ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો
નવી દિલ્હી: ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે, જે વૈશ્વિક ઘટાડાના 61 ટકાને વટાવી ગયો છે.સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનાં બાળ મૃત્યુદર અંદાજ, 2024નાં અહેવાલ અનુસાર, નવજાત મૃત્યુદરમાં પણ 70 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે 54 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રસીના વ્યાપમાં વધારો […]