1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

કેન્દ્ર સરકારને ચૂંટણી પંચના અધિકારીઓની નિયુક્તિ કરવાથી રોકો, સુપ્રીમ કોર્ટ પહોંચી કૉંગ્રેસ

નવી દિલ્હી: ચૂંટણી પંચમાં બે કમિશનરોની નિયુક્તિનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. અરુણ ગોયલના રાજીનામા બાદ અહેવાલ હતા કે આ સપ્તાહે કેન્દ્ર સરકાર બે કમિશનરોની નિયુક્તિ કરે તેવી શક્યતા છે. હવે કોંગ્રેસના નેતા જયા ઠાકુરએ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે કે 2023ના નિર્ણયને જોતા કેન્દ્ર સરકારને કમિશનરોની નિયુક્તિની પ્રક્રિયાથી રોકવામાં આવે. મહત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરીમાં […]

મમતા બેનર્જી કરશે કૉંગ્રેસના ચૌધરીને અધીર, બહરામપુરથી ક્રિકેટર યૂસુફ પઠાણ ટીએમસીના ઉમેદવાર

કોલકત્તા: ભૂતપૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણ પણ આ વખતે લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તેઓ ગુજરાતથી નહીં, પણ પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડવાના છે. યૂસુફ પઠાણને પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. એક રેલી દરમિયાન મમતા બેનર્જીએ તેમના નામની ટીએમસીના ઉમેદવાર તરીકે ઘોષણા કરી છે. ટીએમસીએ યૂસુફ પઠાણને બહરામપુર બેઠક પરથી ઉતારીને કોંગ્રેસ અને ખાસ […]

TMCએ તમામ 42 બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર, મમતા બેનર્જીએ ક્હ્યું- બંગાળ દેખાડશે માર્ગ

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ટીએમસીએ તમામ 42 બેઠકો પર ઉમેદવારોના નામ ઘોષિત કર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. તેની સાથે લિસ્ટની ઘોષણાની સાથે એ વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે અહીં મમતા બેનર્જીએ વિપક્ષી ગઠબંધન ઈન્ડી માટે કોઈ અવકાશ […]

રાહુલ ગાંધી કોંગ્રેસને સંપૂર્ણ રીતે ખતમ કરીને જ રાહતનો શ્વાસ લેશેઃ શિવરાજસિંહ ચૌહાણ

ભોપાલઃ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. મહાત્મા ગાંધીજી આઝાદી બાદ કહ્યું કે, કોંગ્રેસને ભંગ કરી દેવી જોઈ અને નવી રાજકીય પાર્ટી બનાવવી જોઈએ, પરંતુ જવાહરલાલ નહેરુએ સત્તાના સ્વાર્થના કારણોસર કોંગ્રેસને ભંગ ના કરી અને આંદોલનનો લાભ ઉઠાવ્યો હતો. જો કે, રાહુલ ગાંધી […]

MP: કોંગ્રેસ નેતા સુરેશ પચૌર અને પૂર્વ સાંસદ ગજેન્દ્ર રાજુખેડી ભાજપમાં જોડાયા

ભોપાલ: લોકસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ પચૌરી, ભૂતપૂર્વ સાંસદ ગજેન્દ્ર સિંહ રાજુખેડી અને ભૂતપૂર્વ ધારાસભ્યો અને અન્ય ઘણા લોકો શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં પચૌરી, રાજુખેડી અને અન્ય […]

થરાદમાં શાળાઓના બાળકોને મફતમાં અપાતા નવા પુસ્તકોનો જથ્થો પસ્તીના ગોદામમાંથી મળ્યો

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદમાં એક ખાનગી પેપર કતરણ કરતાં કારખાનામાંથી ધોરણ 2, 3, 5, 6, 7, 8 અને 10ના પુસ્તકોનો જથ્થો પસ્તીમાં મળી આવ્યો હતો. સરકારી શાળાઓના બાળકોને મફતમાં અપાતા નવા નક્કોર પાઠ્ય પુસ્તકોનો જથ્થો પસ્તીમાં મળી આવતા જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આદેશથી તાલુકા શિક્ષણ અધિકારી અને બીઆરસી કો-ઓર્ડીનેટર તાત્કાલિક […]

પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા ભાજપમાં ફરીથી જોડાય તેવી શકયતા

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા સહિતના સિનિયર નેતાઓ રાજીનામું આપીને ભાજપામાં જોડાઈ રહ્યાં છે. હવે સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન કનુભાઈ કલસારિયા ફરીવાર ભાજપામાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કનુભાઈ કલસરિયા અને ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે બેઠક બાદ આવી અટકળો વહેતી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા […]

ઓડિશામાં ભાજપ-બીજેડીનું ગઠબંધન નક્કી, જાણો સીટ શેયરિંગની કઈ ફોર્મ્યુલા પર બની છે વાત?

ભુવનેશ્વર: લોકસભા ચૂંટણી માટે ભાજપ ગઠબંધનના ગણિત હેઠળ એનડીએના સહયોગી દળો સાથે બેઠક વહેંચણી પર ચર્ચાને આખરી ઓપ આપવામાં લાગેલું છે. આ મુહિમ હેઠળ ભાજપે ઓડિશામાં પણ પોતાની તૈયારીઓને પૂર્ણ કરી લીધી છે. આ તૈયારીઓ હેઠળ ઓડિશાની સત્તામાં રહેલા મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજૂ જનતાદળ સાથે ભાજપના ગઠબંધનની વાત નક્કી થઈ ચુકી છે. આગામી લોકસભા ચૂંટણી […]

ગુજરાતમાં કૉંગ્રેસના વધુ એક ધારાસભ્યે આપ્યું રાજીનામું, MLA અરવિંદ લાડાણી જોડાશે ભાજપમાં

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાના રાજીનામા બાદ વધુ એક કોંગ્રેસી ધારાસભ્યે રાજીનામું આપ્યું છે. ગુજરાતની માણાવદરની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું. અરવિંદ લાડાણીએ આ સાથે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા પરથી પણ ત્યાગપત્ર આપી દીધું છે. એવું કહેવામાં આવે છે કે તેઓ ભાજપમાં સામેલ થવાના […]

Tamil Nadu: મદ્રાસ હાઈકોર્ટે ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી, સનાતન મામલામાં દાખલ અરજી ફગાવી

ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મને ળઈને આપેલા નિવેદન પર ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી છે. હાઈકોર્ટે ડીએમકેના નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને નામંજૂર કરી છે. સનાતન ધર્મને લઈને ઉદયનિધિ સ્ટાલિન, પી. કે. શેખરબાબુને ધારાસભ્ય પદેથી અને ડીએમકેના સાંસદ એ. રાજાને લોકસભા સદસ્યના પદ પરથી હટાવવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code