1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વલસાડમાં નિર્માણાધિન બ્રિજનું સ્ટ્રકચર તૂટી પડતા 5 શ્રમિકો ઘવાયા

ઈજાગ્રસ્ત 5 શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા શહેરમાં કૈલાશ રોડ પર 42 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે લોડ બેલેન્સના કારણે સ્ટ્રકચર તૂટી પડ્યુ હોવાનું તારણ વલસાડઃ  શહેરના કૈલાશ રોડ પર રૂપિયા 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડતા પાંચ શ્રમિકોને ગંભીર […]

બાલાસિનોર નજીક ગાંજાનું વાવેતર પકડાયુ, 473 કિલો ગાંજા સાથે એકની ધરપકડ

રત્નાજીના મુવાડા ગામે એરંડાના પાકની આડમાં ગાંજાના 258 છોડ મળ્યા પકડાયેલા ગાંજાની કિંમત રૂપિયા 2.37 કરોડનો અંદાજ મુકાયો પોલીસે બાતમીને આધારે રેડ પાડી હતી બાલાસિનોરઃ તાલુકાના રત્નાજીના મુવાડા ગામેની સીમમાં ગાંજાનું વાવેતર કરાયુ હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે રેડ પાડીને ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી […]

11 પાકિસ્તાની માછીમારોની પૂછપરછ બાદ પોરબંદરના નવી બંદર પોલીસને સોંપાયા

ભારતીય જળ સીમામાં 11 માછીમારો માછીમારી કરતા પકડાયા હતા વિવિધ એજન્સીઓ દ્વારા કરાયેલી પૂછપરછમાં કશુ શંકાસ્પદ ન મળ્યુ પકડાયેલા પાક.માછીમારોને જખૌથી પોરબંદર લઈ જવાયા પોરબંદરઃ  ભારતીય તટરક્ષક દળે બુધવારે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતની સીમામાં અલ વલી બોટમાં ગેરકાયદેસર પ્રવેશેલા બે સગીર સહિત 11 પાકિસ્તાની માછીમારીઓને આંતરી ઝડપી લેવામાં આવ્યા હતા. ગઈકાલે ગુરુવારે વિવિધ એજન્સીઓ દ્વારા […]

ભાવનગરના કાળિયાબીડમાં થારના ચાલકે બે મહિલાને અડફેટે લીધા, એકનું મોત

પૂર ઝડપે થારના ચાલકે રાહદારી મહિલાઓ અને સ્કૂટરસવાર યુવતીને અડફેટે લીધા હતા અકસ્માત બાદ થારનો ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે થારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભાવનગરઃ  શહેરના કાળીયાબીડ વિસ્તારમાં મોડીરાતે પૂરઝડપે થારકારના ચાલકે રાહદારી મહિલાઓ અને બાઈકસવાર યુવતીને અડફેટે લીધી હતી. કારચાલકે બન્નેને ટક્કર મારી 70 ફૂટથી વધુ દુર પટકી […]

સુરતમાં મંડપના ગોદામમાં લાગેલી ભીષણ આગને બે કલાકની જહેમત બાદ કાબુમાં લેવાઈ

સુરતના કતારગામ જીઆઈડીસી નજીક પતરાના શેડવાળા ગોદામમાં બન્યો બનાવ ફાયરના જવાનોએ ગોદામમાંથી ગેસ ભરેલા બાટલાં બહાર કાઢતા જાનહાની ટળી ગોદામ પાછળ કચરો સળગાવાતા તેના તણખાને લીધે આગ લાગી હોવાનું અનુમાન સુરતઃ  શહેરના કતારગામ વિસ્તારમાં જીઆઈડીસી વિસ્તારમાં પતરાના શેંડમાં આવેલા એક મંડપના ગોદામમાં ભીષણ આગ લાગતા આ બનાવની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની 15 જેટલી […]

અમદાવાદમાં વિવેકાનંદ કોલેજને BU અને FIRE સેફ્ટી ન હોવાથી સીલ મરાયા

કોલેજને સીલ વાગતા સવારે વિદ્યાર્થીઓને પરત ફરવાની ફરજ પડી મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા 6 ફુડકોર્ટને પણ સીલ મરાયા બીયુ પરમિશન-ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા કમિશનરે આપી સૂચના અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ […]

રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીમાં SRP જવાને રાયફલથી ગોળી મારી કર્યો આપઘાત

પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે મોડીરાતે બન્યો બનાવ પ્રદ્યુમનનગર પોલીસની ટીમ તપાસ માટે પોલીસ કમિશનર કચેરી પહોંચી SRP જવાને કયા કારણોથી આપઘાત કર્યો તે હજુ જાણવા મળ્યુ નથી રાજકોટઃ શહેરમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે (ઉં.વ.50)  ફરજ દરમિયાન મધરાત બાદ 3 વાગ્યે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી […]

અંકલેશ્વર- વાલિયા રોડ પર બાઈક અને રિક્ષા ટકરાતા રિક્ષામાં લાગી આગ, મહિલાનું મોત

અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ પાસે બન્યો બનાવ અકસ્માતને લીધે રિક્ષા અને બાઈકમાં આગ લાગી રિક્ષામાં પ્રવાસી કરી રહેલી મહિલા જીવતી ભૂંજાઈ, ત્રણને ગંભીર ઈજા ભરૂચઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અંકલેશ્વર નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે શુક્રવારે સવારના સમયે બાઇક અને […]

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ અધ્યાય-૨’ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દરેક ટીકા પાછળનો ભાવ હકારાત્મક અને લોકકલ્યાણનો હોવો જોઈએ: મુખ્યમંત્રી નેગેટિવિટીને પોઝિટિવિટીમાં બદલીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું: મુખ્યમંત્રી સનાતન મૂલ્યોના જતન સાથે યુવા શક્તિ સમય સાથે કદમ મિલાવે: મુખ્યમંત્રી ગુજરાતના વિકાસમાં ‘ભાવ, રાગ અને તાલ’ નું મહત્ત્વ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ Bharatkool Chapter-2 Gujarat Media Club મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની […]

ભારત જીતેગા, ભારત આગે બઢેગાઃ PDEUના દીક્ષાંત સમારંભમાં મૂકેશ અંબાણીનું ઊર્જાવાન વક્તવ્ય

(અલકેશ પટેલ) ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ PDEU convocation ceremony ભારત જીતેગા, ભારત આગે બઢેગા, ભારતે આત્મનિર્ભર બનવાનું જ છે તેમ પંડિત દીનદયાળ ઊર્જા યુનિવર્સિટી (પીડીઈયુ)ના 13મા દીક્ષાંત સમારંભને સંબોધતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. ટોરેન્ટના ચેરમેન સુધીર મહેતાના મુખ્ય મહેમાનપદે યોજાયેલા ઊર્જા યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ઊર્જાવાન વક્તવ્ય આપતા શ્રી અંબાણીને છેલ્લા એક દાયકાની ભારતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code