
G20 સમિટમાં પીએમ મોદીએ સાબરમતી આશ્રમનો પરિચય કરાવતા ખાદીથી મહેમાનોનું કર્યું સ્વાગત
દિલ્હીઃ- ભારત હાલ જી 20 સમિટમાં વ્યસ્ત છે ભારતમાં G20 સમિટનો આજે બીજો દિવસ છે. આજે, શિખર બેઠક પહેલા, તમામ G20 દેશોના નેતાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યા, જ્યાં વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું.
મહત્વની વાત એ છે કે આ દરમિયાન પીએમ મોદી જ્યાં ઉભા રહીને વિદેશી મહેમાનોનું અભિવાદન કરી રહ્યા હતા તેની પાછળ સાબરમતી આશ્રમના ફોટો લગાડવામાં આવ્યા હતા પીએમ મોદીએ પહેલા તમામ મહેમાનોને ખાદીના વસ્ત્રો પહેરાવીને આવકાર્યા અને પછી સાબરમતી આશ્રમ વિશે માહિતી આપી.
આ પહેલા શનિવારે જ્યારે પીએમ મોદી G20 સમિટમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ ઓડિશાના પ્રખ્યાત કોણાર્ક ચક્રના ફોટાઓ મૂકવામાં આવ્યા હતી. પીએમ મોદીએ મહેમાનોને કોણાર્ક ચક્ર વિશે પણ માહિતી આપી હતી.આ સમિટ જરમિયાન ભઆરતની સંસ્કૃતીની ઝલક આપવામાં આવી રહી છે.
જો સાબરમતી આશ્રમની વાત કરીએ તો સાબરમતી આશ્રમ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો વારસો અને સ્વતંત્રતા ચળવળનો વારસો છે. આ આશ્રમ વર્ષ 1917માં સાબરમતી નદીના કિનારે બનાવવામાં આવ્યું હતો. મહાત્મા ગાંધી આ આશ્રમમાં 1917 થી 1930 સુધી રહ્યા હતા. તેમના રોકાણ દરમિયાન સાબરમતી આશ્રમે દાંડી કૂચ સહિત અનેક ઐતિહાસિક ઘટનાઓ જોઈ. આ આશ્રમ મહાત્મા ગાંધીની શાંતિ અને સાદગીનો પુરાવો માનવામાં આવે છે.ત્યારે હવે જી 20માં વિદેશી મહેમાનોને આ આશ્રઙમનો પણ પરિચય કરાવાયો હતો.