1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ એરપોર્ટથી સમર શેડ્યુલમાં દિલ્હી,બેંગ્લોર, ગોવા, મુંબઈ સહિત 12 ફ્લાઈટસ ઉડાન ભરશે,
રાજકોટ એરપોર્ટથી સમર શેડ્યુલમાં દિલ્હી,બેંગ્લોર, ગોવા, મુંબઈ સહિત 12 ફ્લાઈટસ ઉડાન ભરશે,

રાજકોટ એરપોર્ટથી સમર શેડ્યુલમાં દિલ્હી,બેંગ્લોર, ગોવા, મુંબઈ સહિત 12 ફ્લાઈટસ ઉડાન ભરશે,

0
Social Share

રાજકોટઃ શહેરની ભાગોળે નવું ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ કાર્યરત થયા બાદ ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થયો નથી. હજુ વિદેશની ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી નથી.  એરપોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રિલથી ઓક્ટોબર માસ સુધી ઉડાન ભરનારી ફ્લાઈટ્સનું સમર શેડ્યુલ જાહેર કરાયુ છે. જેમાં રાજકોટથી મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ, સુરતની એક-એક ફ્લાઈટ્સ સહિત કૂલ 12 ફ્લાઈટ ઉડાન ભરશે. જેમાં  દૈનિક 9 ફલાઇટ ઉડાન ભરશે. જ્યારે પુણે અને ગોવાની ફલાઇટ અઠવાડિયામાં 3 દિવસ તો અમદાવાદની નવી શરૂ થનારી ફલાઇટ અઠવાડિયામાં 6 દિવસ ઉડશે.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ ઉડાન ભરતી ઇન્દોરની ફલાઇટ 31મી માર્ચથી બંધ થઈ જશે. જયારે અમદાવાદની ફલાઇટ શરૂ થશે. રાજકોટથી શરૂ થનારી અમદાવાદની ઇન્ડિગોની ફલાઇટ બપોરે 15:30 વાગ્યે રાજકોટ પહોંચશે અને 15:50 વાગ્યે રાજકોટથી અમદાવાદ જવા માટે રવાના થશે. રાજકોટથી અમદાવાદની ફ્લાઇટ 31 માર્ચથી અઠવાડિયામાં 6 દિવસ એટલે કે સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના ઉડાન ભરશે. જેનો લાભ રાજકોટથી અમદાવાદ જનારા ઉપરાંત કનેકટિંગ ફ્લાઇટમાં જવા માંગતા મુસાફરોને થશે. રાજકોટથી મુંબઈ જવા માટેની ફ્રિકવન્સી વધારે છે એટલે કે મુંબઈ જવા માટે દરરોજની 6 ફ્લાઈટ ઉડાન ભરશે. જયારે દિલ્હીની બે જ ફ્લાઇટ ઉડશે. રાજકોટથી અગાઉ ઉદયપુર માટેની ફ્લાઈટ ઉડાન ભરતી હતી. આ ઉપરાંત હાલ ઈન્દોરની ફ્લાઈટ પણ ઉડાન ભરે છે પરંતુ, 31 માર્ચથી ઉદયપુર અને ઇન્દોર એમ બંને ફ્લાઈટ બંધ થઈ જશે. જોકે, તેની સામે નવી અમદાવાદની ફ્લાઇટનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રવાસીઓને થશે.

સૂત્રોના કહેવા મુજબ સામાન્ય રીતે હાલ રાજકોટથી ચેન્નાઈ અને હૈદરાબાદ સહિતના શહેરોમાં જવું હોય તો દિલ્હી અને મુંબઈ સુધી ધક્કો ખાવો પડે છે. જોકે, હવે અમદાવાદની ફ્લાઇટ શરૂ થતાં કનેકટીંગ ફ્લાઈટનો લાભ મળી રહેશે. જેનાથી અમદાવાદથી સસ્તા ભાડામાં હવાઈ મુસાફરી થઈ શકતી હતી તેનો લાભ પણ મળશે. જોકે, તે માટે રાજકોટથી અમદાવાદની ફ્લાઈટનું ભાડું ઓછું હશે તો જ પ્રવાસીઓ આ ફ્લાઈટનો લાભ લેશે. હાલ જે રીતે 2800થી વધુ ફલાઇટનુ ભાડુ છે તે જોતા લોકો રાજકોટથી અમદાવાદ જવા માટે વોલ્વો બસ અથવા તો વંદે ભારત પ્રકારની ટ્રેનનો લાભ લે પરંતુ, અમદાવાદ એરપોર્ટ ઉપરથી કોઈ કનેકટિંગ ફલાઇટમાં બેસવાનું હોય તો એવા બિઝનેસ ક્લાસ સહિતનાં લોકો રાજકોટથી અમદાવાદની ફ્લાઈટનો લાભ લઈ શકે તેમ છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code