1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વડોદરામાં શિવજી કી સવારીમાં હર હર મહાદેવના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયાં

વડોદરા, 15 ફેબ્રુઆરી-2026:  આજે મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે શહેરમાં શિવજી કી સવારી નિકળતા જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આજે બપોરે 3.30 કલાકે ભગવાન ભોળાનાથ પોતાના પરિવાર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાનની નગરચર્યા દરમિયાન હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું. આજે સાંજે 7.15 વાગે સુરસાગરની મધ્યમાં બિરાજમાન સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા […]

જામતારાની સાયબર ફ્રોડ કરતી ગેન્ગ સાથે સંકળાયેલા ત્રણ શખસો સુરતથી પકડાયા

સુરત, 15 ફેબ્રુઆરી-2026: ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા છે. સાયબર માફિયાઓ સામે પોલીસ સક્રિય છે, છતાં માત્ર વચેટિયાઓ કે બેન્ક ખાતા ભાડે આપનારા જ પકડાય છે. પણ મગરમચ્છો હાથમાં આવતા નથી. રાજ્યમાં સાયબર માફિયા સામે સુરત પોલીસ વધુ એક્ટિવ છે. ત્યારે સાયબર ક્રાઈમમાં કૂખ્યાત બનેલા જામતારાની ગેંગ સાથે સંકળાયેલા 3 શખસોની પોલીસે ધરપકડ કરી […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેને સિક્સલેન માટે ટેન્ડરની પ્રકિયા હાથ ધરાઈ

અમદાવાદ, 15 ફેબ્રુઆરી-2026: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકનું ભારણ સતત વધતું જાય છે. ત્યારે એક્સપ્રેસ હાઈવેને સિક્સલેન કરવાનો નિર્ણ લેવાયા બાદ હાઈવે ઓથોરિટી દ્વારા ટેન્ડરીંગ પ્રકિંયા શરૂ કરવામાં આવી છે. એક્સપ્રેસ હાઈવે સિક્સલેનનો થતાં અમદાવાદથી વડોદરા ઝડપથી પહોંચી શકાશે. સૌથી વ્યસ્ત ગણાતો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (NE-1)ને 6 લેન સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. નેશનલ […]

ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: ગૃહમંત્રી અમિત શાહે દેશના ખેડૂતો પ્રત્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા ખાતરી આપી છે કે તમામ આંતરરાષ્ટ્રીય વેપાર કરારોમાં ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિતોનું રક્ષણ કરવામાં આવશે. શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કર્યા બાદ […]

સોમનાથમાં આજે મહાશિવરાત્રીએ હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો ઉમટી પડ્યાં

સોમનાથ, 15 ફેબ્રુઆરી-2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દાદાના દર્શન માટે આજે મહાશિવરાત્રિના પાવન દિને મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. અને મંદિરનું પરિસર હર હર મહાદેવજીના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ભાવિકોની આજે વહેલી સવારથી મહાદેવજીના દર્શન માટે લાઈનો જોવા મળી હતી. મંદિર આજથી દર્શન માટે 42 કલાક ખૂલ્લુ રહેશે. સોમનાથ દાદાને […]

ભરૂચમાં યોજાયું “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”નું વાર્ષિક અધિવેશન

ભરૂચ, 15 ફેબ્રુઆરી, 2026 – Matribhasha Gaurav Pratishthan ભરૂચમાં નારાયણ વિદ્યાવિહારના પરિસરમાં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન“નું વાર્ષિક અધિવેશન દિનાંક ૮ ફેબ્રુઆરીને રવિવારના દિવસે યોજાયું, જેમાં ‘માતૃભાષા ગૌરવ પુરસ્કાર’ અર્પણનો કાર્યક્રમ થયો. સમગ્ર ગુજરાતમાંથી ભાષાવિદો, સાહિત્યપ્રેમીઓ અને માતૃભાષાની ચિંતા સેવતા સતત કાર્યરત એવા ભરૂચ જિલ્લાના શિક્ષકો મળી કુલ ૧૦૦ લોકો ઉપસ્થિત રહ્યા. સમગ્ર ગુજરાતમાં આ અભિયાનની જ્યોત પ્રજ્વલિત […]

ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના’ પુસ્તકનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન

‘રાષ્ટ્રપ્રથમ’ જીવન જીવવાની દિશા, માત્ર રાજકીય વિચાર નહીં : મુખ્યમંત્રી રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય: ભૂપેન્દ્રભાઈ પટેલ [અલકેશ પટેલ] અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2026ઃ My Vision of Nation First book released જાણીતા પત્રકાર, લેખક તથા કેન્દ્રીય માહિતી આયોગના પૂર્વ અધ્યક્ષ ઉદય માહુરકર દ્વારા લિખિત ‘માય આઈડિયા ઑફ નેશન ફર્સ્ટ’ના ગુજરાતી સંસ્કરણ ‘મારી રાષ્ટ્ર પ્રથમની […]

 જીવનઝરૂખેથી..  આપણે શું છીએ, પથ્થર ફોડા કે શિલ્પી?

”હે પ્રાણસ્વરૂપ ! મારી સિતારના તારને કાટ ન ચડો. તેની ઉપર ધૂળ ન બાઝો. …”  કવિવર ટાગોરની આ પંક્તિ સાથે જ મનમાં ઝબકી ઉઠે છે એક બહું જાણીતું ઉદાહરણ. . એક ભવ્ય મંદિરનું કામ ચાલતું હતું. મજૂરો પથ્થર ફોડી રહ્યા હતા. ત્યારે કોઇએ એક મજૂરને પૂછયું ,”તું શું કરે છે? ‘ જવાબ મળ્યો, “પથ્થર ફોડું […]

ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતને ભેટ, આગામી સમયમાં રાજ્યના 8 શહેરોમાં 750 ઇ-બસો દોડશે ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: 50 state-of-the-art electric buses inaugurated in Bhavnagar વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેર માટે 50 ઇ-બસોને લીલી ઝંડી આપી […]

નવસારીઃ મરોલીમાં રેલવે ટ્રેક ઓળંગતા 14 વર્ષીય કિશોરનું ટ્રેનની અડફેટે મોત

સુરત, 14 ફેબ્રુઆરી 2026: નવસારી જિલ્લાના મરોલી રેલવે ઓવરબ્રિજ નીચે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સર્જાઈ છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે એક 14 વર્ષના નિર્દોષ કિશોરનું ધસમસતી ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code