મુંબઈ : ટેલિવિઝન ઉપર ટોપ શો અનુપમા હવે નવો ટવીસ્ટ આવી રહ્યો છે. વનરાજનો રોલ કરનારા અભિનેતા સુધાંશુ પાંડે સોશિયલ મીડિયામાં વનરાજ અને કાવ્યા ના લગ્ન નો ફોટો શેર કર્યો છે. ફોટો જોઈને ટીવી સિરિયલ ના ચાહકો ચોંકી ઉઠયા છે તેમજ સોશિયલ મીડિયામાં વનરાજને લગ્નની કરવા માટે જણાવી રહ્યા છે.
ટીવી સિરિયલ અનુપમાં દર્શકોની સૌથી લોકપ્રિય સિરિયલ બની ચૂકી છે 25 વર્ષના લગ્નજીવન બાદ અનુપમા અને વનરાજ ના છૂટાછેડા થયા છે હવે વનરાજ અને કાવ્યા સાથે લગ્ન કરવાના લઈને એપિસોડો આવી રહ્યા છે વનરાજ લગ્ન કરવા તૈયાર નથી તેમજ તેના પરિવારજનો પણ લગ્નનો વિરોધ કરી રહ્યા છે. વનરાજનો અભિનય કરનારા સુધાંશુ પાંડે એ સોશિયલ મીડિયામાં કાવ્ય સાથે લગ્ન નો ફોટો શેર કર્યો છે. ફોટામાં મેદલસા શર્મા સાથે લગ્ન કરતો જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું છે કે આ લગ્ન બધુ બદલી નાખશે. તાજેતરના એપિસોડમાં એવું બતાવવામાં આવ્યું કે કાવ્યા વનરાજ સાથે લગ્નની ચર્ચા કરે છે.
અનુપમા એક ખૂબ પ્રખ્યાત શો છે અનુપમા શો રૂપાલી ગાંગુલીની આસપાસ ફરે છે તાજેતરમાં જ શો માં તેણીના પતિ વનરાજ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. હવે સુધાંશુ પાંડેએ કાવ્યા ઉર્ફે મદલસા શર્મા સાથે લગ્ન કરી લીધા હતા.સુધાંશુ શર્મા સાથે લગ્ન કર્યા હતા અને તેના લગ્ન શેર કર્યા હતા.
ફોટામાં બંને લગ્નના દંપતીમાં જોવા મળી રહ્યા છે આ ફોટાને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ચાહકો સુધાંશુ પાંડેને આ લગ્ન ન કરવા વિનંતી કરી રહ્યા છે આ શો સાથે જોડાયેલા લોકો બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે અનુપમા એક લોકપ્રિય શો છે આમાં રૂપાલી ગાંગુલી તે અનુપમાની ભૂમિકા નિભાવી રહી છે. તેણે આ શોથી ટીવી પર કમબેક કર્યું છે, જ્યારે સુધાંશુ પાંડે મદલસા શર્માની પણ આ શોમાં મહત્વની ભૂમિકા છે.
રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરે છે જે એકદમ વાયરલ પણ થાય છે.