1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં 9 ફુટનો મહાકાય મગર પાણી ભરેલા ખાડાંમાં પડતા વન અને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું
વડોદરામાં 9 ફુટનો મહાકાય મગર પાણી ભરેલા ખાડાંમાં પડતા વન અને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું

વડોદરામાં 9 ફુટનો મહાકાય મગર પાણી ભરેલા ખાડાંમાં પડતા વન અને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું

0
Social Share

વડોદરાઃ શહેરમાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીના પાણી રોડ-રસ્તાઓ પર ફરી વળ્યા હતા. તેના લીધે પાણી સાથે મગરો પણ તણાય આવ્યા હતા. દરમિયાન શહેરના  ભાયલીના ખારિયાવાસમાં વરસાદી પાણીમાંથી 5થી 7 ફૂટ ઊંડા ખાડામાં આશરે 9 ફૂટનો મગર આરામ ફરમાવી રહ્યો હતો. ભાયલી વિસ્તારમાં મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મગર પાણી ભરેલા ઊંડા ખાડામાં આરામ ફરમાવી રહ્યો હતો. વન વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના 8 જવાનો અને અન્ય 10 લોકોની ટીમે 3 કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તેમજ મગરનું રેસ્કયૂ કરવા માટે 5 લોકો મગર પર પણ બેસી ગયા હતા.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાયલીના ખારિયાવાસમાં વરસાદી પાણીમાંથી 5થી 7 ફૂટ ઊંડા ખાડામાં આશરે 9 ફૂટનો મગર આરામ ફરમાવી રહ્યો હતો. ભાયલી વિસ્તારમાં મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મગર પાણી ભરેલા ઊંડા ખાડામાં આરામ ફરમાવી રહ્યો હતો. વન વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના 8 જવાનો અને અન્ય 10 લોકોની ટીમે 3 કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરનો મોટા પ્રમાણમાં વસવાટ છે, અને ચોમાસાની ઋતુમાં વિશ્વામિત્રીના પૂર સાથે મગરો પણ તણાઈને રોડ પર આવી જતાં હોય છે. હવે વરસાદ બંધ થતાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટી રહ્યું છે, ત્યારે મગર લટાર મારવા માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.

શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરાવાસીઓને ભેટમાં મળેલો વારસો છે. શિયાળો પૂર્ણ થતા મગરનો પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડાં મૂકવાનો સમય હોય છે. આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડાં અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code