
‘આતંરરાષ્ટ્રીય વાઘ દિવસ’ – વાધ અને દિપડાને બચાવવા માટે યુપીમાં 4 બચાવ કેન્દ્ર બનાવાની સરકારે આપી મંજુરી
- 29 જુલાઈઃઆતરરાષ્ટ્રીય વાધ દિવસ
- યુપીમાં વાધને બચાવવા માટેની કવાયત
- 4 સેન્ટરને કેન્દ્રની મળી મંજુરી
લખનૌઃ- 29 જુલાઈના રોજ વિશ્વભરમાં ‘ વાઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.આપણે જાણીએ છીે કે હાલ વાઘ લુપ્ત થતી પ્રજાતીમાં સમાવેશ પામે છે. આથી વિશ્વમાં અત્યંત ઝડપથી ઘટી રહેલી વાઘોની વસતીને ધ્યાનમાં લેતા વર્ષ 2010થી દર વર્ષે 29 જુલાઈને ‘વર્લ્ડ ટાઈગર ડે’તરીકે મનાવવામાં આવી રહ્યો છે.
વર્ષ 2010માં સૌ પ્રથમ રશિયાના સેન્ટ પીટર્સબર્ગના વાઘ સંમેલનમાં વાઘોના સંરક્ષણ માટે ‘વિશ્વ વાઘ દિવસ’ ની ઉજવણી કરાઈ હતી. ત્યાર પછી સમગ્ર વિશઅવમાં દર વર્ષે 29 જુલાઈને ‘વિશ્વ વાઘ દિવસ’ તરીકે ઉજવવાનું શરુ કરવામાં આવ્યું.
યુપીમાં બનશે 4 વાધ અને ચિત્તા બતાવ કેન્દ્રઃ સરકારે આપી મંજૂરી
ત્યારે રહવે દેશભરમાં વાધને બચાવવા માટચે સતચ પ્રયત્નો હેઠળ અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે,જેમાં ઉત્તર પ્રદેશ રાજ્યના વસ્તીવાળા ભાગોમાં વાઘ અને ચિત્તાનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. આ માટે, રાષ્ટ્રીય કેમ્પા સમિતિ એ યુપીમાં ચાર બચાવ કેન્દ્રો અને એક ફરતું કેન્દ્ર બનાવવાની સૈદ્ધાંતિક સંમતિ આપી છે. ટૂંક સમયમાં જ આ મામલે ઓપચારિક હુકમ જારી કરવામાં આવશે.
યુપીમાં વાઘ અને દીપડાઓ વસ્તીમાં આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. જંગલને અડીને આવેલા વિસ્તારોમાં મનુષ્યો અને પાલતુ પ્રાણીઓ પર હુમલાઓ પણ થઈ રહ્યા છે. જેને પહોંચી વળવા રાજ્ય સરકારે પીલીભીત, મેરઠ, મહારાજગંજ અને ચિત્રકૂટમાં એક એક બચાવ કેન્દ્ર સ્થાપવા માટે કેન્દ્રને દરખાસ્ત મોકલી હતી. આ અંગે તાજેતરમાં વળતર એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ દ્વારા વિચારણા કરવામાં આવી હતી.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ બેઠકમાં આ દરખાસ્તો અંગે કોઈ વાંધો દાખલ કરવામાં આવ્યો નથી. ઇસીએ આ પ્રોજેક્ટ્સની તરફેણમાં યુપી અધિકારીઓએ કરેલી દલીલોને ન્યાયી ગણાવી હતી. કેમ્પા બચાવ કેન્દ્ર માટે નાણાં પૂરા પાડશે. બચાવ કેન્દ્રનો ખર્ચ અંદાજે 4.90 કરોડ રપપિયા થાય તેવી શક્યતાઓ છે.
વન્યપ્રાણી તબીબો ઉપરાંત બચાવ કેન્દ્રોમાં વન્યપ્રાણીઓને પકડવા તાલીમ પામેલા કર્મચારી અને જરૂરી ઉપકરણો અને વાહનો પણ હશે. જો નજીકમાં કોઈ બચાવ કેન્દ્ર હોય તો, પ્રાણીઓને ઝડપ પકડી શકાય છે અને ટૂંકા સમયમાં બચાવ કેન્દ્રમાં મોકલી શકાય છે, જે માનવ-વન્યજીવન સંઘર્ષ ઘટાડશે.