
જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની આફ્રિકામાં ગોળી મારી હત્યા કરાઈ
અમદાવાદઃ જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતો. ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર 6 થી 7 ગોળીઓ મારી દેતા સાહિલ ભાઈને ગોળી વાગતા કરુણ મોત થયું હતું.
આ બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુવેગે ફેલાતા લોકોમાં શોકની લાગણી જન્મી હતી. ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જાય છે પરંતુ ત્યાં તેમને નીગ્રો જાતિના લોકો લૂંટના ઇરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે જેના કારણે પરિવાર પર આફત આવી પડે છે. અત્રે ઉલ્લેખની આ બાબત છે કે સાહિલભાઈ મુનશી એ રોજાની હાલતમાં હતા અને તેમને પરિવારમાં સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાના વિવિધ દેશોમાં ભારતીયો વસવાટ કરી રહ્યો છે. બીજી તરફ તેમની સાથેના અત્યાચારોના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન આફ્રિકામાં ભરુચના યુવાનની હત્યા થતા અહીં રહેતા તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તેમજ મોટી સંખ્યામાંં લોકો તેના નિવાસસ્થાને દોડી ગયા હતા અને પરિવારજનોને સ્વાંતના પાઠવી હતી.