1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

યુએનમાં શહબાઝ શરીફે ફેલાવેલા જુઠ્ઠાણો ભારતે કર્યો પર્દાફાશ, આતંકવાદ મુદ્દે લીધુ આડેહાથ

ન્યુયોર્કઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UNGA) 80મા સત્રમાં ફરી એકવાર ભારત વિરોધી રાગ આલાપ્યો છે. પોતાના ભાષણમાં તેમણે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો તેમજ ભારત પર એકતરફી હુમલાનો આરોપ મૂક્યો હતો. આ ઉપરાંત ઇન્ડસ વોટર ટ્રીટી સ્થગિત કરવાની ભારતની કાર્યવાહી ગેરકાનૂની ગણાવીને તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારે પ્રશંસા કરી હતી અને તેમને […]

ગુરુગ્રામમાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવતીઓ સહિત 5ના મોત

ગુરુગ્રામ: ગુરુગ્રામમાં વહેલી સવારે પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 3 યુવતી સહિત પાંચ વ્યક્તિના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાના ગુરુગ્રામમાં શનિવાર વહેલી સવારે ભીષણ માર્ગ અકસ્માત […]

ઓડિશા સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને આપી દિવાળીની ભેટ, ભથ્થામાં 2 ટકા વધારો

નવી દિલ્હીઃ ઓડિશા સરકારે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU)માં કાર્યરત કર્મચારીઓને આર્થિક રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દિવાળી પહેલાં PSU કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે. આ નવા વધારાથી કર્મચારીઓનું કુલ ડીએ 53 ટકાથી વધીને 55 ટકા થઈ જશે. આ વધારાનો અમલ 1 […]

બ્રિક્સ તર્ક અને રચનાત્મક પરિવર્તનનો મજબૂત અવાજ છેઃ ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, બહુપક્ષવાદના દબાણના સમયમાં બ્રિક્સ તર્ક અને રચનાત્મક પરિવર્તનનો મજબૂત અવાજ છે. ડૉ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર દરમિયાન ન્યૂયોર્કમાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ વાત કરી હતી. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આ અશાંત વિશ્વમાં બ્રિક્સએ શાંતિ નિર્માણ, સંવાદ, રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાના […]

હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તારિક અહમદ મીરની સ્થાવર મિલકતો જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તારિક અહમદ મીરની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. તેના પર કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આતંકવાદીઓને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવાનો આરોપ છે. એજન્સીએ આ વર્ષે એપ્રિલમાં જમ્મુ સ્થિત NIA ની વિશેષ અદાલતના આદેશ પર તારિકની ધરપકડ કરી હતી. તેની સામે ચાર્જશીટ પણ […]

રાષ્ટ્રપતિએ અલ્હાબાદ વડી અદાલતમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્હાબાદ વડી અદાલતમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી છે. જેમાં વરિષ્ઠ વકીલો વિવેક સરન, ગરિમા પ્રસાદ અને સુધાંશુ ચૌહાણનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ વડી અદાલતમાં બે ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કર્ણાટક વડી અદાલતમાં એક કાયમી ન્યાયાધીશ અને ત્રણ વધારાના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો મુખ્ય […]

ભારતે શક્ય તેટલી વહેલી તકે ક્રૂડ ઓઇલ આયાત પરની તેની નિર્ભરતા ઘટાડવી જોઈએઃ ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતના પ્રથમ હાઇડ્રોજન હાઇવેનું ઉદ્ઘાટન કર્યું. આ હાઇવે બનાવવાનો હેતુ ગ્રીન હાઇડ્રોજન પહેલને પ્રોત્સાહન આપવાનો અને લાંબા અંતરના માલ પરિવહનને સ્વચ્છ ઉર્જા સાથે જોડવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ, મુખ્ય રાષ્ટ્રીય હાઇવે કોરિડોર પર હાઇડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં, ગડકરીએ કહ્યું, “હાઇડ્રોજન ભવિષ્યનું ઇંધણ છે.” તેમણે માહિતી […]

કાર ખરીદવાની રીતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્રાંતિકારી બદલાવ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર ચેટબોટ્સ કે ટેક ઉદ્યોગ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ કાર ખરીદવાની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. તાજા અહેવાલ મુજબ, વર્ષ 2030 સુધી દુનિયાભરમાં 4થી 5 કરોડ કાર ડીલ્સ પર જનરેટિવ AI આધારિત અસિસ્ટન્ટ્સનો સીધી અસર જોવા મળશે. ઓપનએઆઈ અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG)ની રિપોર્ટ અનુસાર, જે વાહન […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું નવુ ફરમાન: અનેક પ્રાંતોમાં ફાઇબર-ઓપ્ટિક ઇન્ટરનેટ બંધ કરાયાં

કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ઇન્ટરનેટ પર કડક નિયંત્રણ લગાવવાનું શરૂ કર્યું છે. “અનૈતિકતા રોકવા”ના નામે અનેક પ્રાંતોમાં ફાઇબર-ઓપ્ટિક ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. ઓગસ્ટ 2021માં સત્તા સંભાળ્યા બાદ તાલિબાનનો આ પ્રકારનો આ પહેલો આદેશ છે. આ નિર્ણય બાદ સરકારી કચેરીઓ, ખાનગી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાન્ય ઘરોમાં વાઇ-ફાઇ ઇન્ટરનેટ ઉપલબ્ધ નહીં થાય.. જો […]

ચીન સૌથી મોટો કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષક દેશ, 2023માં 11.9 અબ મેટ્રિક ટન ધુમાડો ફેલાવ્યો

નવી દિલ્હીઃ કાર્બન ડાયોક્સાઇડનું વધતું ઉત્સર્જન વૈશ્વિક તાપમાનમાં વધારો અને જલવાયુ પરિવર્તન માટે મુખ્ય કારણ માનવામાં આવે છે. આ માત્ર પર્યાવરણને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં, પરંતુ ગંભીર આરોગ્ય સમસ્યાઓને પણ જન્મ આપે છે. સ્ટેટિસ્ટાના આંકડા મુજબ વર્ષ 2023માં ચીન દુનિયાનું સૌથી મોટું કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ઉત્સર્જન કરનાર દેશ બન્યું હતું. ચીને એકલા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code