
નવા વર્ષની શરૂઆત સાથે આસ્થા અને વિશ્વાસનું કુંભ વર્ષ શરૂ: હરિદ્વારમાં 11 માર્ચે શિવરાત્રી પર પ્રથમ શાહી સ્નાન
- નવા વર્ષની સાથે આજે શરૂ થયો કુંભ વર્ષ
- 11 માર્ચે શિવરાત્રી પર પ્રથમ શાહી સ્નાન
- સરકારના નિયમો મુજબ મળશે પ્રવેશ
ઋષિકેશ: નવા વર્ષની શરૂઆત સાથે આસ્થા અને વિશ્વાસનું કુંભ વર્ષ પણ આજથી શરૂ થઈ ગયું છે. ગ્રહોની ગતિવિધિને કારણે આ વખતે કુંભ 12 ની જગ્યાએ 11 માં વર્ષે છે. આ વખતે કુંભ મેળો 48 દિવસનો છે. કુંભ પર ચાર શાહી સ્નાન થશે. 11 માર્ચે મહા શિવરાત્રી નિમિત્તે પ્રથમ શાહી સ્નાન થશે. શાહી સ્નાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે
શાહી સ્નાન સિવાય મકરસંક્રાંતિ,મૌની અમાવસ્યા,બસંત પંચમી, માઘ પૂર્ણિમા અને ચૈત્ર શુક્લ પ્રતિપદા અને રામનવમી વર્ષના આ છ દિવસો પરંતુ સ્નાન કરવાની વિધિની પણ એક પરંપરા છે.
બીજા,ત્રીજા અને ચોથા શાહી સ્નાનનું આયોજન ક્રમશઃ 12 એપ્રિલ (સોમવતી અમાવાસ્યા), 14 એપ્રિલ (વૈશાખી અને મેષ સંક્રાંતિ) અને 27 એપ્રિલ (ચૈત્ર પૂર્ણિમા) પર યોજાશે. કુંભ મેળાના અધિકારી દિપક રાવતે જણાવ્યું હતું કે, કુંભમાં આવતા તમામ મુસાફરોની નોંધણી કરાશે. નોંધણી વગર કોઈની એન્ટ્રી નહીં થાય. આ ઉપરાંત મુસાફરો જે બસ અથવા ટ્રેન દ્વારા આવશે તેઓને મુસાફરી શરૂ કરવા સ્થળે થર્મલ સ્ક્રિનીંગ કરાવી પડશે.
નિ: શુલ્ક માસ્ક આપવાની સૂચના આપતાં તેમણે કહ્યું કે, કુંભ દરમિયાન કોઈપણ ભક્તોને માસ્ક વિના ઘાટમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત તમામ દુકાનદારોએ કોવિડ -19 ની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
-દેવાંશી