1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મતભેદો અંતર તરફ દોરી જાય અને અંતર વિખવાદમાં પરિવર્તિત થઈ શકે છેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં આયોજિત “SAMVAD” કાર્યક્રમ દરમિયાન વીડિયો સંદેશ મારફતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે થાઇલેન્ડમાં ‘સંવાદ’ની આવૃત્તિમાં જોડાવા બદલ સન્માનની લાગણી વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમને શક્ય બનાવવા બદલ ભારત, જાપાન અને થાઇલેન્ડની વિશિષ્ટ સંસ્થાઓ અને વ્યક્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ […]

IT-JEE પરિણામોના ભ્રામક દાવાઓની જાહેરાત કરવા બદલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને 3 લાખનો દંડ કરાયો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ IIT-JEE પરીક્ષાના પરિણામ અંગે ગેરમાર્ગે દોરનારા દાવાઓની જાહેરાત કરવા બદલ IITianના પ્રશિક્ષણ કેન્દ્ર પ્રા. લિ.ને (IITPK) ₹ 3 લાખનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈપણ માલ અથવા સેવાઓની ખોટી અથવા ભ્રામક જાહેરાત ન થાય તેની ખાતરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો […]

મહાકુંભથી ઉત્તરપ્રદેશને 3 લાખ કરોડની આવકનો અંદાજ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં આયોજિત મહાકુંભમાં યોગી સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. બીજી તરફ વિપક્ષ મહાકુંભના આયોજન અંગે સરકાર પર સતત પ્રશ્નો ઉઠાવી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર મહાકુંભનું બ્રાન્ડિંગ કરી રહી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટો દાવો કર્યો છે. લખનૌ ફ્લાયઓવરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સીએમ યોગીએ કહ્યું, ‘સૌ પ્રથમ, હું અટલજીના […]

દિલ્હી વિધાનસભાની હાર બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ હરિયાણા અને મહારાષ્ટ્ર પછી, દિલ્હીમાં પણ કોંગ્રેસને અપમાનનો સામનો કરવો પડ્યો છે. હવે કોંગ્રેસ આમાંથી પાઠ શીખી રહી હોય તેવું લાગે છે. તેમજ ફેબ્રુઆરીના અંત સુધીમાં કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. સંગઠનમાં પરિવર્તનની પ્રક્રિયા 2024ની લોકસભા ચૂંટણી પછી જ શરૂ થવાની હતી. પરંતુ રાજ્યની ચૂંટણીઓને કારણે અટકી […]

મણિપુરમાં સીએરપીએફ કેમ્પસમાં જવાને કરેલા ગોળીબારમાં બે જવાનના અવસાન

નવી દિલ્હીઃ મણિપુરમાં, એક CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારી લીધી હતી. આ ગોળીબારમાં બે સૈનિકોના અવસાન થયા છે જ્યારે 8 જવાન ઘાયલ થયા હતા. આ ઘટના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફાલ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી. અહેવાલ મુજબ, 120મી બટાલિયનના હવાલદાર સંજય કુમારે પોતાની સર્વિસ ગનમાંથી […]

26/11 આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા ભારત આવશે, અમેરિકાએ આપી પરવાનગી

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમના વહીવટીતંત્રે 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલામાં સંડોવણી બદલ ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા વોન્ટેડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણા હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. એવું માનવામાં આવે છે કે તે પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે જોડાયેલો […]

મહારાષ્ટ્રના થાણેમાં રૂ. 22 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં નશાના કાળા કારોબારને નાથવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે 22.28 લાખ રૂપિયાની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. એક પોલીસ […]

મહામંડલેશ્વર પદ પરથી મમતા કુલકર્ણીનું રાજીનામું નામંજૂર

મહાકુંભઃ ફિલ્મી દુનિયામાંથી આધ્યાત્મિક ક્ષેત્રમાં આવેલી અને તાજેતરમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદેથી રાજીનામું આપનાર મમતા કુલકર્ણીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી અને તે કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ચાલુ રહેશે. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ પુષ્ટિ આપી કે મમતા કુલકર્ણી મહામંડલેશ્વર પદ પર ચાલુ રહેશે. મમતા કુલકર્ણીએ એક […]

ભ્રષ્ટાચારને રોકવા માટે ગ્રામીણ સ્થાનિક એકમોને ફાળવવામાં આવેલા ભંડોળ પર નજર રાખવી જોઈએ: પ્રો. એસ. પી. સિંહ બઘેલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં રાજ્ય મંત્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલે નવી દિલ્હીમાં “રાજ્યોની પંચાયતોને હસ્તાંતરણની સ્થિતિ – એક સૂચક પુરાવા આધારિત રેન્કિંગ” શીર્ષક સાથે સંબંધિત અહેવાલનું અનાવરણ કર્યું હતું . આ કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયનાં સચિવ શ્રી વિવેક ભારદ્વાજ, પંચાયતી રાજ મંત્રાલયનાં અધિક સચિવ શ્રી સુશીલ […]

મહાકુંભ 2025: અત્યાર સુધીમાં 600થી વધુ નિરાધાર વૃદ્ધ તીર્થયાત્રીઓએ પવિત્ર ડૂબકી લગાવી

નવી દિલ્હીઃ પ્રશાસનની વિશેષ પહેલ હેઠળ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં 2000 નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓ પવિત્ર સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પવિત્ર વિધિ માટે અત્યાર સુધીમાં 600થી વધુ વરિષ્ઠ નાગરિકોને સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ પહેલ માત્ર વૃદ્ધો માટે આદરને પ્રોત્સાહન આપતી નથી, પરંતુ સમાજમાં સેવા અને સંવાદિતાનું ઉદાહરણ પણ પ્રસ્તુત કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code