1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

CGST દ્વારા વેપારીઓને વર્ષો પહેલાની ડિમાન્ડ કાઢીને સાગમટે નોટિસો ફટકારાતા વિરોધ

બે મહિના અગાઉ શો-કોઝ નોટિસોમાં વિરોધ થયા બાદ પુન: કાર્યવાહી શરૂ કરાઈ, વેપારીઓ કહે છે કે, તમામ વિગતો તંત્ર પાસે છે, છતા હેરાનગતિ કરવામાં આવી રહી છે, કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો સામે વેપારીઓ વિરોધ ભાવનગરઃ શહેર અને જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને વર્ષો પહેલાની રિકવરી કાઢીને સેન્ટ્રલ જીએસટી દ્વારા ડિમાન્ડ નોટિસો ફટકારાતા વેપારીઓમાં તંત્ર સામે નારાજગી […]

ભાવનગરમાં એમજી રોડ અને પીરછલ્લા વિસ્તારમાંથી નાના-મોટા દબાણો દૂર કરાયા

લારીઓ, ટેબલ, જાળી, કેરેટ તથા અન્ય છુટક સામાન. જપ્ત કરાયો, શાકભાજી માર્કેટ બહાર પાથરણાવાળાને હટાવીને રોડ ખૂલ્લો કરાયો, મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ કામગીરી ચાલુ રખાશે ભાવનગરઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના હેવમોર ચોક, શાકમાર્કેટ એમ.જી રોડ, વોરા બજાર અને પીરછલ્લા માર્કેટ સહિતના વિસ્તારમાંથી ગેરકાયદેસર કરાયેલા નાના-મોટા દબાણો દૂર કરાયા હતાં, તથા કેટલી […]

રાજકોટમાં સામાન્ય બાબતમાં યુવાન પર લૂખ્ખાતત્વોએ પાઈપ અને છરીથી હુમલો કર્યો

અજાણ્યા શખ્સે સ્કુટરને ઠોકર મારતા યુવકે જોઈને ચલાવવાનું કહેતા ઝઘડો થયો હતો, અજાણ્યા શખસે ફોન કરતા તેના સાથીઓ પાઈપો અને છરીઓ સાથે દોડી આવ્યા, યુવાનને માર મારતા હોવાનો વિડિયો લોકોએ ઉતાર્યો પણ છોડાવવા કોઈ ન આવ્યું રાજકોટઃ શહેરમાં સામાન્ય બાબતે સ્કૂટરચાલક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો.શહેરના ગોંડલ રોડ ઉપરના પુલ પરથી વિજય પ્લોટ તરફ […]

સુરતમાં મેયરને રજુઆત માટે ગયેલા AAP’ના કોર્પોરેટરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી

મ્યુનિની સામાન્ય સભામાં મેયરે વિપક્ષને જવાબ આપવાની ના પાડી હતી, સવાલોના જવાબ માગવા આપના કોર્પોરેટરો મેયરની કચેરીએ પહોંચ્યા હતા, મેયરે અડધો કલાક રાહ જોવડાવતા વિપક્ષે રામધૂન બોલાવી સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં મેયરને રજુઆત કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મેયરે અડધો કલાક રાહ જોવડાવ્યા બાદ મુલાકાત ન આપતા કોર્પોરેટરોએ મેટરની કચેરી બહાર રામધૂન બોલાવીને મેયરનો […]

અમદાવાદમાં કેટલીક હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર NOC રિન્યુ કરવામાં નથી આવી

200થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગો દ્વારા ફાયર NOC રીન્યુ કરાવી ન હોવા અંગે ચર્ચા, હાઉસિંગ સોસાયટીઓને ફાયરના સાધનો ખરીદવા 18થી 22 ટકા GST પરવડતો નથી, કેટલીક સોસાયટીઓમાં હોદેદારો-સભ્યો વચ્ચે આંતરિક ઝઘડાને લીધે ફાયર NOC રીન્યુ કરાતી નથી અમદાવાદ શહેરમાં અનેક હાઈરાઈઝ બિલ્ડિંગો એવી છે કે, જેની ફાયરની એનઓસી રિન્યુ કરવામાં આવી નથી. ફાયર એનઓસી રિન્યુ ન […]

અમદાવાદના સરખેજ વિસ્તારના શકરી તળાવમાં બોટ ઊંધી વળતા 3 યુવાનોના મોત

તળાવને કાંઠે પડેલી મ્યુનિની બોટ લઈ યુવાનો તળાવમાં ગયા, ઊંડા પાણીમાં બોટ ઊંધી વળી જતા ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા, ગત રાતે ત્રણેય યુવાનોના મૃતદેહ તળાવમાંથી બહાર કઢાયા અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવના કાંઠે લીલ કાઢવા માટે ઉપયોગમાં લેવાતી મ્યુનિની બોટ રેઢી પડી હતી. ત્યારે ચાર યુવાનો આવ્યા હતા. એમાં ત્રણ યુવાનો બોટમાં બેસીને […]

સુરતના આઠ ગણેશ પંડાલમાં રાત્રે તસ્કરો ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ ઉઠાવી ગયા, 2 પકડાયા

સુરતના મહિધરપુરા વિસ્તારમાં મધરાત બાદ બન્યો બનાવ, ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ, બે આરોપી પકડાયા લોકોએ ખંડિત થયેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરી સુરતઃ શહેરના મહિધરપુરા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે તસ્કરોએ આઠ જેટલા ગણેશજીના પંડાલમાં ચાંદીની મૂર્તિઓ, દીવા અને રોકડ રકમની ચારી કરીને પલાયન થઈ જતા આ બનાવે ભાવિકોમાં રોષ ઊભો થયો છે. […]

સાતમી વખત મધુર ડેરીના ચેરમેન બન્યા શંકરસિંહ રાણા

ગાંધીનગરઃ ગાંધીનગરમાં આવેલી મધુર ડેરીના સાતમી વખત ચેરમેન તરીકે શંકરસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. આ અંગે તેઓએ આજે પોતાના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. શંકરસિંહ રાણાએ કહ્યું, દેશનાં પ્રધાનમંત્રીએ પહેલી વખત સહકાર વિભાગ ની શરૂઆત કરી હતી શંકરસિંહ રાણાએ કહ્યું, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સહકાર વર્ષ ઉજવવવાનું નક્કી થયું છે. ગાંધીનગર જિલ્લાનું મધુર ડેરી એક યુનિટ […]

અંબાજી પદયાત્રા માર્ગ પર કચરાનાં નિકાલ માટે 100 સ્વયંસેવકોનું ગાંધીનગરથી પ્રસ્થાન

અંબાજી પદયાત્રીઓને 10 પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ અપાશે, વિવિધ ઉદ્યોગો દ્વારા 10.000 સ્ટીલ બોટલનું વિતરણ કરાશે, GPCB દ્વારા પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું મિશન ગાંધીનગરઃ  લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા છેલ્લા […]

ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર કલાર્કની ભરતીમાં ખાનગી એજન્સીને 5 કરોડ ચુકવાશે

227 જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રીયા માટે ગોલમાલનો કોંગ્રેસનો આક્ષેપ, ભરતીમાં ખાનગી કંપનીના ઇજારાથી એક જુ.કલાર્ક રુપિયા 2.23 લાખમાં પડશે, એક અરજીએ પરીક્ષા ખર્ચ પેટે રુપિયા 525નો ઇજારો આપ્યો.  અમદાવાદઃ રાજ્યની ચાર કૃષિ. યુનિ જુનાગઢ, આણંદ, નવસારી અને દાંતીવાડા કૃષિ. યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક વર્ગ-3ની ભરતી પ્રક્રિયા 15 જુલાઇથી 11 ઓગસ્ટ દરમિયાન અરજીઓ મંગાવવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની કુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code