1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપે 2.38 કરોડ એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ,લગભગ 40 ટકા લોકો ગુનાહિત રીતે પ્લેટફોર્મનો કરી રહ્યા છે ઉપયોગ 
વોટ્સએપે 2.38 કરોડ એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ,લગભગ 40 ટકા લોકો ગુનાહિત રીતે પ્લેટફોર્મનો કરી રહ્યા છે ઉપયોગ 

વોટ્સએપે 2.38 કરોડ એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ,લગભગ 40 ટકા લોકો ગુનાહિત રીતે પ્લેટફોર્મનો કરી રહ્યા છે ઉપયોગ 

0
Social Share
  • વોટ્સએપે 2.38 કરોડ એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ
  • 40 ટકા લોકો ગુનાહિત રીતે પ્લેટફોર્મનો કરી રહ્યા છે ઉપયોગ
  • જુલાઈ 2021 માં 30,27,000 ખાતાઓ પર મુકાયો પ્રતિબંધ

50 કરોડથી વધુ ભારતીયો WhatsAppનો ઉપયોગ કરે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, 108 કરોડની પુખ્ત વસ્તીમાંથી દર સેકન્ડ ભારતીય વોટ્સએપ પર છે. આમાંથી ઘણા લોકો ગુનાહિત રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે.આને રોકવાના પ્રયાસોના ભાગરૂપે વોટ્સએપે છેલ્લા એક વર્ષમાં ભારતમાં 2.38 કરોડ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.જુલાઈ 2021માં સૌથી વધુ 30,27,000 ખાતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સાયબર એક્સપર્ટ અને સાયબ્રોટેકના પ્રેસિડેન્ટ અનુજ અગ્રવાલનું કહેવું છે કે,કોઈ યુઝર અશ્લીલ, બદનક્ષી, ધમકી આપનારી, ધમકાવનારી, નફરત ફેલાવતી અથવા હિંસા માટે ઉશ્કેરણી કરનાર કન્ટેન્ટ શેર કરે છે અને જો કોઈની તરફથી ફરિયાદ આવે તો વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ લાદવામાં આવે છે.

આ આંકડાઓથી ખૂબ જ ચિંતાજનક બાબત એ છે કે,ગુનેગારો સાથે સંપર્ક, હત્યા, બળાત્કાર અને અશ્લીલતા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક સર્વે અનુસાર, વોટ્સએપના 10માંથી 4 યુઝર્સ નિયમિતપણે પોર્નોગ્રાફિક ફોટો કે વીડિયો એક્સેસ કરે છે. એટલે કે આશરે 40 ટકા વોટ્સએપ યુઝર્સ પ્રત્યક્ષ કે આડકતરી રીતે અશ્લીલતા, હિંસા ભડકાવવા, અફવાઓ ફેલાવવા જેવા ગુનાઓ કરી રહ્યા છે.

વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટાના એક રિપોર્ટ અનુસાર, ફેસબુકે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં હિંસા અને ઉશ્કેરણી સાથે સંબંધિત 21.7 મિલિયન પોસ્ટ સામે કાર્યવાહી કરી હતી. 1.8 અબજ નકલી માહિતી દૂર કરી.ઇન્સ્ટાગ્રામે નશાવાળી પોસ્ટને પ્રચાર કરતી 1.8 લાખ પોસ્ટ દૂર કરી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code