1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ છે. નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી અને ચૂંટણી પંચમાં વિશ્વાસ દર્શાવવા બદલ લોકોને અભિનંદન આપ્યા. તેમણે તેને લોકશાહીનો વિજય ગણાવ્યો જે દેશની ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસને વધુ મજબૂત […]

દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે, જસપ્રીત બુમરાહે બતાવ્યું કે તેને વિશ્વનો સૌથી ખતરનાક ફાસ્ટ બોલર કેમ માનવામાં આવે છે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પોતાના પહેલા જ સ્પેલમાં, બુમરાહે એવી સિદ્ધિ મેળવી જે છેલ્લા સાત વર્ષમાં કોઈ અન્ય બોલર હાંસલ કરી શક્યો ન હતો. વિરોધી ટીમના બંને ઓપનરોને આઉટ કરીને, […]

ગુજરાતના માધવપુર બીચ પર ભારતીય સેનાનો ઐતિહાસિક પરાક્રમ, સમુદ્રમાં પહેલી વાર ટૅન્ક ઉતાર્યા

ભૂજઃ ભારતે પોતાના સૈનિક ઇતિહાસમાં એક નવો અને સાહસિક અધ્યાય લખ્યો છે. ગુજરાતના માધવપુર બીચ પર યોજાયેલા ‘એક્સરસાઇઝ ત્રિશૂલ’ દરમિયાન ભારતીય સેનાએ પ્રથમ વખત સીધા સમુદ્રમાં ટૅન્ક ઉતારી ઇતિહાસ રચ્યો છે. દરિયાની મોજાં અને બખ્તરબંદ ટૅન્કોની ગર્જનાના આ અનોખા મિલનએ સાબિત કરી દીધું કે ભારતીય સેના હવે માત્ર ભૂમિ સુધી મર્યાદિત નહીં, પરંતુ સમુદ્રને પણ […]

પાકિસ્તાન CPECમાંથી કોઈ લાભ લઈ શક્યુ નથીઃ પાકિસ્તાની મંત્રીની કલુબાત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના એક વરિષ્ઠ મંત્રીએ સ્વીકાર્યું છે કે, દેશ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) જેવી મોટી તકમાંથી કોઈ મહત્વનો લાભ લઈ શક્યો નથી. યોજનામંત્રી અહસાન ઇકબાલે ખુલાસો કર્યો કે, પૂર્વ સરકારના કાર્યકાળ દરમિયાન ચીની રોકાણને બદનામ કરવાની કોશિશ થતાં મોટા ભાગના ચીની રોકાણકાર દેશ છોડીને જવા મજબૂર બન્યા હતા. અહસાન ઇકબાલે ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું […]

ગુજરાતઃ NFSUના સ્થાપક કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ ‘ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર’ નિયુક્ત કરાયાં

ગાંધીનગર: નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU),ગાંધીનગર ખાતે આજે, 14 નવેમ્બર, 2025ના રોજ, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફોરેન્સિક સાયન્સ (IAFS)ના પ્રમુખ પ્રો. યાન્કો કોલેવ, M.D., Ph.D. દ્વારા એક વિશિષ્ટ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રો. કોલેવે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘પદ્મશ્રી’થી સન્માનિત અને NFSUના સ્થાપક કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસને IAFSના ‘ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર’ […]

પ્રધાનમંત્રી 15 નવેમ્બરના રોજ સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર ( MAHSR )ની પ્રગતિની સમીક્ષા કરશે. તે ભારતના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પ્રોજેક્ટ્સમાંનો એક છે અને દેશના હાઇ-સ્પીડ કનેક્ટિવિટીના યુગમાં પ્રવેશને ચિહ્નિત કરે છે. MAHSR આશરે 508 કિલોમીટર લાંબો […]

NIAએ કેરળમાં માનવ તસ્કરી કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરી

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી NIA એ ગેરકાયદેસર અંગ પ્રત્યારોપણ સાથે જોડાયેલા માનવ તસ્કરીના એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. NIA એ આ કેસના મુખ્ય આરોપી મધુ જયકુમારની ધરપકડ કરી છે, જે માનવ તસ્કરી માટે લોકોને ઈરાન મોકલવામાં સામેલ હતો. એર્નાકુલમના રહેવાસી મધુ જયકુમારની 8 નવેમ્બરના રોજ ઈરાનથી પરત ફર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના […]

બિહારમાં વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીતઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કેઆ પરિણામ વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીત છે. PM મોદીએ X પર લખ્યું હતું કે, “બિહારના મારા પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર, જેમણે NDAને અદ્ભુત અને અભૂતપૂર્વ જીતનો આશીર્વાદ આપ્યો. આ પ્રચંડ જનમંડેટ અમને વધુ […]

રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે કોંગ્રેસ બિહારમાં છેલ્લા સ્થાને આવી પહોંચીઃ અમિત શાહ

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDA સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આ પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કે ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બિહારની જનતાએ દેશનો મૂડ સ્પષ્ટ કરી દીધો છે કે મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા અનિવાર્ય છે. તેના વિરોધમાં રાજનીતિ કરવાની કોઈ […]

વીમા ધારકોને વધુ સારી સેવા પૂરી પાડવી જોઈએ અને દાવાઓને ઝડપી બનાવવા જોઈએઃ સરકાર

નવી દિલ્હીઃ નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ. નાગરાજુએ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ફુગાવા અને વધતા પ્રીમિયમ ખર્ચ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વીમા કંપનીઓ અને હોસ્પિટલો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ, એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર ઇન ઇન્ડિયા (AHPI), મેક્સ હેલ્થકેર, ફોર્ટિસ હેલ્થકેર, એપોલો હોસ્પિટલ્સ અને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સ્ટાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code