1. Home
  2. Tag "United nations"

ઈરાન યુદ્ધ રોકવા એન્ટોનિયો ગુટેરેસની અમેરિકા-ઈઝરાયેલને અપીલ, વૈશ્વિક અર્થતંત્ર પર મોટા જોખમની ચેતવણી

બ્રસેલ્સ, 20 માર્ચ 2026: સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકા અને ઈઝરાયેલને ઈરાન સામેનું યુદ્ધ તાત્કાલિક ધોરણે સમાપ્ત કરવા અને લશ્કરી કાર્યવાહીના બદલે રાજદ્વારી માર્ગ અપનાવવા ભારપૂર્વક અપીલ કરી છે. બ્રસેલ્સમાં યુરોપિયન કાઉન્સિલની બેઠક દરમિયાન પત્રકારોને સંબોધતા ગુટેરેસે ચેતવણી આપી હતી કે હવે આ સંઘર્ષને રોકવાનો સમય આવી ગયો છે, અન્યથા તેના પરિણામો […]

પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે: ભારત

નવી દિલ્હી, 20 માર્ચ 2026: ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ ગણાતું પાકિસ્તાન પોતાની હરકતો અને નીતિઓમાં સુધારો નહીં લાવે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી […]

ઇસ્લામોફોબિયાના નામે જૂઠાણું ફેલાવનાર પડોશી દેશ પોતાના આંગણે જ કરી રહ્યો છે અત્યાચારઃ ભારત

ન્યૂયોર્ક, 17 માર્ચ 2026: સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં ‘ઇસ્લામોફોબિયા વિરોધી દિવસ’ નિમિત્તે આયોજિત મહાસભામાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને વિશ્વ મંચ પર ખુલ્લું પાડ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વિના ભારતે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આપણો પડોશી દેશ ‘ઇસ્લામોફોબિયા’ના નામે મનગડંત વાર્તાઓ રચી રહ્યો છે, જ્યારે વાસ્તવમાં તે પોતાના જ દેશમાં લઘુમતી અહમદિયા સમુદાયનું ક્રૂર દમન […]

ઈરાનના પરમાણુ મથક ઉપર હુમલાના અહેવાલો વિશે જાણો શું કહ્યું IAEAએ?

ઈરાનના પરમાણુ મથક ઉપર હુમલો થયાના અહેવાલ IAEA દ્વારા નકારવામાં આવ્યા યુએન, 2 માર્ચ, 2026 – ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે હવે પરમાણુ વિકિરણ (Nuclear Radiation) નું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે, આ અંગે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ સ્પષ્ટતા કરી છે કે હાલ આવી કોઈ સ્થિતિ નથી. […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયાં ચોંકાનારા ખુલાસા

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની 37માં રિપોર્ટમાં દિલ્હી લાલકિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનું નામ સામે આવ્યું છે. ગત 10મી નવેમ્બરના રોજ લાલકિલ્લા પાસે થયેલા હુમલામાં 15 વ્યક્તિના મોત થયાં હતા. આ હુમલાની જવાબદારી જૈશએ લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં મસૂદ અઝહરની નવી […]

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનમાં માનવાધિકાર પરના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રાજદૂત રિચાર્ડ બેનેટે સંઘર્ષને કારણે મોટી સંખ્યામાં લોકોની જાનહાનિ અને સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બંને પક્ષોને સંયમ રાખવા, નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા વિનંતી કરી હતી. તાલિબાન પ્રવક્તાના જણાવ્યા […]

સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ માટે ભારતની પસંદગી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની માનવાધિકાર પરિષદ (Human Rights Council – HRC) માટે ભારતની પસંદગી કરવામાં આવી છે. આ સાથે, ભારતે સતત સાતમી વખત આ પ્રતિષ્ઠિત પરિષદમાં સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક મંચ પર માનવ અધિકારના ક્ષેત્રમાં તેની વધતી ભૂમિકા અને વિશ્વસનીયતાને દર્શાવે છે. ભારતનો આગામી કાર્યકાળ આવતા વર્ષથી શરૂ થશે અને તે ત્રણ વર્ષ, […]

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષને લઈને તણાવ

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષને લઈને તણાવ જોવા મળ્યો. ગાઝા પર કબ્જો કરવાની ઇઝરાયલની યોજનાની અમેરિકા સિવાયના મોટાભાગના દેશોએ નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ગાઝામાં સર્જાયેલા માનવીય સંકટના સમાધાન પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી. ફિલિસ્તીનના સ્થાયી નિરીક્ષક, રિયાદ મન્સૂરે જણાવ્યું કે, “માત્ર સહાનુભૂતિ પૂરતી નથી, […]

આતંકવાદ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટીકા કરી

ભારતે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પાકિસ્તાનના “ઘોર દંભ” ની નિંદા કરતા કહ્યું કે જે દેશ આતંકવાદીઓ અને નાગરિકો વચ્ચે કોઈ ભેદ પાડતો નથી તેને નાગરિકોની સુરક્ષા વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી. ભારતે ભાર મૂક્યો હતો કે પાકિસ્તાની સેનાએ આ મહિનાની શરૂઆતમાં ઇરાદાપૂર્વક ભારતીય સરહદી ગામડાઓમાં ગોળીબાર કર્યો હતો, જેમાં નાગરિકોની હત્યા […]

લેબનોનમાં 8.80 લાખથી વધુ લોકોને તેમના ઘર છોડાવવાની ફરજ પડી :યુનાઈટેડ નેશન્સ

યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું કે લેબનોનમાં 8 લાખ 80 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડાવવાની ફરજ પડી હતી. માનવતાવાદી બાબતોના સંકલન માટેની યુએન ઓફિસે જણાવ્યું હતું કે, લેબનોનમાં બાકી રહેલા લોકોને ખાદ્ય સુરક્ષા સમસ્યા ગંભીર બની રહી છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને અહેવાલ આપ્યો છે કે દેશમાં 8 લાખ 80 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code