1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોંગ્રેસના કેટલાક પક્ષપલટુના અરમાનો અધુરા રહ્યા, ભાજપે ટિકિટ ન આપતા નિરાશ થવું પડ્યું
કોંગ્રેસના કેટલાક પક્ષપલટુના અરમાનો અધુરા રહ્યા, ભાજપે ટિકિટ ન આપતા નિરાશ થવું પડ્યું

કોંગ્રેસના કેટલાક પક્ષપલટુના અરમાનો અધુરા રહ્યા, ભાજપે ટિકિટ ન આપતા નિરાશ થવું પડ્યું

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જાહેર થતાં જ પક્ષપલટાની મોસમ પણ ખીલી ઊઠી હતી. કોંગ્રેસના ઘણા કાર્યકરો અને નેતાઓએ તો ચૂંટણી જાહેર થયા પહેલા જ ભાજપમાંથી ટિકિટ મળશે તેવી આશાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આવા ઘણા નેતાઓના અરમાનો અધૂરા રહ્યા છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા બાદ તેમને ખેરાળુની બેઠક પરથી ટિકિટની માગણી કરી હતી.પણ ભાજપે ટિકિટ આપી નથી જ્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ પક્ષપલટો કરીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો, અને બાયડથી ટિકિટ માગી હતી. તેમણે પણ ભાજપે  ટિકિટ ન આપતા હવે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાના નિધન બાદ તેમના પૂત્ર કેવલે ભાજપ ટિકિટ આપશે એવી આશાએ ભાજપનો ખેસ પહેર્યો હતો, પણ ભાજપે કેવલને ટિકિટ આપી નથી. અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ બાપુનગરની ટિકિટ મળશે એવી આશાએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેમને પણ ટિકિટ આપવામાં આવી નથી. આ ઉપરાંત ઘણા કાર્યકરો અને નેતાઓ છે. કે પક્ષપલટા બાદ તેમના અરમાનો અધૂરા રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ  ભાજપે આ વખતે જે જીતી શકે તેવા ઉમેદવારોને જ પસંદ કર્યા છે. ભાજપે કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યોને પુન: ટીકીટ આપી છે. કે તે જીતી શકે તેવા છે. પરંતુ લાંબા સમયથી કોંગ્રેસ મોવડી મંડળ માટે આકરા શબ્દો વાપરીને ભાજપમાં આવેલા અને ટીકીટ માટે રાહ જોઇ રહેલા અનેક  નેતાઓને ફરી નિરાશ થવું પડ્યું છે, જેમાં સૌથી વધુ નિરાશા કોંગ્રેસના એક સમયના પ્રવક્તા અને આક્રમક નેતા ગણાતા જયરાજસિંહ પરમારને થઇ છે,  જેઓ ખેરાલુ બેઠક માટે લાંબા સમયથી રાહ જોતા હતા અને કમલમમાં આવ્યા બાદ તેમણે આ બેઠક માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.
પરંતુ ભાજપે તેમને પક્ષે ટીકીટ આપી નથી. આ જ રીતે અલ્પેશ ઠાકોરની સાથે જ પક્ષાંતર કરીને ભાજપમાં આવેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ ભાજપે ફરી ટીકીટ આપી નથી. ઝાલા પેટાચૂંટણીમાં પરાજીત થયા હતા. અને તેમના સાથીદાર અલ્પેશ ઠાકોરને ભાજપે ટફ જેવી ગાંધીનગર દક્ષિણ બેઠક માટે લડવા જણાવ્યું છે પરંતુ ધવલસિંહ ઝાલાને પડતા મુક્યા છે. આ જ રીતે કોંગ્રેસના વર્ચસ્વ હેઠળની ભીલોડાની બેઠકમાં સાંસદ અનિલ જોષીયારાના મૃત્યુ બાદ તેમના પુત્ર કેવલ જોષીયારા ભાજપમાં જોડાય ગયા હતા અને તેઓ પોતાના પિતાની બેઠક પર ચૂંટણી લડવા આતુર હતા પરંતુ ભાજપે તેમને પણ ટીકીટ ન આપતા જોષીયારાના ટેકેદારોમાં આક્રોશ છે. આ ઉપરાંત અમદાવાદમાં વિપક્ષના નેતા તરીકે કાર્યરત દિનેશ શર્મા થોડો સમય પહેલા ભાજપમાં જોડાયા હતા તેઓને અમદાવાદના બાપુનગરમાંથી ચૂંટણી લડવી હતી પરંતુ પક્ષે તેમને ટીકીટ આપી નથી. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code