1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો પરિસંવાદ કાર્યક્રમ યોજાશે
અમદાવાદમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો પરિસંવાદ કાર્યક્રમ યોજાશે

અમદાવાદમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો પરિસંવાદ કાર્યક્રમ યોજાશે

0
Social Share

અમદાવાદઃ અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા તા. ૩૦ માર્ચ ૨૦૨૫ના રોજ રવિવારે હીરક મહોત્સવ હોલ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમરોડ રોડ ખાતે ‘ સાંપ્રત શિક્ષણ પ્રથાને અસર કરતી સંજીવની : રામકાલીન શિક્ષણ પ્રણાલી ‘ આ વિષય પર સવારે 9:00 થી બપોરે 1:45  સુધી પરિસંવાદ યોજાશે. અભ્યાસુ વક્તાઓ આ વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરશે. તેમજ કેટલાક પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. આ ઉપરાંત ‘ સાંપ્રત શિક્ષણ પ્રથાને અસર કરતી સંજીવની : રામકાલીન શિક્ષણ પ્રણાલી ‘ આ વિષયના જ અચલાના  વિશેષાંકનું પણ વિમોચન કરવામાં આવશે. આજ સમારંભમાં બપોરે સાડા બાર વાગે દસ શ્રેષ્ઠ શિક્ષકો, દસ સારસ્વતો અને બે  વિશિષ્ટ પ્રતિભા સન્માન અર્પણ કરી સાધકોનું સન્માન કરવામાં આવશે.

આ સત્રમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી, ભારત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી, લેખક અને વક્તા ડૉ. રમેશ પોખરિયાલ  ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યસચિવ પી.કે.લહેરી, કટાર લેખક અને પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્વેતાંક(સંજ્ય) એમ પટેલ, વિશિષ્ટ્ર વક્તા તરીકે વરિષ્ઠ સંસ્કૃત તજજ્ઞ ડો. વિજ્યભાઈ પંડ્યા અને કે.એમ યુનિવર્સિટીના કુલપતિ સુભાષભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદઘાટન રાજ્યના શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, મુખ્ય મહેમાન તરીકે કેળવણીકાર પ્રો.ડો.વિઠ્ઠલભાઈ પટેલ અને ક્રાફ્ટ રૂટ્સ અને ગ્રામશ્રીના સંસ્થાપક અને સંચાલિકા અનાર જયેશભાઈ પટેલ હાજર રહેશે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code