1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારતમાં ફરીથી પાકિસ્તાની સેલિબ્રીટીઓના એક્ટિવ થયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા બગડ્યા છે. પહેલગામ હુમલાને પગલે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને આતંકવાદીઓના ઠેકાણા ઉપર હુમલા કર્યાં હતા. બીજી તરફ ભારતમાં પાકિસ્તાની સેલિબ્રીટીઓના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જો કે, અચાનક આ પ્રતિબંધ હટ્યો હતો જેના પરિણામે ભારત સરકાર વધી એક્ટીવ બની […]

અમેરિકામાં ડો.એસ.જયશંકરે ઓપરેશન સિંદૂર અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર અમેરિકામાં ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂરથી દુનિયાને ખબર પડી કે ભારત આતંકવાદ સામે કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે 25 એપ્રિલે ક્વાડ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જારી કરાયેલું નિવેદન આપણા માટે મહત્વપૂર્ણ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે […]

ભારતીય શેરબજારમાં એક કરોડ નોંધાયેલા રોકાણકારોનો આંકડો પાર કરનાર ગુજરાત ત્રીજુ રાજ્ય બન્યું

મુંબઈઃ ભારતમાં શેરબજારોમાં જોડાનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાત હવે એક કરોડ નોંધાયેલા રોકાણકારોનો આંકડો પાર કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે. આ માહિતી નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા પરથી પ્રાપ્ત થઈ છે. નિફ્ટીએ જણાવ્યું હતું કે આ એક મોટી સિદ્ધિ છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી ગુજરાતે આ આંકડો પાર કર્યો છે. આ ત્રણ […]

મહારાષ્ટ્રમાં 3 મહિનામાં 767 ખેડૂતોએ આત્મહત્યા કર્યાનો રાહુલ ગાંધીનો દાવો, સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 3 મહિનામાં 767 ખેડૂઓએ આત્મહત્યા કરી હોવાનો દાવો કરીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મોટા ઉદ્યોગપતિઓની કરોડોની લોન માફ કરવામાં આવી રહી છે જ્યારે દેવામાં ડૂબેલા ખેડૂતોની લોન માફ કરવાનું સરકારને યોગ્ય નહીં લાગતું હોવાનો પણ રાહુલ […]

પાકિસ્તાનઃ ઈમરાન ખાને સમર્થકોને સરકાર સામે રસ્તા ઉપર ઉતરી વિરોધ કરવા કર્યો નિર્દેશ

લાહોરઃ રાજકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા લાંબા સમયથી વિવિધ કેસોમાં જેલની સજા ભોગવી રહ્યાં છે. દરમિયાન જેલમાં બેઠા-બેઠા ઈમરાન ખાને પોતાની પાર્ટીના કાર્યકરોને આગામી દિવસોમાં સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાનું સૂચન કર્યું છે. તેમજ ઈમરાન ખાને સેનાના વડા અસીમ મુનીર ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ઈમરાન ખાનના શાસન સામેના […]

ત્રિપુરામાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે બંધ થયેલો રેલ માર્ગ પુનઃ કાર્યરત થયો

નવી દિલ્હીઃ ત્રિપુરાના પરિવહન મંત્રી સુશાંત ચૌધરીએ બુધવારે પત્રકારો સાથે વાત કરતા સ્પષ્ટતા કરી હતી કે ત્રિપુરામાં એક અઠવાડિયાથી વધુ સમય સુધી ખોરવાઈ રહ્યા બાદ રેલ સેવા સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ ગઈ છે. આ સાથે, રાજ્યમાં સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. અસરગ્રસ્ત રેલ્વે ટ્રેક પર જાળવણી કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો […]

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 83,750 પાર

મુંબઈઃ સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યું છે. સવારે 11:55 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 322 આંકના ઉછાળા સાથે 83,750 પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 95 આંક વધીને 25,550 પર કારોબાર કરી રહ્યો છે. ભારતીય શેરબજારમાં તેજીને પગલે રોકાણકારોમાં ખુશી ફેલાઈ છે. ભારતમાં શેરબજારોમાં જોડાનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાત […]

અમરનાથ યાત્રાઃ પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થયો

નવી દિલ્હીઃ આજે ગુરુવારે અમરનાથ યાત્રાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો ‘હર હર મહાદેવ’ ના જયઘોષ સાથે પવિત્ર ગુફા મંદિર તરફ રવાના થયો છે. આ યાત્રા દરમિયાન ભક્તોની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મનીષા રામોલા નામની એક શ્રદ્ધાળુએ […]

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર આગામી 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ X પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, અને સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે. રીજીજુએ સ્પષ્ટતા કરી હતી કે સ્વતંત્રતા દિવસના કારણે 13 અને 14 ઓગસ્ટે સંસદની […]

ભારત અને ઘાના વચ્ચે ચાર મહત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 વર્ષના લાંબા અંતરાલ બાદ ઘાનાની મુલાકાતે પહોંચ્યા છે, જે બંને દેશોના સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર કરી રહી છે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા વચ્ચે પ્રતિનિધિ સ્તરની વાતચીત થઈ, જેમાં પરસ્પર હિતો પર ચર્ચા કરવામાં આવી. આ બેઠક બાદ ભારત અને ઘાના વચ્ચે ચાર મહત્વપૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code