1. Home
  2. ગુજરાતી
  3. હૈતી પરપ્રાંતીયોને લઈ જતી બોટ પલટી જતા 17ના મોત, 25ને સુરક્ષા દળોએ બચાવ્યા 
હૈતી પરપ્રાંતીયોને લઈ જતી બોટ પલટી જતા 17ના મોત, 25ને સુરક્ષા દળોએ બચાવ્યા 

હૈતી પરપ્રાંતીયોને લઈ જતી બોટ પલટી જતા 17ના મોત, 25ને સુરક્ષા દળોએ બચાવ્યા 

0
Social Share
  • હૈતી પરપ્રાંતીયોને લઈ જતી બોટએ મારી પલટી
  • દુર્ઘટનામાં 17 પ્રવાસીઓના મોત થયા
  • 25 અન્ય લોકોને બચાવી લેવાયા

દિલ્હી:હૈતી પ્રવાસીઓને લઈને જઈ રહેલી બોટ રવિવારે વહેલી સવારે સમુદ્રમાં પલટી મારી હતી.આ દુર્ઘટનામાં 17 હૈતી પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે 25 અન્ય લોકોને બચાવી લેવાયા છે.

અહેવાલ મુજબ બહામાસના અધિકારીઓનું કહેવું છે કે,હૈતી સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક બોટ દરિયામાં પલટી ગઈ હતી.બહામિયન સુરક્ષા દળોએ 17 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે 25 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ન્યૂ પ્રોવિડન્સથી લગભગ સાત માઈલ દૂર બોટ ડૂબી ગયા પછી કોઈ ગુમ થયું હતું કે કેમ તે સ્પષ્ટ થયું નથી.વડા પ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,મૃતકોમાં 15 મહિલાઓ, એક પુરુષ અને એક શિશુનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે બચાવાયેલા લોકોને આરોગ્ય કર્મચારીઓ દ્વારા દેખરેખ માટે લઈ જવામાં આવ્યા હતા.

હૈતીના વડા પ્રધાન એરિયલ હેનરીએ કહ્યું કે તેઓ પીડિતોના માતાપિતા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે “આ ઘટનાથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. હું ફરી એકવાર રાષ્ટ્રીય સમાધાનની અપીલ શરૂ કરું છું, જે સમસ્યાઓને હલ કરવા માટે આપણા ભાઈઓ, આપણી બહેનો, આપણા બાળકો આપણી માટી છોડીને જઈ રહ્યા છે.”

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code