1. Home
  2. ગુજરાતી
  3. ગરમી ઘટાડવા મકાનના છત પર પાણી છાંટવાથી તાપમાન ઘટે છે કે વધે, જાણો..
ગરમી ઘટાડવા મકાનના છત પર પાણી છાંટવાથી તાપમાન ઘટે છે કે વધે, જાણો..

ગરમી ઘટાડવા મકાનના છત પર પાણી છાંટવાથી તાપમાન ઘટે છે કે વધે, જાણો..

0
Social Share

રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે સ્થિતિ એવી છે કે કેટલાક રાજ્યો અને શહેરોનું તાપમાન 45 થી 50 ડિગ્રીની વચ્ચે પહોંચી રહ્યું છે. કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી તેવી સ્થિતિ છે. પણ સવાલ એ છે કે આટલી ગરમીમાં સાંજે ટેરેસ પર પાણી રેડવાથી ઘરનું તાપમાન ઘટે છે? કે તાપમાન વધે છે.

ઘરનું તાપમાન
ગરમીના કારણે ઘરનું તાપમાન પણ વધી જાય છે. એટલું જ નહીં ખુલ્લા પગે તમે ટેરેસ પર જઈ નથી શકતા, કેમ કે ટેરેસ એટલું ગરમ થાય છે કે પગ બળી જાય છે. ટેરેસના ગરમ થવાના કારણે ઘરના અંદરનું તાપમાન પણ વધી જાય છે. છતની નીચે રૂમનું તાપમાન સૌથી વધુ છે, જ્યારે નીચે રૂમનું તાપમાન ઓછું છે. જ્યારે પણ આપણે છત પર પાણીનો છંટકાવ કરીએ છીએ, ત્યારે તે વરાળમાં ફેરવાય છે અને આ પ્રક્રિયામાં જમીન દ્વારા ગરમીનું શોષણ થાય છે.

કઈ રીતે તાપમાન ઓછુ થશે
સાંજે ધાબા પર પાણી છાંટવાથી ઘર ઠંડુ થઈ શકે છે. એટલું જ નહીં, તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. ગરમ હવામાં શ્વાસ લેવાનું સરળ બનાવે છે. ટેરેસ પર પાણીનો છંટકાવ એ ગરમી ઘટાડવાનો સારો રસ્તો છે. તમે જોયું હશે કે ઉનાળામાં મોટાભાગના લોકો ઘરની ધાબા પર અને ઘરની સામે પાણીનો છંટકાવ કરે છે. જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થાય છે.

કેટલુ પાણી વાપરવું જોઈએ
તમે ઘરને ઠંડું કરવા માટે વધુ પડતા પાણીનો છંટકાવ કરો છો, તો તે છતને નુકસાન પહોંચાડે છે અને ઘરમાં ભીનાશ પેદા કરી શકે છે. તેથી, છત પર નિર્ધારિત માત્રામાં પાણીનો છંટકાવ કરવો જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code