1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યાત્રાધામ વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાનો આજે 141મો નિર્વાણ દિવસ
યાત્રાધામ વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાનો આજે 141મો નિર્વાણ દિવસ

યાત્રાધામ વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાનો આજે 141મો નિર્વાણ દિવસ

0
Social Share
  • જલારામ બાપાનો આજે ૧૪૧ મો નિર્વાણ દિવસ
  • વેપારીઓ દ્વારા જલાબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
  • જલાબાપાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી

રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલ છે. દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે.પૂજ્ય જલાબાપાએ શરૂ કરેલ ભુખ્યા માટે સદાવ્રત અન્નક્ષેત્ર 200 વર્ષથી આજે પણ અવિરત છે.

જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત 1937 મહા વદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા,ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય બાપાની પુણ્યતિથિ તરીકે મનાવાય છે. આજે મહા વદ દશમીને 26 ફેબ્રુઆરીને શનિવાર હોવાથી પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સમગ્ર વીરપુર ગામના નાના-મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણ પણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વીરપુર આવતા ભાવિકો,યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા રહેશે.તો જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલાબાપાની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી તેમજ વીરપુર આવતા ભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવ્યો.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code