1. Home
  2. Tag "un"

ભારત-યમન સંબંધો પર યુએનએસસીમાં ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું: યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપવા અમે જરૂરી પગલાં લઇ રહ્યાં છીએ.

ન્યૂયોર્ક:  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે મંગળવારે યમનને માનવીય સહાય માટે ભારતની મદદ વિષે જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, યમનમાં હાલ ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઈને, યમનમાં ખાદ્ય સુરક્ષા માટે, નવી દિલ્હીએ યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં, યમન વિષે તેમણે કહ્યું,” ‘ભારતે દેશમાં ઘઉંની નિકાસને […]

UN સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે બ્રિટન બાદ હવે ફ્રાન્સનું પણ સમર્થન

UNમાં ભારતના કાયમી સભ્યપદ માટે બ્રિટન બાદ હવે ફ્રાન્સનું પણ સમર્થન ભારતને ણળી શકે છે કાયમી સદસ્યતા દિલ્હીઃ-  વિતેલા દિવસને શુક્રવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ માટે યુનાઇટેડ કિંગડમ બાદ હવે ભારતને ફ્રાન્સનું  પણ સમર્થન મળી ચૂક્યું છે. ભારતની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સામે ફ્રાન્સે ભારત, જર્મની, બ્રાઝિલ અને જાપાનને સુરક્ષા પરિષદમાં કાયમી […]

આતંકવાદના મુદ્દે એસ.જયશંકરે પાકિસ્તાન અને ચીનની સાથે યુએનને આડેહાથ લીધું

મુંબઈઃ આતંકવાદ વિરોધી સમિતિની યુએનએસસીની વિશેષ બેઠક દરમિયાન, વિદેશ પ્રધાન એસ જયશંકરે આતંકવાદ મુદ્દે ચીન, પાકિસ્તાન તેમજ સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરી હતી. જયશંકરે યુએન પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, જ્યારે આતંકવાદને કાબૂમાં લેવાની વાત આવે છે ત્યારે તે રાજકીય કારણોસર કાર્યવાહી કરવામાં અસમર્થ છે. જયશંકરે હાફિઝ સઈદના પુત્રને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના માર્ગમાં […]

UNમાં હિન્દીને સત્તાવાર રીતે ભાષા તરીકે સામેલ કરવાના મોદી સરકારના પ્રયાસ

નવી દિલ્હી: ફિજીના નાડીમાં આગામી વિશ્વ હિન્દી પરિષદ 15-17 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ પ્રસંગે 12મી વિશ્વ હિન્દી કોન્ફરન્સના માસ્કોટ અને વેબસાઈટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવાના પ્રયાસો ચાલુ છે. થોડી પ્રગતિ થઈ છે, પરંતુ તેમાં સમય લાગશે. જયશંકરની […]

26/11 હુમલા અંગે ભારતે UNની આતંકવાદી વિરોધી સમિતિ સમક્ષ પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની આગામી ચૌદમી વર્ષગાંઠ છે. જો કે, તે પહેલા, મુંબઈ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાનનું જૂઠ આજે ફરી એકવાર યુએનની આતંકવાદ વિરોધી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. મુંબઈની તાજ હોટલમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ 2008ના મુંબઈ આતંકી હુમલામાં પાકિસ્તાની કનેક્શનનો ખુલાસો […]

આતંકવાદ સામેની ભારતની લડાઈમાં ચીન ઉભુ કરી રહ્યું છે અડચણ

નવી દિલ્હીઃ ચીને ફરી એકવાર આતંકવાદને કાબૂમાં લેવાના ભારતના પ્રયાસોમાં અડચણ ઉભી કરવાના પ્રયાસ કર્યાં છે. પાકિસ્તાની આતંકવાદી હાફિઝ તલ્હા સઈદને યુએનમાંથી બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવને ચીને વીટો કરી દીધો છે. સુરક્ષા પરિષદમાં છેલ્લા 6 મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે ચીને આ રીતે ઠરાવ પડતો મૂક્યો છે. વર્ષો સુધી સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનું સમર્થન મેળવ્યા બાદ […]

ચીનનો આતંકી ચહેરો ફરી સામે આવ્યો, હાફિઝ સૈયદ બાદ તેના પુત્રનો પણ સંયુક્ત રાષ્ટ્રસભામાં બચાવ કર્યો

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત પાકિસ્તાનનું પરમ મિત્ર ચીન પણ પાકિસ્તાનના આતંકવાદીઓને આડકતરી રીતે સમર્થન કરી રહ્યું છે. અગાઉ મુંબઈ આતંકવાદી હુમલાના માસ્કરમાઈન્ડ હાફિસ સઈદને સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં ચીને અટચણ ઉભી કરી હતી. હવે હાફિસ સઈદના પુત્ર હાફિઝ તલાહ સઈદને બ્લેકલિસ્ટ કરવાના ભારત અને પાકિસ્તાનના પ્રસ્તાવને […]

રશિયાએ ભારત સાથેની મિત્રતા નિભાવી, UNમાં કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી મજબુત સંબંધ રહ્યાં છે, યુક્રેન અને રશિયાના યુદ્ધમાં અમેરિકા સહિતના મોટાભાગના દેશોએ રશિયા સામે નારાજગી વ્યક્ત કરીને અનેક નિયંત્રણો લાદ્યાં છે. જો કે, ભારતે અહિંસાનો માર્ગ નહીં અપનાવીને બંને દેશોને શાંતિથી ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનેકવાર વિનંતી કરી છે. દરમિયાન રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવે ભારતને સંયુક્ત […]

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન એ ભારતને યુએનમાં સ્થાયી સભ્ય બનાવવા માટે આપ્યું સમર્થન

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડનનું નિવેદન યુએનમાં કાયમી સભ્ય બનવા ભારતને સમર્થન આપ્યું દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન આપ્યું છે. ભારતની સાથોસાથ અમેરિકી રાષ્ટ્રપતિએ પણ જર્મની, જાપાનને યુએનના કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કર્યું છે. આ પહેલા પણ અમેરિકા ભારતને કાયમી સભ્ય બનાવવા માટે પોતાનું સમર્થન આપી ચૂક્યું છે. […]

ગુજરાતના ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામાવેશ કરાશે

ભારતે ગુજરાતના પ્રખ્યાત પરંપરાગત નૃત્ય ‘ગરબા’ને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ માટે નામાંકિત કર્યા છે. એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી વર્ષના ચક્ર માટે નવીનતમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસો વિભાગના સચિવ ટિમ કર્ટિસે ગયા ડિસેમ્બરમાં કોલકાતાના ‘દુર્ગા પૂજા ઉત્સવ’ને અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે ચિહ્નિત કરવા માટે દિલ્હીના રાષ્ટ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code