1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

સાંજની ભૂખ માટે ઝટપટ બનાવો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી દહીં બ્રેડ રોલ્સ, જાણો રેસીપી

જો તમે સાંજના નાસ્તામાં અથવા ઘરે આવતા મહેમાનો માટે કંઈક નવું અને ઝટપટ બની જાય તેવું સ્વાદિષ્ટ સ્નેક બનાવવા માંગો છો, તો ‘દહીં બ્રેડ રોલ્સ’ રેસીપી તમારા માટે બેસ્ટ છે. આ રોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન હોય છે, જ્યારે તેની અંદરનું દહીં અને મસાલાનું મિશ્રણ તેને ખૂબ જ સોફ્ટ અને ક્રીમી બનાવે છે. બાળકોથી […]

શેરબજારમાં તેજી: સેન્સેક્સ 504 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,350ને પાર

મુંબઈ, 17 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે યુદ્ધના વાદળો વિખેરાવાની આશા અને આર્થિક વાટાઘાટોના સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં શુક્રવારે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત મંત્રણાઓ પહેલા રોકાણકારોએ સાવચેતી સાથે ખરીદીનો અભિગમ અપનાવતા સેન્સેક્સ અને નિફ્ટી બંને મજબૂતી સાથે બંધ થયા હતા. દિવસના અંતે મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 504 પોઈન્ટ વધીને […]

હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે મેક્રોન અને સ્ટાર્મર એક વૈશ્વિક બેઠકનું આયોજન કરશે

ન્યૂયોર્ક, 17 એપ્રિલ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે નોંધપાત્ર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ જાળવી રાખવા માંગે છે, જ્યારે અમેરિકા ઈરાની બંદરો છોડીને જતા જહાજોને રોકી રહ્યું છે. આનાથી ઘણા દેશોની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. આ કારણોસર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ […]

ભારતીય હજયાત્રીઓનો પહેલો જથ્થો 18 એપ્રિલે રવાના થશે

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: ભારતથી વર્ષ 2026 માટે હજયાત્રા 18 એપ્રિલ, 2026ના રોજ શરૂ થવાની છે, જેમાં દેશના વિવિધ પ્રસ્થાન બિંદુઓથી યાત્રાળુઓનો પહેલો જથ્થો સાઉદી અરેબિયા જવા રવાના થશે. કુલ 1,75,025 યાત્રાળુઓ પવિત્ર હજયાત્રાએ જવાની અપેક્ષા છે. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તમામ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી અને સરળ, સલામત અને આરામદાયક હજ યાત્રા સુનિશ્ચિત […]

હિમાચલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય: ઉંચા પહાડો પર હિમવર્ષા, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે હિમાચલ પ્રદેશમાં હવામાન ફરી એકવાર બદલાયું છે. ગઈકાલ રાતથી રાજ્યના ઊંચા પર્વતમાળાઓમાં હળવી હિમવર્ષા ચાલુ છે. લાહૌલ-સ્પિતિ, કિન્નૌર, કુલ્લુ અને ચંબાના ઊંચા વિસ્તારોમાં સમયાંતરે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે શિમલા અને મનાલી જેવા મુખ્ય પર્યટન સ્થળો સવારથી વાદળછાયું છે. રાજ્યના ઘણા મધ્ય અને નીચલા પ્રદેશોમાં […]

ભારતીય સેનાએ 2026ને નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસિટી વર્ષ જાહેર કર્યું

ફ્યુચર રેડી ફોર્સ’ બનવા તરફ સેનાના મક્કમ ડગ: ડ્રોન યુદ્ધ અને આધુનિક ટેકનોલોજી પર અપાયો વિશેષ ભાર નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: 13 એપ્રિલ 2026ના રોજ શરૂ થયેલી છ-માસિક આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ (એસીસી) પૂર્ણ થઈ છે. આ કોન્ફરન્સની અધ્યક્ષતા આર્મી ચીફ દ્વારા કરવામાં આવી હતી. ટોચના લશ્કરી નેતૃત્વએ હાજરી આપી હતી, આ ઉપરાંત કેબિનેટ સચિવ, […]

ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અસર: IMFએ દુનિયાનો વિકાસ દર ઘટાડ્યો, ભારતની સ્થિતિ મજબૂત

વોશિંગ્ટન, 17 એપ્રિલ 2026: ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ તેના તાજેતરના અહેવાલમાં ચેતવણી આપી છે કે ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક અર્થતંત્રની ગતિ ધીમી પાડી દીધી છે. વર્ષની શરૂઆતમાં અર્થતંત્રમાં જે રિકવરી દેખાઈ રહી હતી, તે હવે યુદ્ધના કારણે અટકી ગઈ છે. આઈએમએફએ વર્ષ 2026 માટે વૈશ્વિક વિકાસ દરનો અંદાજ 3.4 ટકાથી ઘટાડીને 3.1 ટકા […]

હરિવંશ સિંઘ સતત ત્રીજીવાર રાજ્યસભાના ઉપસભાપતિ પદે બિનહરીફ ચૂંટાયા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: રાજ્યસભામાં શુક્રવારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં મનોનીત સભ્ય હરિવંશ નારાયણ સિંઘને ફરી એકવાર ગૃહના ઉપસભાપતિ તરીકે બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે. પત્રકારત્વમાંથી રાજકારણમાં આવેલા હરિવંશજીનો ઉપસભાપતિ તરીકે આ સતત ત્રીજો કાર્યકાળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિમણૂકને વધાવતા તેમને ઉષ્માભર્યા અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કાર્યશૈલીની રજૂઆત કરી હતી. હરિવંશજીની વરણી […]

હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલા અંગે ભારતની ચિંતા: સુરક્ષા પરિષદમાં રશિયા-ચીનના વીટો પર તટસ્થ વલણ જાળવ્યું

વોશિંગ્ટન, 17 એપ્રિલ 2026: વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ શિપિંગ પર થઈ રહેલા હુમલાઓ અંગે ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જોકે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ઈરાન વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવ પર રશિયા અને ચીન દ્વારા કરવામાં આવેલા વીટોના મામલે ભારતે કોઈ પણ પક્ષ લેવાને બદલે તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો છે. […]

મની લોન્ડરિંગ અને જમીન કૌભાંડ મામલે પંજાબના મંત્રી સંજીવ અરોરાને ત્યાં EDના દરોડા

લુધિયાણા, 17 એપ્રિલ 2026: પંજાબના રાજકારણમાં આજે વહેલી સવારે ખળભળાટ મચી ગયો હતો જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા સ્થિત નિવાસસ્થાન અને અન્ય ઠિકાનાઓ પર દરોડા પાડ્યા હતા. આજે સવારે આશરે 7:00 વાગ્યે કેન્દ્રીય સુરક્ષા દળો સાથે પહોંચેલી ઈડીની ટીમે મંત્રીના નિવાસસ્થાનને ચારે બાજુથી ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન હાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code