1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.8 ની તીવ્રતા નોંધાઈ

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.8 ની તીવ્રતા નોંધાઈ

0
Social Share
  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા
  • 3.8 ની નોંધાઈ તીવ્રતા
  • લોકોમાં ભયનો માહોલ

દહેરાદૂન:ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 હતી.આ ભૂકંપના આંચકાને કારણકે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.

ભૂકંપ વિશે માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે,આંચકા હળવા હતા. જો કે અત્યાર સુધી ભૂકંપમાં જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી. આ પહેલા પણ ઉત્તરાખંડમાં ભૂકંપ આવી ચૂક્યો છે.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code