1. Home
  2. ગુજરાતી
  3. ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ઉત્તરકાશીના ચિન્યાલિસોડ એરપોર્ટ પર વાયુસેના કરશે રાત્રી અભ્યાસ- તૈયારીઓ શરુ
ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ઉત્તરકાશીના ચિન્યાલિસોડ એરપોર્ટ પર વાયુસેના કરશે રાત્રી અભ્યાસ- તૈયારીઓ શરુ

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ઉત્તરકાશીના ચિન્યાલિસોડ એરપોર્ટ પર વાયુસેના કરશે રાત્રી અભ્યાસ- તૈયારીઓ શરુ

0
Social Share
  • વાયુસેના ઉત્તરકાશીના ચિન્યાલિસોડ ખાતે કરશે અભ્યાસ
  • આ અભ્યાસ તાર્તિ દરમિયાન કરાશે
  • વિતેલી રાતથી તૈયારીઓ શરુ કરાઈ

દહેરાદૂન-  ચીન સાથેના તણઆવ બાદ ભારતીય વાયુસેના સતત સક્રિય બની છે,અનેક યુદ્ધ અભ્યાસ પણ કર્યા છે ત્યારે હવે ભારત-ચીન સરહદને અડીને આવેલા ઉત્તરકાશીના સરહદી જિલ્લામાં બનેલું ચિન્યાલિસૌર એરપોર્ટ પર એરફોર્સ રાત્રિના સમયે તેની કવાયત કરશે.

એરફઓર્સની  આ ખાસ કવાયત માટે હેલિકોપ્ટર દ્વારા એરપોર્ટ પર નાઇટ સિગ્નલ લાઇટો નાખવામાં આવી હતી. કહેવામાં આવ્યું છે કે વાયુસેનાની નાઇટ કવાયત સાંજે 7 થી 10 વાગ્યા સુધી ચાલશે.

ચીન સરહદને કારણે અતિ મહત્વના ચિન્યાલિસોડ એરપોર્ટના વિસ્તરણની યોજના હાલમાં બજેટના અભાવે પેન્ડિંગમાં છે. આ એરપોર્ટ 1992-93માં બનાવવામાં આવ્યું હતું. 2013-14માં ઉત્તરાખંડ સરકારે તેના વિસ્તરણ અને સુંદરતા માટે એક યોજના તૈયાર કરી હતી

એરફોર્સ ચિન્યાલિસૌર એરપોર્ટને તેનું એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનાવવાની પ્રક્રિયામાં છે. મલ્ટીરોલ એરક્રાફ્ટ AN 32 સહિત ચિનૂક, અપાચે, ડોનેર, Mi 17, હર્ક્યુલસની સફળ લેન્ડિંગ અને ટેક-ઓફ કવાયત અહીં કરવામાં આવી છે. આ એરપોર્ટ પર રાત્રિના સમયે ઉતરાણ કરવાની સુવિધા નહોતી. હવે એરફોર્સે અહીં ઈમરજન્સી માટે રાત્રી કવાયતની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રવિવારે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ, વાયુસેનાનું હેલિકોપ્ટર બરેલી એરબેઝથી ગૌચર અને પછી ચિન્યાલિસોડ એરપોર્ટ પર ઉતર્યું જ્યાંથી નાઇટ સિગ્નલ લાઇટો નાખવામાં આવી હતી. તેમની મદદથી હવે એરફોર્સ અહીં રાત્રી કવાયત કરશે. યુપી નિર્માણ નિગમના એન્જિનિયરે આ એરપોર્ટ પર એરફોર્સની કવાયતની પુષ્ટિ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code