1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સનું આજે ગુરૂવારે સવારે 10 વાગ્યે જાહેર થશે પરિણામ

ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સનું આજે ગુરૂવારે સવારે 10 વાગ્યે જાહેર થશે પરિણામ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-એપ્રિલમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે ગુરૂવારે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જોઈ શકાશે. ધો.12 સાયન્સની પરીક્ષા  કુલ 1 લાખ 8 હજાર વિદ્યાર્થીએ આપી હતી.આ ઉપરાંત ગુજકેટનું પરિણામ પણ ગુરૂવારે જ એક સાથે જાહેર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-એપ્રિલમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે ગુરૂવારે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. બોર્ડ દ્વારા ધોરણ 12 પરીક્ષાના પેપરની સમયસર મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરીને પરિણામ પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગુજકેટનું પરિણામ પણ ધારણ 12 સાયન્સના પરિણામની સાથે જ જાહેર કરવામાં આવશે. આથી બહાર અભ્યાસ માટે જતા કે પ્રતિષ્ઠિત ગણાતી ઈજનેરી કોલેજોમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓને બન્ને પરિણામો એક સાથે જાહેર થતા રાહત થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષા દર વર્ષ કરતાં આ વર્ષે માર્ચ મહિનાના અંતમાં એટલે કે 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. પરીક્ષા દરમિયાન જ એટલે કે જે પેપર લેવાઈ ગયાં છે એનું મૂલ્યાંકન ધો.12 સાયન્સ અને ધો.10નાં પેપર 11 એપ્રિલથી, જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહનાં પેપર 13 એપ્રિલથી ચકાસવાનું શરૂ કરી દેવાયું હતું. બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં સૌપ્રથમ ધોરણ 12 સાયન્સની મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારીને કારણે રાજ્યમાં લગભગ દોઢ વર્ષ સુધી ઓનલાઇન શિક્ષણ ચાલ્યું હતું. એમાં પણ 2021માં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા ક્લાસરૂમમાં બેસીને આપી હતી. 28 માર્ચથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓએ પુરજોશમાં તૈયારીઓ કરી હતી, પરંતુ દોઢ વર્ષ સુધી ઓનલાઈન ભણ્યા હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓની લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે, જેની અસર પ્રીલિમિનરી પરીક્ષામાં પણ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ ખાસ કરીને પેપરમાં સેક્શન C અને D છોડી દીધા હતા, એટલે કે મોટા પ્રશ્નોના જવાબ લખવામાં વિદ્યાર્થીઓએ આળસ કરી હતી અથવા સરખી રીતે લખી શક્યા નહોતા. સામાન્ય કરતાં પ્રીલિમિનરી પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પરિણામ 10થી 30 ટકા ઘટ્યું હતુ. આમ, વિદ્યાર્થીઓની આ છૂટી ગયેલી રાઇટિંગ પ્રેક્ટિસનું પરિણામ બોર્ડની પરીક્ષા અને પરિણામ પર પડી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code