ભક્ત શ્રી અન્નામાચાર્યલુજીની જન્મજ્યંતિ: તેઓશ્રીએ તિરુપતિ બાલાજી ઉપર ખૂબ જ કીર્તન લખ્યા
ભક્ત શ્રી અન્નામાચાર્યલુજીની જન્મજ્યંતિની આજે આંધ્રપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભક્ત શ્રી અન્નામાચાર્યલુજીનો જન્મ 22મી મે 1408ના રોજ આંધ્રપ્રદેશના કડપ્પાના તિલ્લપકા (તલપક)માં થયો હતો. જેઓ નાની ઉંમરમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ તિરુપતિ ગયા હતા અને વસ્યાં હતા. ભક્તિભાવથી કવિતા લખવાની અને તેને સ્વરબદ્ધ કરવાની વિલક્ષણ ક્ષમતા તેઓશ્રીમાં હતી. તેમણે ભગવાન વિષ્ણુજીના સ્વરુપ […]