1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ખાલી ખુરશી અને ભવિષ્યનો દીવો: એક જવાબદાર પિતાની અંતિમ ભેટ

There is no certainty in life, but there is certainty in insurance સાંજનો સમય હતો. આકાશમાં આછો અંધકાર ઉતરી રહ્યો હતો. અમદાવાદના એક મધ્યમવર્ગીય ફ્લેટની બાલ્કનીમાં બેસીને ત્રીસ વર્ષનો આકાશ પોતાની પાંચ વર્ષની દીકરી પરીને રમતી જોઈ રહ્યો હતો. તેની પત્ની મીરા રસોડામાંથી ચા લઈને આવી. આકાશના ચહેરા પર એક અનોખી શાંતિ હતી, પણ આંખોમાં […]

ચાઈનીઝ દોરી વેચનારા સામે રહેમ ન રાખવા સરકારને હાઈકોર્ટનું ફરમાન

અમદાવાદ, 26 ડિસેમ્બર 2025 : ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ જીવલેણ ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલના વેચાણ પર અંકુશ મેળવવા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અત્યંત કડક નિર્દેશો આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, નિર્દોષ નાગરિકો અને પક્ષીઓના જીવ જોખમમાં મૂકનારી આ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનારા તત્વો સામે કોઈપણ જાતની રહેમ રાખ્યા વગર […]

મહેસાણા: સ્કૂલમાં ભોજન બાદ 20 વિદ્યાર્થીઓની તબિયત લથડી

મહેસાણા, 26 ડિસેમ્બર 2025: જિલ્લાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 20થી વધુ વિદ્યાર્થીઓને રાત્રિનું ભોજન લીધા બાદ અચાનક ઝાડા, ઉલ્ટી અને ગભરામણ જેવી તકલીફો શરૂ થતા શાળા વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભોજન બાદ તબિયત બગડી મળતી માહિતી મુજબ, ગોરિયાપુર […]

NTCA દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ટાઇગર સ્ટેટ જાહેર કરાયું

સિંહ, વાઘ અને દીપડો ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત રતનમહાલમાં વાઘનું કાયમી નિવાસ સાબિત થયું ગાંધીનગર, 26 ડિસેમ્બર 202 : ગુજરાતની ઓળખ અત્યાર સુધી માત્ર ‘એશિયાટિક સિંહો’ના એકમાત્ર નિવાસસ્થાન તરીકે હતી, પરંતુ હવે તેમાં વધુ એક વૈશ્વિક સિદ્ધિ ઉમેરાઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું […]

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં ગુજરાતના બે લોકોના મોત

નવી દિલ્હી 26 ડિસેમ્બર 2025: Accident on Delhi-Mumbai Expressway દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારતા ગુજરાતના બે લોકોના મોત થયા છે. આ અકસ્માત બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. મૃતકોની ઓળખ કમલ ગોહિલ અને તેજસ્વી સોલંકી તરીકે થઈ છે. પોલીસે પરિવારજનોને જાણ કરી દીધી છે અને પોસ્ટમોર્ટમ પછી મૃતદેહોને મુક્ત કરવામાં આવશે. […]

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છ 26 ડિસેમ્બર 2025: Earthquake in kutch ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના ડેટા અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લામાં 23.65°N અક્ષાંશ અને 70.23°E રેખાંશ પર હતું. ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. વધુ […]

સાંસદ મનસુખ વસાવાએ કહ્યુ, મને ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ

ભરૂચ તા.25 ડિસેમ્બર 2025: MP threatens to leave BJP ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વાસાવા અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઘણા સમયથી આક્ષેપો-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમના હિસાબને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રૂપિયા 75 […]

ડાકોરના ગાપોલપુરા વિસ્તારમાં દીવાલ ધસી પડતા શ્રમિક યુવાનું મોત

નડિયાદ તા. 25 ડિસેમ્બર 2025: Youth dies after wall collapses  સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધસી પડતા શ્રમિક યુવાનનું કાટમાળ નીચે દટાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને કાટમાળમાં દટાયેલા શ્રમિક યુવાને બહાર કાઢવામાં આવ્યો હતો. પણ ગંભીર ઈજાને લીધે […]

વલ્લભીપુર-ચમારડી રોડ પર કારે બાઈકને ટક્કર મારતા બેના મોત

ભાવનગર તા. 25 ડિસેમ્બર 2025: two killed as car hits bike વલ્લભીપુર-ચમારડી સ્ટેટ હાઈવે પર મહેન્દ્રપુરમ પાસે પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે આધેડ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પીએમ અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે […]

ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્વ છે, વિદ્યાથી મોટું કોઈ દાન નથીઃ રાજ્યપાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60માં પદવીદાન સમારોહમાં 43 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત રાજકોટ, તા. 25 ડિસેમ્બર 2025: Saurashtra University’s 60th convocation ceremony રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા અને શિક્ષણમંત્રી  ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ યોજાયો હતો. કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે  ‘સ્વદેશી અપનાવો, સ્વદેશી બિરદાવો’ની થીમ સાથે યોજાયેલા આ પદવીદાન સમારોહમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code