તાઈવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 5.8 નોંધાઈ
- તાઈવાનમાં ભૂકંપના આંચકા
- 5.8 ની તીવ્રતા નોંધાઈ
- કોઈ જાનહાનિ કે નુકશાન નહીં
દિલ્હી: તાઈવાનમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધી કોઈ જાનહાની કે જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.