1. Home
  2. ગુજરાતી
  3. બર્ફીલા સરોવરમાં દટાયેલો મળ્યો 48,500 વર્ષ જૂનો ‘ઝોમ્બી વાયરસ’,મનુષ્ય માટે બની શકે છે ખતરો
બર્ફીલા સરોવરમાં દટાયેલો મળ્યો 48,500 વર્ષ જૂનો ‘ઝોમ્બી વાયરસ’,મનુષ્ય માટે બની શકે છે ખતરો

બર્ફીલા સરોવરમાં દટાયેલો મળ્યો 48,500 વર્ષ જૂનો ‘ઝોમ્બી વાયરસ’,મનુષ્ય માટે બની શકે છે ખતરો

0
Social Share

વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કર્યો છે.તેઓએ બરફની નીચે થીજી ગયેલા ઘણા વાયરસ શોધી કાઢ્યા છે.તેમની વચ્ચે એક વાયરસ પણ છે, જે 48,500 વર્ષ પહેલા બરફની નીચે દટાયેલો હતો.તે બરફથી જામેલ સરોવર નીચેથી મળી આવ્યો છે. આ સિવાય આ વૈજ્ઞાનિકોએ લગભગ 24 વધુ વાયરસ શોધી કાઢ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે જૂનો પર્માફ્રોસ્ટ માનવ માટે ખતરો બની શકે છે. વાસ્તવમાં, યુરોપના સંશોધકો રશિયાના સાઇબિરીયા વિસ્તારમાંથી એકત્રિત કરવામાં આવેલા પરમાફ્રોસ્ટના જૂના નમૂનાઓની તપાસ કરી રહ્યા હતા.આમાં, તેણે 13 નવા પેથોજેન્સને પુનર્જીવિત કર્યા અને તેમને ઝોમ્બી વાયરસ તરીકે વર્ગીકૃત કર્યા.વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે આ બધા વાયરસ હજુ પણ ચેપી છે, ભલે તેઓ ઘણી સદીઓથી બરફની નીચે દટાયેલા હતા.

વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે,ક્લાઈમેટ ચેન્જના કારણે ગ્લોબલ વોર્મિંગને કારણે પરમાફ્રોસ્ટની નીચે દટાયેલા મિથેન જેવા ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણમાં છોડવામાં આવી શકે છે.આ મનુષ્યો માટે જોખમ ઊભું કરી શકે છે.રશિયા, જર્મની અને ફ્રાન્સના સંશોધકોએ આ વાયરસને વિશ્વ માટે ખતરો ગણાવ્યો છે.તેઓ કહે છે કે વાયરસના પુનરુત્થાનને કારણે, તેઓ પ્રાણીઓ અને મનુષ્યોને સંક્રમિત કરી શકે છે.આવી સ્થિતિમાં તેઓ મનુષ્ય અને વિશ્વ માટે ખતરો બની શકે છે.વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે,જ્યારે આ વાયરસ પર્યાવરણમાં જોવા મળે છે, ત્યારે તે કેટલા ચેપી હોઈ શકે છે અથવા તે કેવી રીતે અને કેટલી હદ સુધી મનુષ્યો અને પ્રાણીઓને સંક્રમિત કરી શકે છે, તેનો હજુ સુધી અંદાજ લગાવવામાં આવ્યો નથી.

આ વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,તેમની તપાસના પરિણામો અને તેમના કામને જોખમ તરીકે જોવું જોઈએ.તેમનું કહેવું છે કે,આ વાયરસથી કેવી રીતે બચી શકાય તેના પર કામ કરવું જોઈએ.કારણ કે બે વર્ષ પહેલા વિશ્વમાં કોરોના વાયરસના રૂપમાં મોટો ખતરો ઉભો થયો હતો.તે હજુ પણ સંપૂર્ણ રીતે સમાપ્ત થયું નથી.ચીન જેવા દેશો હજુ પણ આનો સામનો કરી રહ્યા છે.કોરોના વાયરસના કારણે ફેલાયેલી કોવિડ-19 મહામારીને કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં લાખો લોકોના મોત થયા છે.આવી સ્થિતિમાં, શોધાયેલ આ નવા વાયરસ વિશ્વ માટે ખતરો બની શકે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code