નવા વર્ષ પેહલા સરકાર જનતા પર મહેરબાન , ડુંગળી અને ખાંડની કિંમતોમાં ઘટાડો કરવા લેશે આ પગલું
દિલ્હી – દેશભરમાં દિવાળીના આરંભથી જ ડુંગળીના ભાવ વધ્યા હતા ત્યારે હવે કેન્દ્રની સરકાર ડુંગળી અને ખાંડના ભાવ ઘટાડવા માટેના પ્રયત્નમાં જોપત્રે છે એટલેકે દેશની જનતાને હવે ઓછા દરોમાં ખાંડ અને ડુંગળી સરકાર ઉપલબબદ્ધ કરાવશે .
આ બાબતને લઈને પ્રાપ્ત જાણકારી અનુસાર ખાદ્યપદાર્થોના ભાવને અંકુશમાં લેવા અને સ્થાનિક બજારમાં તેમની ઉપલબ્ધતાને વધારવા માટે વધુ પગલાં લેતા સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો અને ખાંડની મિલો અને ડિસ્ટિલરીઓને 2023-24 માટે ઇથેનોલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.
આ સાથે જ શેરડીના રસ અથવા શરબતનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. મોદી સરકારનો આ નિર્ણય ઘણી રીતે મહત્વપૂર્ણ છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર હવે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને દર અઠવાડિયે 4 લાખ ટન ઘઉં વેચવાની મંજૂરી આપી શકે છે, જે હાલમાં માત્ર 3 લાખ ટન છે. જો ખાદ્યપદાર્થોના ભાવ ઘટે છે, તો ફુગાવો 5 ટકાથી ઓછા ચાર મહિનાની નીચી સપાટીએ આવવાની ધારણા છે.
ખાદ્યપદાર્થોની ઘટતી કિંમતોને કારણે ફુગાવો 5 ટકા કરતા પણ ઓછાના ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી જવાની વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. આ સાથે જ દેશમાં ડુંગળીના ભાવ આસમાને છે. હાલમાં ભારતીય બજારમાં ડુંગળીનો ભાવ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો છે. આવી સ્થિતિમાં ડુંગળીની નિકાસની અહીં કિંમતો પર મોટી અસર પડે છે. સરકારે ડુંગળીના ભાવ ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આ વર્ષે ખાંડના ઓછા ઉત્પાદનને જોતા સરકારે ઈથેનોલ માટે શેરડીના રસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.