વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો છબરડોઃ વિદ્યાર્થીઓને 50 માર્ક્સની પરીક્ષામાં 75 ગુણ આપ્યા
સુરત: વિદ્યાર્થીઓને 50 માર્કની પરીક્ષામાં 75 માર્ક્સ મળે તો, આવો જ એક છબરડો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સર્જાયો છે. ચોથી ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર-3 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્ક્સમાં છબરડો કરવામાં આવ્યો હતો. 50 ગુણની પરીક્ષામાં 75 અને 74 જેવા માર્ક્સ આવતા વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. જેના કારણે ABVP દ્વારા યુનિવર્સિટીના કુલપતિને […]