
આંધ્રપ્રદેશ: એક દિવસમાં 13.72 લાખ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન
- આંધ્રપ્રદેશમાં કોરોના રસીકરણનો બન્યો રેકોર્ડ
- એક દિવસમાં 13.72 લાખ લોકોને અપાઈ રસી
- મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય કર્મચારીને આપી બધાઈ
હૈદરાબાદ : સોમવારે કેન્દ્રની નવી કેન્દ્રિત રસીકરણ નીતિના પ્રથમ દિવસે આંધ્રપ્રદેશમાં કોરોના રસીના 13,72,481 ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિડ -19 સમીક્ષા બેઠકમાં બોલતા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, રાજ્યમાં સામૂહિક રસીકરણ માટે અસરકારક મિકેનિઝમ છે. આ સાથેતેમણે આરોગ્ય વિભાગના કર્મચારીઓને એક જ દિવસમાં રેકોર્ડ નંબરની રસી વહીવટ કરીને નવો રેકોર્ડ સ્થાપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સીએમ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, તેમણે સાબિત કરી દીધું છે કે જો રાજ્યને રસી ઉપલબ્ધ કરવામાં આવે તો તેઓ મોટી સંખ્યામાં રસી આપી શકે છે. રાજ્યમાં આશા વિભાગના કાર્યકરો, એએનએમ, ગામ / વોર્ડ સચિવાલયના કર્મચારીઓ અને દરેક વિભાગમાં બે પીએચસીની એક અસરકારક સિસ્ટમ છે. તેણે કહ્યું કે, એકવાર રસી ઉપલબ્ધ થયા બાદ તેણે વધુ એક મેગા ડ્રાઈવ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
રાજ્યમાં કોરોના રસીના 1 કરોડ 37 લાખ 42 હજાર 417 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 82 લાખ 77 હજાર 225 પ્રથમ ડોઝ અને 27 લાખ 32 હજાર 596 બીજો ડોઝ સામેલ છે. બેઠક દરમિયાન અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, રાજ્યમાં એક દિવસમાં લગભગ 20 થી 25 લાખ રસી આપવાની ક્ષમતા અને તંત્ર છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 62,068 પર આવી ગયા છે અને પોઝિટિવિટી દર 5.65 ટકા છે. દરમિયાન રિકવરી રેટ 95.93 ટકા સુધી ગયો છે. રાજ્યમાં હાલમાં 2,655 આઇસીયુ બેડ અને 13,824 ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે.