1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

પ્રધાનમંત્રી મોદી અને અનવર ઇબ્રાહિમની હાજરીમાં ભારત-મલેશિયા વચ્ચે છ કરારો પર હસ્તાક્ષર

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની હાજરીમાં ભારત અને મલેશિયા વચ્ચે છ મુખ્ય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. કુઆલાલંપુરમાં યોજાયેલી આ દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન, બંને દેશો સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. પ્રધાનમંત્રી મોદીની મલેશિયાની બે દિવસીય મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વ્યાપક વાતચીત કરી […]

ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરારથી ભારતીય નિકાસકારો માટે અમેરિકાના દ્વાર ખુલ્યા

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકાના આર્થિક સંબંધોમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે. બંને દેશો વચ્ચે 500 અબજ ડોલર (આશરે રૂ. 45.29 લાખ કરોડ) ના વ્યાપારિક કરાર માટેના વચગાળાના માળખા પર સહમતી સધાઈ છે. આ સમજૂતી હેઠળ ભારતીય નિકાસકારોને અમેરિકાના 30 ટ્રિલિયન ડોલરના વિશાળ બજારમાં ‘મોસ્ટ પ્રિફર્ડ ડ્યુટી’ સાથે પ્રવેશ મળશે. કેન્દ્રીય […]

GCCI દ્વારા “ભારતમાં ફેમિલી ઓફિસની રચના અને વેલ્થ મેનેજમેન્ટ સોલ્યુશન્સ” પર માહિતીપ્રદ સત્રનું આયોજન

અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2026: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા શુક્રવાર, ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ GCCI ખાતે “ભારતમાં ફેમિલી ઓફિસની રચના અને વેલ્થ મેનેજમેન્ટ સોલ્યુશન્સ” વિષય પર એક અત્યંત માહિતીપ્રદ અને વિચારપ્રેરક સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં GCCIના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે ભારતીય વ્યાપારી […]

‘મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે’, ભારત-અમેરિકા વેપાર કરાર પર પીએમ મોદીનું નિવેદન

નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી 2026: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરાર માટે નવા જાહેર કરાયેલા માળખાની પ્રશંસા કરતા કહ્યું કે તે બંને દેશો વચ્ચેની ભાગીદારીની વધતી ઊંડાઈ, વિશ્વાસ અને ગતિશીલતાને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારત અને અમેરિકા […]

FASTag: એન્યુઅલ પાસ વપરાશકારોની સંખ્યા 50 લાખને પાર પહોંચી

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: ‘મુસાફરીની સરળતા’ (Ease of Commuting) ને વધારતા, FASTag એન્યુઅલ પાસે 15 ઓગસ્ટ 2025 ના રોજ લોન્ચ થયાના 6 મહિનાની અંદર 26.55 કરોડથી વધુ વ્યવહારો સાથે 50 લાખ વપરાશકર્તાઓને વટાવીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સીમાચિહ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર સીમલેસ (અવિરત) અને કરકસરભર્યો મુસાફરી વિકલ્પ પૂરો પાડવા […]

રશિયા પાસેથી ભારતે તેલની આયાતમાં કર્યો મોટો કાપ: આયાત 27 ટકા ઘટી

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ડિસેમ્બર 2025માં રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં ભારતે રશિયા પાસેથી 2.7 અબજ ડોલરનું તેલ ખરીદ્યું હતું, જે ફેબ્રુઆરી 2024 પછીનો સૌથી ઓછો આંકડો છે. અમેરિકા દ્વારા રશિયન તેલ કંપનીઓ પર લાદવામાં આવેલા […]

ભારતઃ RBI એ પોલિસી રેટ-રેપો રેટ યથાવત રાખ્યો

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પોલિસી રેટ, રેપો રેટ, યથાવત રાખ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રેપો રેટ 5.25% પર યથાવત રહેશે. આ નિર્ણયના પરિણામે, લોન વ્યાજ દર પણ યથાવત રહેશે. RBI ગવર્નરે તેની ત્રણ દિવસીય સમીક્ષા બેઠકમાં નાણાકીય નીતિ સમિતિ (MPC) ના નિર્ણયની […]

બિઝનેસ ગ્રોથ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગના ઉપયોગ વિશે GCCIમાં યોજાયું વિશેષ સત્ર

 અમદાવાદ, 6 ફેબ્રુઆરી, 2026 – social media marketing for business growth GCCI દ્વારા સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે “બિઝનેસ ગ્રોથ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગનો ઉપયોગ” વિશે આયોજિત સત્રમાં “ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા ક્વોલિટી લીડ્સ જનરેટ કરવા” પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. GCCI એ તારીખ 5 ફેબ્રુઆરી, 2026 ના રોજ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે […]

દિવા અને જીત અદાણીએ સંસારી જીવનનું પ્રથમ વર્ષ દિવ્યાંગ મહિલાઓની સંગે ઉજવ્યું

અમદાવાદ: ગુરુવારની સાંજે અમદાવાદના શાંતિગ્રામમાં આવેલી બેલ્વેડેર ક્લબના પટાંગણમાં અદાણી મંગલ સેવાએ ચિંતન, સાતત્ય અને પરિપૂર્ણતાના ભાવ સાથે તેની સ્થાપનાના એક વર્ષના રુડા અવસરની રંગદર્શી ઉજવણીમાં દિવા અને જીત અદાણી દ્વારા ૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ તેમના લગ્ન પ્રસંગે કરેલા આવકાર્ય નિર્ધારનો રણકો સંભળાયો. દિવ્યાંગોના શ્રેયાર્થની અદાણી યુગલની ધ્યેય નિષ્ઠાને સજોડે સીમાચિહ્નરૂપ બનાવી તેને સેવાનું […]

શેરબજારમાં તેજી પર બ્રેક: રોકાણકારોના 2.62 લાખ કરોડનું ધોવાણ

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2026: છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં જોવા મળી રહેલી હરિયાળી પર ગુરુવારે અચાનક બ્રેક લાગી ગઈ છે. સતત ઉપર ચઢી રહેલા બજારે સપ્તાહના ચોથા કારોબારી દિવસે યુ-ટર્ન લેતા રોકાણકારોને સંભળવાની તક પણ મળી ન હતી. બજારમાં જોવા મળેલી આ જબરદસ્ત વેચવાલીને કારણે રોકાણકારોની મહેનતની કમાણીના અંદાજે રૂ. 2.62 લાખ કરોડ ધોવાઈ ગયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code