1. Home
  2. ગુજરાતી
  3. સાણંદના નળ સરોવર રોડ પર છકડો અને કાર વચ્ચે અકસ્માત, 3ના મોત અને 12ને ઈજા

સાણંદના નળ સરોવર રોડ પર છકડો અને કાર વચ્ચે અકસ્માત, 3ના મોત અને 12ને ઈજા

0
Social Share

અમદાવાદઃ જિલ્લના સાણંદના નળ સરોવર રોડ પર આવેલા રેથલ નજીક ગોવિંદા ગામના પાટિયા પાસે છકડો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડાના ટૂકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કાર અને છકડો ટકારતા છકડાંના ટુકડા થઈ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલકનું ઘટનાસ્થળે જ જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી હતી કે, સાણંદના નળ સરોવર રોડ પર આવેલા રેથલ નજીક ગોવિંદા ગામના પાટિયા પાસે છકડો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડાના ટૂકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા હાલ અકસમાતનો ભોગ બનેલા તમામ લોકોને સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે જાણ થતા સાણંદ GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર છકડામાં 15 જેટલા શ્રમિકો ભર્યા હતા. એક છકડામાં આટલી મોટી સંખ્યામાં લોકોને બેસાડ્યા હોવાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code