુલવામા આતંકવાદી હુમલાથી BJPના સમર્થનમાં ઘટાડો, એક રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ અમેરિકન જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સ (એજેપીએસ)ના રિપોર્ટ અનુસાર 2019માં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ખરાબ અસર ભાજપ ઉપર પડી છે. અભ્યાસમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભાજપના સમર્થનમાં નકારાત્મક અસર પડી છે. જ્યાં પાર્ટી સત્તામાં હતી. પુલવામા હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયાં હતા. જો કે, ભાજપા પ્રવક્તાએ કહ્યું હતું કે, સર્વેના આધારે આવા […]

કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધવા મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

હિન્દુઓ ઉપર હુમલાઓને અટકાવવા સરકાર નિષ્ફળઃ શિવસેના મુખપત્ર સામનામાં ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે અને ઘાટીમાં લઘુમતિ હિન્દુ અને શિખ ધર્મના લોકોની ઘટનાને પગલે કેન્દ્ર સરકાર એકશન મોડમાં આવ્યું છે. આવા બનાવોને પગલે શિવસેનાએ ભાજપને નિશાન બનાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, આપને હિન્દુત્વ […]

જમ્મુ-કાશ્મીરઃ 15મી ઓગસ્ટ સુધી આતંકવાદી હુમલાની શકયતા, મંદિરોમાં સુરક્ષા વધારાઈ

દિલ્હીઃ ભારતીય સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનની ચાંચીયાગીરી વધી છે. જેના પગલે અવાર-નવાર પાકિસ્તાનના ડ્રોન સરહદ ઉપર જોવા મળે છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ડ્રોનની મદદથી હથિયારો અને વિસ્ફોટ સામગ્રી જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા આતંકવાદીઓને પુરી પડાતી હોવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ તા. 5મી ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યાના બે વર્ષ પૂર્ણ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code