1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતના 35 માછીમારો સહિત 36ને પાકિસ્તાનની જેલમાંથી 30મી એપ્રિલે મુક્ત કરાશે
ભારતના 35 માછીમારો સહિત 36ને પાકિસ્તાનની જેલમાંથી 30મી એપ્રિલે મુક્ત કરાશે

ભારતના 35 માછીમારો સહિત 36ને પાકિસ્તાનની જેલમાંથી 30મી એપ્રિલે મુક્ત કરાશે

0
Social Share

અમદાવાદઃ   પાકિસ્તાન જેલમાં વર્ષોથી કેદ ભારતીય માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનની જેલમાં કેદ 35 જેટલા ભારતીય માછીમારો અને એક ભારતીય નાગરિકને 30 એપ્રિલના રોજ મુક્ત કરવામાં આવશે. આ માછીમારો આગામી 2 જી મેં ના દિવસે વાઘા બોર્ડર પર પહોંચશે, પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થનારા 35 ભારતીય માછીમારો ગુજરાત-સૌરાષ્ટ્રના છે. માછીમારોના પરિવારજનો પોતાના સ્વજન પાક.જેલમાંથી છૂટી રહ્યાની જાણ થતાં જ પરિવારજનોમાં ખૂશી વ્યાપી ગઈ હતી.

પાકિસ્તાન મરિન સીક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય માછીમારોને પકડી લેવામાં આવે છે. આ ઉપરાંત ભારતીય જળ સીમા પરથી અનેકવાર માછીમારોના અપહરણ થતા હોય છે. જેમાંથી વર્ષ 2022થી પકડાયેલા 189 માછીમારોમાંથી 35 માછીમારો અને એક ભારતીય નાગરિકને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકારે લીધો છે. વર્ષ 2022થી પકડાયેલા 189 માછીમારોમાંથી 35 માછીમારો અને એક ભારતીય નાગરિકને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકારે લેતા માછીમારો અને તેમના પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

ઈન્ડિયા પાકિસ્તાન પીસ ફોરમ સંસ્થાના રાષ્ટ્રીય કારોબારી સભ્ય જીવન જુંગીએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા દ્વારા અનેકવાર બંને દેશોની સરકારને રજૂઆતો કરવામાં આવે છે. પાકિસ્તાનમાં અગાઉ ચૂંટણીનો માહોલ હતો તેથી આ નિર્ણય લેવામાં મોડું થયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે 2022માં પાકિસ્તાન દ્વારા ઝડપાયેલા 189 માછીમારોમાંથી 35 માછીમારોને પાકિસ્તાન સરકારે 30 એપ્રિલ 2024 ના રોજ મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આગામી બીજી મેના રોજ 36 માછીમારો ભારત આવી જશે. બાકીના 153 માછીમારોને પણ છોડવા અંગે અમારી સંસ્થા દ્વારા પ્રયત્ન ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં વહેલી તકે આ માછીમારોને પણ છોડવામાં આવે તેવી સરકારને વિનંતી કરી છે હાલ પાકિસ્તાન દ્વારા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે તેમના પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code