1. Home
  2. પાણીની વિકટ સમસ્યાઃ ભરૂચમાં નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી મુદ્દે ભાજપના નેતાની ધરપકડ

પાણીની વિકટ સમસ્યાઃ ભરૂચમાં નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી મુદ્દે ભાજપના નેતાની ધરપકડ

0

સુરતઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. તેમજ લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. બીજી તરફ લોકોને પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. એટલું જ નહીં પાણી ચોરી અટકાવવા માટે તંત્ર દ્વારા કેનાલ ઉપર ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન ભરૂચમાં નર્મદા કેનાલમાંથી પાણી ચોરીના મુદ્દે પોલીસે ભાજપના આગેવાનની ધરપકડ કરી હતી. ભાજપના નેતાની ધરપકડ બાદ જામીન ઉપર છુટકારો થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાળાની આકરી ગરમીમાં લોકોને પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમજ લોકોને નર્મદાનું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ નર્મદા કેનાલમાંથી પાણી ચોરીની ફરિયાદો મળતાતંત્ર દ્વારા કેનાલ ઉપર ગાર્ડ તૈનાત કરવામાં આવ્યાં છે. દરમિયાન ભરૂચમાં જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય પરેશ પટેલ દ્વારા પાણી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

ભાજપના આગેવાને નર્મદા કેનામાંથી લાખો લીટર પાણીની ચોરી કરીને તળાવ ભર્યું હતું. આ મુદ્દે તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને ભાજપના આગેવાન પરેશ પટેલની ધરપકડ કરી હતી. જો કે, ગણતરિના કલાકોમાં જ તેમનો જામીન ઉપર છુટકારો થયો હતો. ભરૂચમાં પાણી ચોરીની માહિતી મળતા સિંચાઇ વિભાગના અધિકારીઓ તાબડતોડ રીતે અધિકારીઓ આવી પહોંચ્યા હતા પરંતુ તે જગ્યા અધિકારીઓને કંઈ મળ્યું નહોતું.

આ અંગે ભાજપના નેતા પરેશ પટેલે જણાવ્યું હતું કે, પાણી મેળવા માટે સિંચાઈ વિભાગને અરજી કરવામાં આવી હતી. પરંતુ સિંચાઈ વિભાગ તરફથી કોઇ જવાબ ના મળતાં અમે કેનાલમાંથી પાણી પોતાના તળાવમાં ભર્યું હતું. જેના કારણે આ આખો મામલો વિવાદિત બન્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code