1. Home
  2. Agency
  3. News
  4. અર્થશાસ્ત્રીઓએ દેશના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં સ્પર્ધાત્મકતા વધારવા સૂચનો આપ્યા
અર્થશાસ્ત્રીઓએ દેશના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં સ્પર્ધાત્મકતા વધારવા સૂચનો આપ્યા

અર્થશાસ્ત્રીઓએ દેશના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં સ્પર્ધાત્મકતા વધારવા સૂચનો આપ્યા

0
Social Share

નવી દિલ્હી 31 ડિસેમ્બર 2025: Modi’s meeting with economists વર્ષ 2026-27ના આગામી કેન્દ્રીય અંદાજપત્રની તૈયારીઓ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. મંગળવારે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ, નીતિ નિર્ધારકો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે એક ઉચ્ચ સ્તરીય ‘પ્રી-બજેટ’ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સીતારામન અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત @2047’ એ માત્ર સરકારી એજન્ડા નથી, પરંતુ દેશના 140 કરોડ નાગરિકોની સામૂહિક આકાંક્ષા છે. તેમણે ઉમેર્યું કે દેશના લોકોની શિક્ષણ, વપરાશની પદ્ધતિઓ અને વૈશ્વિક ગતિશીલતામાં જે મોટું પરિવર્તન આવ્યું છે, તે ભારતની વધતી આશાઓનું પ્રતીક છે. આ બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંસ્થાગત ક્ષમતા વધારવી અનિવાર્ય છે.

ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અગ્રિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અને ‘મિશન-મોડ’ પર સુધારાઓ લાગુ કરવા પર ભાર મૂકવામાં આવ્યો.ભારતને વૈશ્વિક કાર્યબળ (Global Workforce) અને આંતરરાષ્ટ્રીય બજારો માટે એક વિશ્વસનીય અને મજબૂત કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની રણનીતિ પર ચર્ચા થઈ.અર્થશાસ્ત્રીઓએ દેશના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે અનેક સૂચનો આપ્યા.ઘરેલું બચતમાં વૃદ્ધિ અને નવી ટેક્નોલોજીના સ્વીકાર દ્વારા આર્થિક માળખાને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકાયો.

નિષ્ણાતોએ બેઠકમાં જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આગામી સમયમાં ઉત્પાદકતા વધારવાનું મુખ્ય સાધન બનશે. ખેતી, આરોગ્ય, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે AI અને ડેટા એનાલિટિક્સના ઉપયોગથી ક્રાંતિકારી ફેરફારો લાવી શકાય તેમ છે. ભારતનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) આ વિકાસનો મુખ્ય આધારસ્તંભ રહેશે.

અર્થશાસ્ત્રીઓના મતે, 2025-26 દરમિયાન થયેલા આર્થિક સુધારાઓ ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે જાળવી રાખશે. બજેટ 2026માં સામાન્ય જનતા માટે ટેક્સમાં રાહત, નવી રોજગારીની તકો અને જીવનધોરણ સુધારવા માટેની વિશેષ જોગવાઈઓ અપેક્ષિત છે.

વધુ વાંચો: અયોધ્યાઃ રામ મંદિરની બીજી વર્ષગાંઠ નિમિતે અમિત શાહ સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code