1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના જશોદાનગરમાં મ્યુનિના દબાણ હટાવ સામે આત્મવિલોપન કરનારી મહિલાનું મોત

એએમસીના એસ્ટેટ વિભાગની ટીમ એક દૂકાનનું ડિમોલિશન કરવા પહોંચી હતી, દબાણ તોડવાના વિરોધમાં વેપારીના પત્નીએ આત્મવિલોપન કર્યું હતું, મહિલા ગંભીરરીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી અમદાવાદઃ શહેરના જશોદાનગર વિસ્તારમાં ગયા ગુરૂવારે સવારે મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ એક ગેરકાયદે ગણાતી દૂકાનને તોડવા માટે ગઈ હતી. ત્યારે દુકાનદાર વેપારી અને તેની પત્ની વિરોધ કર્યો હતો. […]

મઘ્યપ્રદેશ: શિવપુરીમાં ટ્રક-ટ્રાવેલર બસ વચ્ચે અકસ્માતમાં 4 ગુજરાતી કલાકારોના મોત

ભોપાલ : મધ્ય પ્રદેશના શિવપુરીમાં શનિવારે નેશનલ હાઇવે-27 પર ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર 20 કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથમાં આયોજિત શિવ કથા કાર્યક્રમમાં પોતાની કલા પ્રસ્તુતિ આપીને પરત ફરી રહ્યું હતું. આ તમામ સભ્યો ગુજરાતના […]

રાજકોટના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો, બે લાખ લોકોએ માણી મેળાની મોજ

પરગામથી પણ લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા, વિવિધ રાઈડ્સએ લોકોમાં આકર્ષણ જમાવ્યું, લોકોની ગણતરી અને ભીડ નિયંત્રણ માટે AIનો ઉપયોગ રાજકોટઃ રંગીલા ગણાતા રાજકોટ શહેરના રેસકોર્સના વિશાળ મેદાનમાં યોજાયેલા 5 દિવસીય જન્માષ્ટમીના લોકમેળામાં આજે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. બપોરના ટાણે તો મેળામાં હૈયેહૈયુ દળાય એવી ભીડ જામી હતી, લોકમેળામાં ચકરડી, ફજતફાળકા, ટોરા ટોરા, […]

અમદાવાદમાં વીજળીના કડાકા સાથે મેઘરાજાની ફરી પધરામણી, 41 તાલુકામાં વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા, રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ગાંધીનગરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન  અમદાવાદઃ આજે કૃષ્મ જન્મોત્સવ મનાવવા મેઘરાજાએ પણ વાજતે ગાજતા પધરામણી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. જન્માષ્ટમીના પાવન પર્વે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ […]

અમદાવાદના કૃષ્ણનગરમાં બીઆરટીએસ બસની અડફેટને એકનું મોત

રોડ ક્રોસ કરતા વ્યક્તિને BRTS બસે ટક્કર મારી, અકસ્માત બાદ BRTS બસનો ડ્રાઈવર નાસી ગયો, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બીઆરટીએસ બસની અડફેટે વધુ એક મહિલાનો ભોગ લેવાયો છે. શહેરના કૃષ્ણનગરમાં વહેલી સવારે રસ્તો ક્રોસ કરતા નરેન્દ્રભાઈ નામના વ્યક્તિને બીઆરટીએસ બસે ટક્કર મારતા […]

ગુજરાતભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઊજવણી, દ્વારકા, ડાકોર, શામળાજી મંદિરમાં ભાવિકોની ભીડ

શામળિયાને 15 કિલો સોનાનો શણગાર, દ્વારકામાં ભક્તિનો મહાસાગર, ડાકોરમાં ઠાકોરજીને કેવડાના પાનનો મુગટ,  અમદાવાદઃ આજે ગુજરાતભરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભારે આનેદોલ્લાસથી ઊજવણી થઈ રહી છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, શામળાજી અને ડાકોર સહિત મંદિરોમાં શ્રીકષ્ણ જન્મોત્સવ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તમામ મંદિરોમાં આજે રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. આજે સવારથી દ્વારકા, […]

સપ્તેશ્વર મહાદેવજી મંદિર પરિસરમાં દ્વાદશ જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા ચિત્રોનું “શિવ દર્શન

12 જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા ચિત્રો શિવભક્ત હસમુખભાઈ પટેલે દોર્યા, ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રોના શિવ દર્શન, સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં બે દિવસીય શિવ દર્શન નો પ્રારંભ 17મી ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે થશે અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદીના કાંઠે આવેલા અતિ પ્રાચીન શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં બે દિવસ માટે શિવ દર્શનનો પ્રારંભ 17મી […]

ભુજમાં હમીરસર તળાવના કિનારે લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

શ્રાવણી માસના મધ્હ્યાને કચ્છમાં સાતમ આઠમના પર્વો લોકો રંગેચંગે ઉજવી રહ્યાં છે ત્યારે ભુજમાં હમીરસર તળાવના કિનારે લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થયો હતો. 15મી ઓગસ્ટની રજા હોવાના લીધે સાંજ પછી મેળામાં રંગત વધી હતી અને હૈયેહૈયું દળાય તેવી ભીડ મેળામાં સર્જાઇ હતી. ભુજ શહેર ઉપરાંત કચ્છ જિલ્લામાંથી લોકો ઉમટી પડ્યા હતા. 16મી ઓગસ્ટે શ્રાવણ વદ આઠમના […]

NIFT ગાંધીનગર ખાતે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), ગાંધીનગર ખાતે ભારતના સ્વતંત્રતા દિવસની 79મી વર્ષગાંઠ ખૂબ જ આનંદ અને દેશભક્તિના ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. NIFT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેમ્પસ એકેડેમિક કોઓર્ડિનેટર પ્રો. વિશાલ ગુપ્તા, ફેશન ટેકનોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. […]

ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં માજી સૈનિકોનું 19 દિવસથી ચાલતું આંદોલન

આજે સ્વાતંત્ર્ય પર્વએ માજી સૈનિકોએ ધ્વજવંદન કર્યું, પ્રતિદિન પાંચ સૈનિકો પ્રતીક ઉપવાસ, માજી સેનિકો માટે સરકારી નોકરીમાં અનમાતની માગ ગાંધીનગરઃ  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં માજી સૈનિકો છેલ્લા 19 દિવસથી વિવિધ માગણીઓના ઉકેલ માટે આંદોલન કરી રહ્યા છે. આજે ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ‘ગુજરાત માજી સૈનિક સંગઠન’ દ્વારા 79માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code