1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

PoKમાં 69 આતંકી લૉન્ચપેડ સક્રિય, 120 આતંકીઓ ઘુસણખોરી માટે જોઈ રહ્યાં છે મોકોઃ BSF

શ્રીનગર: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ગિલગિત-બાલ્ટિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા પછી પણ નિયંત્રણ રેખા (LoC)ની પાર હજુ પણ 69થી વધુ આતંકી લૉન્ચ પેડ સક્રિય છે. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કાશ્મીર ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  PoKમાં LoC સાથેના વિસ્તારોમાં 69 લૉન્ચપેડ હાલ સક્રિય […]

સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે અમદાવાદના આંગણે સ્વદેશોત્સવ

(અલકેશ પટેલ) અમદાવાદ, 1 ડિસેમ્બર, 2025ઃ Swadeshotsav organized in Ahmedabad સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે આગામી દિવસોમાં અમદાવાદમાં સ્વદેશોત્સવનું આયોજન થયું છે. વોકલ ફૉર લોકલનો મંત્ર હવે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન સ્પરૂપ લઈ રહ્યો છે તેવા સમયે સ્વદેશી ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આ અનોખા વેપાર મેળાનું આયોજન થઈ રહ્યું છે. હકીકતે સ્વદેશી જાગરણ  મંચ દ્વારા સૌપ્રથમ વખત 1991માં […]

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે બસોની અસુરક્ષિત ડિઝાઇન અંગે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી જાહેર પરિવહનની બસોમાં જોવા મળતી અસુરક્ષિત ડિઝાઇન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઘણા રાજ્યોમાં બસોમાં ડ્રાઇવરનો પૂરો કેબિન અલગ બનાવવામાં આવે છે, જેને આયોગે મુસાફરોના જીવના અધિકાર (સંવિધાનના કલમ 21)નું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. આયોગને […]

દક્ષિણ સીરિયાના ગામમાં ઇઝરાયલના હુમલામાં 13નાં મોત

દક્ષિણ સીરિયાના એક ગામમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે. મીડિયા અનુસાર મૃતકોમાં બાળકો પણ સામેલ છે, જેના કારણે આ ઘટના છેલ્લા કેટલાક મહિનાની સૌથી ઘાતક કાર્યવાહી તરીકે નોંધાઇ છે. સ્થાનિક ન્યુઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બેઇત જિન ગામના સ્થાનિક લોકો ઇઝરાયલી સૈનિકોને ટક્કર આપવા માટે સામેથી ઊભા રહ્યા, જેના […]

સોફ્ટવેર અપગ્રેડ માટે એરબસ A320 એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ, હવાઈ સેવાને વ્યાપક અસર પડશે

નવી દિલ્હીઃ વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્ર માટે મહત્વના સમાચાર છે કે સોફ્ટવેર અપગ્રેડ માટે આ સપ્તાહના અંતે એરબસ A320 એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ થવાનું છે, જેના કારણે ભારત સહિત વિશ્વભરમાં હવાઈ મુસાફરી પર અસર પડશે. આ સંભવિત અસુવિધાને ધ્યાનમાં રાખીને, દેશની અગ્રણી એરલાઇન્સ ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ મુસાફરો માટે એડવાઇઝરી જારી કરી છે. એર ઇન્ડિયાએ A320 એરક્રાફ્ટમાં સોફ્ટવેર […]

ભારતમાં હવે રોગચાળાની આગાહી માટે AI નો ઉપયોગ કરાશે

નવી દિલ્હીઃ ભારત હવે રોગ ફેલાવાની રાહ જોશે નહીં. દેશની આરોગ્ય સુરક્ષામાં એક મોટું પગલું ભરતા, સરકારે એક નવી સિસ્ટમ વિકસાવી છે જે રોગોના ફેલાવાની આગાહી કરવા માટે કૃત્રિમ બુદ્ધિ (AI) અને મોટા ડેટાનો ઉપયોગ કરશે. આ પ્રારંભિક ચેતવણી સિસ્ટમ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફ્લૂ જેવા રોગોના ફેલાવાને અટકાવવા માટે સમયસર તૈયારીઓ કરવામાં સક્ષમ બનાવશે.નવી દિલ્હીમાં […]

ગુજરાતમાં SIR માટે 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ

81%થી વધુ ગણતરી ફોર્મનું ડિજીટાઈઝેશન સંપન્ન 89.61% ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે ગાંધીનગર, 28 નવેમ્બર, 2025ઃ SIR in Gujarat સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર […]

ભારતે S-400 માટે મોટી ખરીદી શરૂ કરી, રશિયાથી 300 નવી મિસાઇલ ખરીદાશે

નવી દિલ્હીઃ ભારતે પોતાના વ્યૂહાત્મક એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે મોટી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રક્ષણ મંત્રાલય રશિયાની સરકારી કંપની રોસોબોરોનએક્સપોર્ટ પાસેથી લગભગ 300 નવી મિસાઇલ્સની ખરીદી માટે તૈયાર થઈ રહ્યું છે. આ નિર્ણય મે 2025માં થયેલા ઓપરેશન ‘સિંદૂર’ દરમિયાન S-400ના ભારે ઉપયોગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ખરીદીનો કુલ ખર્ચ […]

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4-5 ડિસેમ્બરે ભારત આવશે

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ભારત પ્રવાસની તારીખો નિશ્ચિત થઈ ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, પુતિન 4 અને 5 ડિસેમ્બરના રોજ ભારતના ઔપચારિક પ્રવાસે આવશે. આ દરમ્યાન તેઓ 23મી ભારત–રશિયા વાર્ષિક શિખર બેઠક (Annual Summit)માં હાજરી આપશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પુતિન 4 ડિસેમ્બરે ભારતમાં આવશે અને એ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવો મિથ હવે તૂટી ગયો છેઃ રામ માધવ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે દિલ્હીનાં લાલ કિલ્લા ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાએ એ મિથ તોડી નાખ્યો છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, “વિશ્વમાં લાંબા સમયથી આ વાત ફેલાવવામાં આવી કે શિક્ષણનો આતંકવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code