1. Home
  2. ગુજરાતી
  3. ટીમ ઈન્ડિયાના આ પૂર્વ લેગ સ્પિનરે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સંગાકારાની રાતની ઉંઘ હરામ કરી હતી
ટીમ ઈન્ડિયાના આ પૂર્વ લેગ સ્પિનરે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સંગાકારાની રાતની ઉંઘ હરામ કરી હતી

ટીમ ઈન્ડિયાના આ પૂર્વ લેગ સ્પિનરે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સંગાકારાની રાતની ઉંઘ હરામ કરી હતી

0
Social Share

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ લેગ સ્પિનગર અનિલ કુંબલે તાજેતરમાં આઇસીસીના હોલ ઓફ ફેઇમમાં સામેલ થયા છે. જેને લઇને આઇસીસીએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં અનિક કુંબલે અંગે અનેક ક્રિકેટરોએ પોતાનો વ્યક્ત કહ્યો હતો. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ કહ્યું હતું કે, કુંબલેની ઓવરમાં રન બનાવવા સરળ ન હતા. તેમજ તેમણે મારી રાતોની ઉંઘ હરામ કરી દીધી હતી.

ICC દ્વારા શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાનો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં સંગાકારાએ કહ્યુ હતું કે, અનિલ કુંબલે સામે રન બનાવવા એ આસાન ન હોતા. કુંબલેએ તેની અનેક રાતોની ઉંઘ ખરાબ કરી દીધી હતી. મહાન સ્પિનર અનિલ કુંબલેને તેની લંબાઇ એ અનઓર્થોડાક્સ લેગ સ્પિનર બનાવી દીઘો હતો. તેની સામે રન બનાવવા મુશ્કેલ છે. તે ઓર્થોડોક્સ લેગ સ્પિનર નહોતા. તે લાંબા કદના બોલર ક્રિઝ પાસે આવીને હાઇ-આર્મ એકશનથી બોલીંગ કરતા હતા. તેઓ ઝડપી, સીધી અને ચોક્કસ બોલીંગ કરતા હતા. કુંબલેનો બોલ ઉછાળ લેતો હતો, તેમજ તેમના બોલમાં ખૂબ ગતી રહેતી હતી. જો લેન્થ પર કોઇ રફ હોય તો, તે બેટ્સમેન પાસે તેને પાર પાડવાની સંભાવના ખૂબ જ ઓછી રહેતી હતી. કુંબલે એક શાનદાર વ્યક્તિ છે. તેઓ ખૂબ જ જોશીલા ક્રિકેટર રહ્યા છે, તેઓ ભારત અને વિશ્વ ક્રિકેટ માટે એક શાનદાર ચેમ્પિયન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનુલ કુંબલેએ 18 વર્ષના કરિયરમાં ભારત માટે 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ ઝડપી હતી. ટીમ ઇન્ડીયા માટે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર છે. તેમણે પાકિસ્તાન સામેની એક ટેસ્ટ મેચમાં એક ઇંનીંગમાં તમામ ખેલાડીઓને આઉટ કર્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code