1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમરેલીઃ નારાયણ સરોવરમાં નહાવા પડેલા પાંચ બાળકોના ડુબી જવાથી મોત
અમરેલીઃ નારાયણ સરોવરમાં નહાવા પડેલા પાંચ બાળકોના ડુબી જવાથી મોત

અમરેલીઃ નારાયણ સરોવરમાં નહાવા પડેલા પાંચ બાળકોના ડુબી જવાથી મોત

0
Social Share

અમદાવાદઃ અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરોના ડુબી જતા મોત થતા ખળભળાટ મચી ગયો હતો. પાંચ બાળકો નારાયણ સરોવરમાં નહાવા પડ્યાં હતા. પાંચ બાળકોના ડુબી જવાથી મોત થતા સંમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દુધાળા ગામના નારાયણ સરોવરમાં પાંચ બાળકો નહાવા પડ્યાં હતા. કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા પાંચેય બાળકો નહાવા પડ્યાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન આ યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાંચ બાળકોના ડુબી ગયાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા. તેમજ ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તરવૈયાઓએ ભારે જહેમત પાંચેય મૃતદેહ બહાર કાઢ્યાં હતા. તેમજ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. આ ઘટનાને પગલે પરિવારના માથે આભ તૂટી પડ્યુ હતું.

નહાવા પડેલા પાંચ બાળકોના ડુબી જવાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code