1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. ઘરના મુખ્ય દરવાજા પર અવશ્ય લગાવો આ વસ્તુઓ,ધનનો થશે વરસાદ
ઘરના મુખ્ય દરવાજા પર અવશ્ય લગાવો આ વસ્તુઓ,ધનનો થશે વરસાદ

ઘરના મુખ્ય દરવાજા પર અવશ્ય લગાવો આ વસ્તુઓ,ધનનો થશે વરસાદ

0
Social Share

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરમાં સુખ અને સકારાત્મક ઉર્જા આવે છે, જેના કારણે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.તેની અસર ઘરમાં રહેતા લોકો અને તેમની પ્રગતિ પર પડે છે. તેથી, જો તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી, તો તમારે પણ વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી ઘરના મુખ્ય દરવાજા પર શુભ વસ્તુઓ રાખવી જોઈએ. આવો જાણીએ શું છે તે વસ્તુઓ.

દેવી લક્ષ્મીની તસ્વીર

ઘરના પ્રવેશદ્વાર પર દેવી લક્ષ્મી અને કુબેરની તસ્વીર લગાવવી શુભ હોય છે.આનાથી ન માત્ર પૈસાનો ફાયદો થાય છે, પરંતુ ખરાબ નજરવાળા લોકોથી ઘરનું રક્ષણ પણ થાય છે.

સ્વસ્તિક પ્રતીક

આર્થિક સ્થિતિ સારી રહે તે માટે ઘરમાં કોઈ વાસ્તુ દોષ ન હોવો જોઈએ.આ માટે ઘરના વાસ્તુ દોષોને દૂર કરવાના ઉપાય કરવા જોઈએ.ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિન્હ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

મા લક્ષ્મીના ચરણ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મીના ચરણનું ચિત્ર લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ઘરના મુખ્ય દ્વાર પર દેવી લક્ષ્મીના ચરણ જરૂર લગાવો

ગણેશજીની તસવીર

ગણેશજીને ઘરના મુખ્ય દ્વાર પર મૂકો.ગણેશજીને એવી રીતે મૂકો કે તેમની પીઠ બહારની તરફ હોય. અંદર ગણેશજીનું મુખ રાખવાથી વિઘ્નોનો નાશ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.

આ બાબતોનું રાખો ધ્યાન

1. ઘરનો મુખ્ય દરવાજો ઘરના અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ.આ દરવાજો બંને બાજુથી ખુલ્લો હોવો જોઈએ.
2. ઘરનો દરવાજો ખોલતી વખતે ધ્યાન રાખો કે તેમાં અવાજ ન આવે.તે નકારાત્મકતાનું પ્રતીક છે. જ્યારે દરવાજામાંથી અવાજ આવે ત્યારે તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરો.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code