1. Home
  2. ગુજરાતી
  3. ફેબ્રુઆરી મહિનામાં બેંકો આટલા દિવસ રહેશે બંધ, જુઓ રજાઓની યાદી

ફેબ્રુઆરી મહિનામાં બેંકો આટલા દિવસ રહેશે બંધ, જુઓ રજાઓની યાદી

0
Social Share
  • ફેબ્રુઆરી મહિનામાં આ દિવસે બેંકોમાં રહેશે રજા
  • તેથી અહીંયા આપેલી રજાઓ જોઇને તમે કરી શકો છો કામનું પ્લાનિંગ
  • દરેક રાજ્યોમાં તહેવારોને આધારે રજા અલગ અલગ હોય છે

નવી દિલ્હી: જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે જો તમે આગામી મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં બેંકને લગતા કામકાજો માટે પ્લાનિંગ કરી રહ્યા હોય તો પહેલા એકવાર આ કેલેન્ડર જરૂર વાંચી લેજો. કારણ કે બની શકે કે જે દિવસે તમે બેંકમાં જાવ એ દિવસે ત્યાં તાળુ જોવા મળે. ફેબ્રુઆરીમાં ક્યાં ક્યાં દિવસે બેંક બંધ રહેશે તેના વિશે અહીંયા વાંચો.

1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. દેશની સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વાર્ષિક રજાઓની યાદીઓ જાહેર કરવામાં આવી છે અને તે અનુસાર આ વર્ષે બેંક લગભગ 40થી વધુ દિવસ સુધી બંધ રહેશે. તેમાં શનિવાર તેમજ રવિવારની રજા પણ સામેલ છે. બેંક રવિવાર ઉપરાંત મહિનાની બીજા અને ચોથા શનિવારે પણ બંધ રહે છે.

ફેબ્રુઆરી મહિનામાં બેંકોની વધુ રજા નથી. અલગ-અલગ રાજ્યોમાં તેમના તહેવારોને આધારે બેંકોની રજાઓ છે. ફેબ્રુઆરીમાં 12 જાન્યુઆરીના રોજ સોનામ લોસારના અવસર પર સિક્કિમની બેંકોમાં રજા છે. 13 ફેબ્રુઆરીએ બીજો શનિવાર છે, એટલા માટે બેંક બંધ રહેશે, 15 ફેબ્રુઆરીના રોજ લુઇ નગાઇના અવસર પર મણિપુર બેંક બંધ રહેશે.

16 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના અવસર પર હરિયાણા, ઓડિશા, પંજાબ, ત્રિપુરા અને પશ્વિમ બંગાળમાં બેંક બંધ રહેશે. આ ઉપરાંત 19 ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના અવસર પર મહારાષ્ટ્રની બેંક બંધ રહેશે. 20 ફેબ્રુઆરીના રોજ મિઝોરમ બેંક બંધ રહેશે. 26 ફેબ્રુઆરીના રોજ હજરલ અલી જયંતિના અવસર પર ઉત્તર પ્રદેશની બેંકોમાં રજા રહેશે. 27 ફેબ્રુઆરીના રોજ ગુરૂ રવિદાસ જયંતિના અવસર ચંદીગધ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબની બેંક બંધ રહેશે.

12 ફેબ્રુઆરી 2021: શુક્રવાર-સોનમ લોસાર- સિક્કિમ
13 ફેબ્રુઆરી 2021: બીજો શનિવાર
15 ફેબ્રુઆરી 2021: સોમવાર- લુઇ નગાઇ ની- મણિપુર
16 ફેબ્રુઆરી 2021: મંગળવાર- વસંત પંચમી- હરિયાણા, ઓડિશા, પંજાબ, ત્રિપુરા અને પશ્વિમ બંગાળ
19 ફેબ્રુઆરી 2021: શુક્રવાર – છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ – મહારાષ્ટ્ર
20 ફેબ્રુઆરી 2021: શનિવાર- અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમ સ્ટેટ ડે- અરૂણાચલ અને મિઝોરમ
26 ફેબ્રુઆરી 2021: શુક્રવાર – હઝરત અલી જયંતિ- ઉત્તર પ્રદેશ
27 ફેબ્રુઆરી 2021: ચોથો શનિવાર- ગુરૂ રવિદાસ જયંતિ- ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ

બેંકોની શાખાઓ બંધ હોય તો પણ તમે ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી અનેક કામકાજ પતાવી શકો છો. RBI અનુસાર દરેક રાજ્યોમાં બેંકની રજાઓ અલગ અલગ હોઇ શકે છે. તેથી તમામ ગ્રાહકો બેન્કિંગ સાથે સંકળાયેલા કામકાજો એ રીતે પ્લાનિંગ કરીને પતાવી શકે છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code