1. Home
  2. Tag "Tourists"

જામનગરઃ ખીજડીયા પક્ષી અભયારણ્ય બન્યું પ્રવાસીઓનું આકર્ષણ, વિદેશી પક્ષીઓ બન્યાં મહેમાન

જામનગરઃ શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય ફરી એકવાર પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ અભયારણ્યમાં વિશ્વભરમાંથી 300થી વધુ પ્રજાતિના યાયાવર (સ્થળાંતર કરનારા) પક્ષીઓનું આગમન થયું છે. સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપ જેવા દૂર-સુદૂરના દેશોમાંથી આ યાયાવર પક્ષીઓ લાંબો પ્રવાસ ખેડીને ખીજડીયા પહોંચે છે. મીઠા અને ખારા પાણીના […]

સિક્કિમ સરકારે ડોકલામ અને ચો લા સ્થળો ૧૫ ડિસેમ્બર સુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી

સિક્કિમ સરકારે, વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ડોકલામ અને ચો લા સ્થળો આ વર્ષે ૧૫ ડિસેમ્બરસુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે, નાગરિકોને પ્રથમ વખત આ ઉચ્ચ સુરક્ષાવાળા સરહદી વિસ્તારોમાં પ્રવેશવાનીમંજૂરી આપવામાં આવશે. આ સ્થળોનું ઉદ્ઘાટન મૂળ ૨૭ સપ્ટેમ્બરના રોજ સુનિશ્ચિત થયેલહતું, પરંતુ વહીવટી અને લોજિસ્ટિકલ અવરોધોને કારણે આ યોજનામાં વિલંબ થયો હતો. […]

અમદાવાદઃ અટલ બ્રિજની 3 વર્ષમાં 77.71 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો […]

ગુજરાતમાં બહારના પ્રવાસીઓને આકર્ષવા માટે મોબાઈલ એપથી શરાબની પરમિટ મળશે

પરપ્રાંતના પ્રવાસીઓને ફીઝીકલ પ્રક્રિયામાં સમય બગાડવો નહીં પડે, ટ્રાયલ રન સફળ થતાં હવે આવતા મહિનાથી સુવિધા અમલમાં આવશે, બહારના પ્રવાસીઓએ આધારકાર્ડ, ઓળખના દસ્તાવેજો ઓનલાઈન આપવા પડશે અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે શરાબની પરમિટના નિયમોમાં વધુ છૂટછાટ આપવાની વિચારણા ચાલી રહી હોવાનું કહેવાય છે. ગુજરાત બહારના પ્રવાસીઓને દારૂની પરમીટ […]

નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને પરત લાવવા સરકારના પ્રયાસ

નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસા વચ્ચે નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ પ્રતિક્રિયા આપી છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને ઋષિકેશ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા પ્રયાસો કરાય રહ્યા છે. ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર […]

ભારતની આ ગુફાઓ પ્રવાસીઓને આકર્ષે છે, ઈતિહાસ સાથે સંબંધ

ભારતમાં તાજમહેલ, લાલ કિલ્લો, હવા મહેલ અને કુતુબ મિનાર જેવી ઘણી ઐતિહાસિક ઇમારતો છે, જે મુઘલો, રાજપૂતો અને અન્ય શાસકો દ્વારા બનાવવામાં આવી હતી. આ તેમના નિવાસસ્થાન તરીકે અથવા કોઈ ખાસ હેતુ માટે બનાવવામાં આવ્યા હતા. આજે આ બધી ઐતિહાસિક અને સુંદર જગ્યાઓ એક મહાન પર્યટન સ્થળ છે. આ સાથે, ભારતમાં કેટલીક ગુફાઓ પણ પ્રવાસીઓને […]

છોટાઉદેપુર: કવાંટમાં પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્યનું અનોખું આકર્ષણ

સુરતઃ કુદરતી સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનો નર્મદા નદીનો કાંઠા વિસ્તાર હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાત એમ ત્રણ રાજ્યોની સરહદોના ત્રિવેણી સંગમ પર આવેલા તુરખેડા, ધારસિમેલ અને ખોખરાના ધોધ અને આસપાસની પર્વતમાળાઓનું કુદરતી સૌંદર્ય ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસાએ પ્રાણ પૂર્યા કુદરતી સૌંદર્યમાં ચોમાસાની ઋતુમાં […]

ભારતમાં આ ચાર સ્થળ પર બનેલા છે ગ્લાસબ્રિજ, પ્રવાસીઓને મળશે રોમાંચક અનુભવ

જો આપણે ભારતના કુદરતી સૌંદર્યની વાત કરીએ તો, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી, અદ્ભુત અને સુંદર સ્થળો છે જે મનને મોહિત કરે છે. આપણા દેશમાં, ઐતિહાસિક કિલ્લાઓ અને મહેલોથી લઈને સમુદ્રના ઉંચા ઉછળતા મોજાઓના રોમાંચ, પર્વતોની સુંદરતા અને શાંતિથી લઈને અદ્ભુત સ્થાપત્ય કાર્ય સુધીની દરેક વસ્તુનું ચિત્રણ કરતી રચનાઓ છે, જેમાંથી એક ગ્લાસ બ્રિજ […]

ઉત્તરપ્રદેશમાં ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 65 કરોડથી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ તેના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને કારણે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. ગયા વર્ષે, 65 કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી હતી. ધાર્મિક પર્યટનને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી રોજગાર અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યામાં ભવ્ય […]

સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનતા પ્રવાસીઓ વધવાની સાથે રોજગારીની તકો વધશે

નવી દિલ્હીઃ કેદારનાથના દર્શને જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારે રોપવેની યોજનાને મંજૂરી આપી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે. આ સુવિધા વધવાથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. જેથી સ્થાનિક રોજગારીની પણ નવો તકો ઉભી થશે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ જનારા લોકો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code