1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

T20 વર્લ્ડ કપ: ભારત સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવાની PCBની માંગ નામંજૂર!

દુબઈ, 9 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ મૂકેલી 4 મુખ્ય માંગણીઓમાંથી 3 માંગણીઓને ICCએ સ્પષ્ટપણે ફગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ICCએ આ માંગણીઓને પોતાના અધિકારક્ષેત્રની બહાર ગણાવી છે. તાજેતરમાં પાકિસ્તાન ગયેલા […]

પાવભાજી હવે નવા અવતારમાં, ઘરે બનાવો ટેસ્ટી પાવભાજી પરાઠા

જો તમે રોજની રોટલી-શાક ખાઈને કંટાળ્યા હોવ અને કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવા માંગતા હોવ, તો ‘પાવભાજી પરાઠા’ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. મુંબઈની પ્રખ્યાત પાવભાજીનો મસાલેદાર સ્વાદ અને દેશી પરાઠાનું ક્રિસ્પી પડ, આ બંનેનું કોમ્બિનેશન ખાવાની મજા પડી જશે. આ વાનગી નાસ્તામાં, લંચમાં કે બાળકોના ટિફિન માટે પણ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વિકલ્પ […]

તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર મુસ્લિમો વર્ષમાં દરરોજ નમાઝ પઢી શકશે

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: તમિલનાડુની પવિત્ર તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર લાંબા સમયથી ચાલી રહેલા ‘કાર્તિગઈ દીપમ’ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, પહાડીના નેલ્લીથોપ્પુ વિસ્તારમાં મુસ્લિમ સમુદાય રમઝાન અને બકરી ઈદના અવસરે નમાઝ પઢી શકે છે, પરંતુ ત્યાં દરરોજ નમાઝ પઢવાની મંજૂરી આપી શકાય નહીં. જસ્ટિસ […]

પંજાબઃ લો કોલેજમાં યુવકે વિદ્યાર્થિનીની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યું

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પંજાબના તરનતારન જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉસ્મા ગામ ખાતે આવેલી લો કોલેજમાં એક માથાફરેલ યુવકે ક્લાસરૂમમાં ઘૂસીને વિદ્યાર્થિની પર અંધાધૂંધ ગોળીબાર કરી તેની હત્યા કરી નાખી હતી. આ ભયાનક કૃત્યને અંજામ આપ્યા બાદ યુવકે તે જ પિસ્તોલથી પોતાની જાતને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ લોહિયાળ […]

અસદ અલી (U13) રાઈઝીંગ સ્ટાર ટ્રોફીની સેમિફાઈનલમાં GCI નો વિજય

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026: અસદ અલી (યુ13) રાઈઝીંગ સ્ટાર ટ્રોફીની સેમિફાઈનલ જીસીઆઈ(બી) અને યુસીએ(એ) વચ્ચે અસદ અલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં જીસીઆઈનો 15 રનથી વિજય થયો હતો. યુસીએએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી જીસીઆઈની શરૂઆત ખરાબ રહી હતી અને 18 રનના સ્કોર ઉપર મિહીર અજય પટેલ […]

T20 વિશ્વકપઃ પાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા મુકી આટલી શરતો

નવી દિલ્હ, 9 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ ચાલી રહ્યો છે દરમિયાન પાકિસ્તાને રાજકીય કારણોસર તા. 15મી ફેબ્રુઆરીના રોજ ભારત સામે ક્રિકેટ મેચ રમવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ આઈસીસી દ્વારા પાકિસ્તાનને આ નિર્ણય ઉપર ફરીથી વિચારવા માટે કહી ચુક્યું છે. તેમજ પાકિસ્તાનમાં આઈસીસી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે બેઠક […]

વિશેષ લેખઃ સનાતન ધર્મનું નૈતિક માળખું, એપ્સટીન જેવાં કૌભાંડ અને નૈતિક પતન સામેનો રામબાણ ઈલાજ

(એપસ્ટિન ફાઈલ વિશે હાલ લગભગ બધા જાણે છે. તેના દ્વારા જે કૌભાંડ જાહેર થયું છે તેમાં દુનિયાના અનેક રાજકારણી, ઉદ્યોગપતિઓ, ફિલ્મી કલાકારો તથા અન્ય સેલિબ્રિટી સંડોવાયેલા છે. માનવતાને લાંછન લગાવે તેવું આ કૌભાંડ કેમ થયું અને આવું ન થાય તે માટે સનાતન સભ્યતામાં શું ઉપાય જણાવવામાં આવ્યા છે તે વિશે સુરતના અગ્રણી ડૉ. ગોપાલભાઈ ગોસ્વામી […]

પરીક્ષા પે ચર્ચા: નરેન્દ્ર મોદીએ કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિના બીજા એપિસોડમાં કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુના વિદ્યાર્થીઓની ઉર્જા અને જિજ્ઞાસાએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા છે. ‘પરીક્ષા પે ચર્ચા’ના બીજા એપિસોડની શરૂઆતમાં  પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વખતે કાર્યક્રમ કંઈક અલગ અને ખાસ છે. ઘણા વિદ્યાર્થીઓએ મને […]

નરેન્દ્ર મોદીએ જાપાનના તાકાઈચીને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રથમ મહિલા પીએમ સનાએ તાકાઈચીને તેમની ઐતિહાસિક ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા ભારત-જાપાનની વ્યૂહાત્મક મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો અને સંરક્ષણ તથા ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જાપાની સમકક્ષ સનાએ તાકાઈચીને ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ […]

હરિયાણાની જેલમાં રામ મંદિર ઉપર હુમલાના કાવતરાના આરોપીની હત્યા

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: હરિયાણાની ફરીદાબાદ જેલમાં શંકાસ્પદ આતંકવાદીની હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. નીમકા જેલમાં તિક્ષણ હથિયારના ધા ઝીંકીની અબ્દુલ રહેમાનની હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયું છે. મધ્ય રાત્રિ બાદ કેદી અરૂણ ચૌધરીએ રહેમાન ઉપર હુમલો કર્યો હતો. અબ્દુલ રહેમાન રામ મંદિરને બોમ્બથી ઉડાવવાના કાવતરામાં સામેલ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code