1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભાવનગર-મુંબઈ વચ્ચે માર્ચના અંત સુધીમાં બે વિમાની સેવા શરૂ કરાશે

ભાવનગર, 23 ફેબ્રુઆરી 2026:  ભાવનગરથી મુંબઈ જવા માટે તેમજ મુંબઈથી ભાવનગર આવવા માટેની ફ્લાઈટ ગયા જુન મહિનાથી કોઈ કારણોસર બંધ કરવામાં આવી હતી. પણ સાસંદ અને કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજુઆત બાદ હવે માર્ચના અંત સુધીમાં ભાવનગરને મુંબઈ માટે સવારે અને સાંજે એમ બે વિમાની સેવાનો લાભ મળશે. ઇન્ડિગો (Indigo) એરલાઇન્સ દ્વારા સવાર અને સાંજ […]

યુનિવર્સિટીઓની વિવિધ ભરતીમાં હવે ફિક્સ પગારની નોકરીનો અનુભવ માન્ય ગણાશે

અમદાવાદ,23 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસરો સહિતની ભરતીમાં ફિક્સ પગારમાં કરેલી નોકરીનો અનુભવ ગણવામાં આવતો નહતો. તેથી ક્વોલીફાઈડ ઉમેદવારોની ટીચિંગનો અનુભવ ઓછો હોવાને લીધે  પસંદગી થઈ શકતી નહતી. આ અંગે ઉમેદવારોએ શિક્ષણ વિભાગમાં રજુઆત કરીને ફિક્સ પગરામાં કરેલી નોકરીનો અનુભવ માન્ય રાખવા માગણી કરી હતી. આથી શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડી ભરતી નિયમોમાં […]

વડોદરા નજીક હાઈવેના ત્રણ ટોલપ્લાઝાની આવક એક વર્ષમાં 922.24 કરોડે પહોંચી

વડોદરા, 23 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં હાઈવે પરના વિવિધ ટોલાનાકા દ્વારા કરોડો રૂપિયાની આવક થાય છે. જ્યારે કેટલાક હાઈવે પર ટોલ આપવા છતાંયે વાહનચાલકોને યોગ્ય સુવિધા મળતી નથી. વડોદરા જિલ્લામાથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ એક્સપ્રેસ હાઈવેના બે ટોલ પ્લાઝા તેમજ વડોદરા પાસે વાસદ પાસેના ત્રીજા ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકોએ વર્ષ 2024-25ના નાણાંકીય વર્ષમાં […]

હોળાષ્ટકને લીધે હવે અઠવાડિયા સુધી માંગલિક કાર્યો પર બ્રેક લાગી

અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026: હોળાષ્ટકનો આજે મધરાતથી પ્રારંભ થતાં જ હવે અઠવાડિયા સુધી એટલે કે, ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ ચૌદશ સુધી કોઈ માંગલિક કાર્યો થઈ શકશે નહીં. ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ પૂનમ સુધીના આ સમયગાળાને પ્રકૃતિના નિદર્શન અને તેના અવલોકન માટે રાખવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પ્રકૃતિને લગતા અવલોકન અને […]

સુરતમાં સરથાણાથી કામરેજ સુધી ટ્રાફિકજામની સમસ્યાથી વાહનચાલકો પરેશાન

સુરત, 23 ફેબ્રુઆરી 2026: શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેના લીધે શહેરના દરેક વિસ્તારમાં ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના પ્રવેશદ્વાર ગણાતા સરથાણા જકાતનાકાથી લઈને કામરેજ ચાર રસ્તા સુધીનો માર્ગ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. દરરોજ રાતના સમયે ખાનગી લક્ઝરી બસોના આડેધડ ખડકલાને કારણે […]

નિવૃત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ 99 લાખ પડાવ્યા

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2026: સાયબર માફિયાઓ સામે લોકોને જાગૃત રહેવા સરકાર દ્વારા  ગાઈ-વગાડીને કહેવામાં આવી રહ્યું છે છતાંયે ભણેલા-ગણેલા અને ખાસ કરીને સિનિયર સિટીઝન્સ સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. ગાંધીનગરના એક નિવૃત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને માયબર માફિયાઓએ ધાક-ધમકી આપીને રૂપિયા 99 લાખ પડાવ્યા હતા. આ અંગેની ફરિયાદ નોંધાતા ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે વધુ […]

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન, આશ્રયસ્થાન છીનવાતા રહિશો રડી પડ્યાં

રાજકોટ, 23 ફેબ્રુઆરી 2026: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આરએમસીના ઈતિહાસનું સૌથી મોટુ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારના 1400થી વધુ મકાનો તોડવા માટે જેસીબી, બુલડોઝર સહિત ટ્રકો-ટ્રેકટરો સહિતના સાધનો સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અને સવારથી મકાનો તોડવાની કામગીરી કરી રહ્યા છે. દબાણ હટાવની કામગીરી કરતા કર્મચારીઓના રક્ષણ માટે સઘન પોલીસ બંદાબસ્ત […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિનો પદવીદાન સમારોહ 26મી ફેબ્રુઆરીએ યોજાશે

સુરત, 23 ફેબ્રુઆરી 2026: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારોહ યોજાશે. આ પદવીદાન સમારોહ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કેમ્પસમાં પદવીધારકોના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થાઓ અને પ્રોટોકોલ મુજબના આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પદવીદાન સમારોહમાં 32 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને જ મેડલ એનાયત […]

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026: શિયાળાની વિદાય બાદ ઉનાળાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે, અને ફાગણના પ્રારંભમાં વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. આજે સોમવારે વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં તેમજ ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. […]

વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રાનું લાંબી માંદગી બાદ 76 વર્ષે નિધન

અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026 – ગુજરાતના એક વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રાનું આજે લાંબી માંદગી બાદ 76 વર્ષની વયે નિધન થયું હતું. શહેરના શિલજ વિસ્તારમાં આવેલા અંતિમધામમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તે સમયે અમદાવાદના વરિષ્ઠ પત્રકારો હાજર રહ્યા હતા. સ્વ. મિશ્રાજી છેલ્લા પાંચેક દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રમાં સક્રિય હતા. જોકે, કેટલાક વર્ષોથી તેઓ પ્રોસ્ટેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code