વડોદરામાં ભાજપના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરાતો હોય છે. ક્યારેક બેફામ કરાતો વાણી વિલાસ નેતાઓને ભારે પડતો હોય છે. વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં 2 નગરસેવક અને ભાજપ શહેર મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરાયેલા વાણી વિલાસ […]