કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડના ખર્ચે રૂપાલના વરદાયની માતાજીના મંદિરનો વિકાસ કરાશે
ગાંધીનગરઃ કેન્દ્રના પ્રવાસન મંત્રાલય વિભાગ દ્વારા જિલ્લાના રૂપાલ ગામના વરદાયની માતાજી મંદિરનો રૂપિયા 50 કરોડના ખર્ચે વિકાસ કરાશે. તેમાં સોમનાથ અને અંબાજી મંદિરની જેમ તમામ પ્રકારની સુવિધાઓ મંદિરમાં ઉભી કરાશે. પ્રવાસન મંત્રાલયની પ્રસાદમ યોજનામાં વિકાસ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પ્રવાસન સ્થળ તરીકે સોમનાથ મંદિર, અંબાજી મંદિરનો કેન્દ્રના પ્રવાસન મંત્રાલય દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. […]