1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોનું અભિયાન, એક વર્ષમાં 175 આતંકી ઠાર મરાયાં
કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોનું અભિયાન, એક વર્ષમાં 175 આતંકી ઠાર મરાયાં

કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોનું અભિયાન, એક વર્ષમાં 175 આતંકી ઠાર મરાયાં

0
Social Share

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સીઆરપીએફએ એક વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 175 આંતકવાદીઓને ઠાર માર્યાં છે. જ્યારે 19 જેટલા નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે.

સીઆરપીએફના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 175 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. 1લી માર્ચ 2021થી 16મી માર્ચ 2022 સુધીમાં 183 જેટલા આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત વામપંથી ઉગ્રવાદનો સામનો કરતા રાજ્યોમાં પણ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 19 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. આ ઉપરાંત 699 નક્સલવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. સીઆરપીએફના ડીજી કુલદીપ સિંહએ જણાવ્યું હતું કે, આ ઓપરેશન દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનો આર્થિક સહાય ચુકવવામાં આવે છે. 20 લાખથી વધારે 30 લાખ તથા અન્ય તમામ મામલામાં 15 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે.

(Photo-File)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code