1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને આપી શ્રદ્ધાંજલિ

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આજે તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન રાજ્યપાલએ બે મિનિટનું મૌન પાળી દિવંગત  અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા […]

સુરતમાં ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમન્ડ ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા

સુરત, 28 જાન્યુઆરી 2026:  શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના ‘લક્ષ્મી ગ્રુપ’ પર આજે વહેલી સવારથી ઈન્કમટેક્સના અધિકારીઓએ સર્ચની કાર્યવાહી હાથ ધરતા હીરાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ગજેરા ગ્રુપના રાજ્યભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો […]

સાવરકૂંડલામાં રેશનિંગના ઘઉં અને ચોખાનો 1.29 લાખનો જથ્થો પકડાયો

અમરેલી, 28 જાન્યુઆરી 2026:  જિલ્લામાં રેશનિંગનો પુરવઠો કાળા બજારમાં વેચી દેવાતો હોવાની ફરિયાદો ઊઠી હતી. આથી જિલ્લા પુરવઠા વિભાગ એવર્ટ મોડમાં હતું દરમિયાન બાતમીને આધારે પુરવઠા વિભાગે સાવરકુંડલામાં રેડ પાડીને રેશનિંગનો 1.29 લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં અનધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલો સસ્તા અનાજનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પુરવઠા વિભાગના સૂત્રોના […]

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, 152 જાતના વિવિધ પક્ષીઓનો કલરવ

સુરેન્દ્રનગર, 28 જાન્યુઆરી 2026:  જિલ્લાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. આ રણ વિસ્તારમાં ભરાયેલા પાણીમાં વિદેશી પક્ષીઓનું આગમનથયુ છે. 152 જાતના પક્ષીઓના કલરવથી રણ વિસ્તાર ગુંજી ઊઠ્યો છે. કચ્છના નાના રણમાં સાનુકૂળ હવામાન, પૂરતો ખોરાક અને સલામત વસવાટના કારણે વિદેશીપક્ષીઓ ચાર મહિના જેટલો વસવાટ કરશે. શિયાળાની ઋતુ જામતા કચ્છના નાના રણ તેમજ ધ્રાંગધ્રાના […]

સુરતમાં મ્યુનિ સ્કૂલોમાં સત્ર પૂર્ણ થવાને 3 મહિના બાકી છે ત્યારે હવે સ્પોર્ટ્સ યુનિફોર્મ અપાશે

સુરત, 28 જાન્યુઆરી 2026: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક સમિતિની સ્કૂલોમાં હવે સત્ર સમાપ્તિને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે પ્રાથમિક શાળાના બાળકોને સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવાનો નિર્ણય લેવાતા વિવાદ ઊભો થયો છે. નજીકના દિવસોમાં ખેલ મહાકુંભ શરુ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ સમિતિએ સ્પોર્ટસ યુનિર્ફોમ માટે દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે […]

વડોદરાની એમએસ યુનિ.માં હવે ત્રિ-સ્તરિય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

વડોદરા, 28 જાન્યુઆરી 2026:  દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટી અને કેમ્પસમાં હવે 1લી ફેબ્રુઆરીથી સુરક્ષા વ્યવસ્થા વધુ ટાઈટ કરીને ત્રિ-સ્તરિય વ્યવસ્થા ગોઠવવામાં આવશે.  યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. કેમ્પસમાં ક્યારેક વિદ્યાર્થી જૂથો વચ્ચે ખુલ્લેઆમ મારામારી તો ક્યારેક વિદ્યાર્થિનીઓ સાથે છેડતી સહિત ગંભીર ઘટનાઓ બનતી હોવાથી યુનિવર્સિટી સામે […]

ભાવનગરમાં રવિવારે કોળી સમાજ દ્વારા ન્યાય સભા યોજાશે, સાંસદો-ધારાસભ્યો હાજર રહેશે

ભાવનગર, 28 જાન્યુઆરી 2026:  જિલ્લાના બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલામાં આરોપીઓને પકડવા કોળી સમાજે મોરચો માંડ્યો હતો. શરૂઆતમાં પોલીસે તપાસને આડા પાટે ચડાવી હતી. પણ કોળી સમાજના નેતાઓની મુખ્યમંત્રીને રજુઆત બાદ 5થી 7 આરોપીઓને પકડ્યા બાદ તટસ્થ તપાસ માટે સીટની રચના કર્યા બાદ લોક ડાયરા કલાકાર માયા આહીરના પુત્ર જયરાજ આહીર […]

સુરતમાં સિટી બસને એવરટેક કરવા જતા બાઈકનો અકસ્માત, બાઈકચાલકનું મોત

સુરત, 28 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ડિંડોલી-ઉધના બ્રિજ પર સિટીબસ અને બાઈક વચ્ચે સર્જાયો હતો. સિટીબસને ઓવરટેક કરવા જતા બાઈકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સિટી બસના પાછળના વ્હીલ સાથે અથડાયુ હતું. જેમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં બાઈકચાલક યુવકે પોલીસના દંડથી બચવા માટે […]

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા રહિશો સામે કડક કાર્યવાહી કરાશે

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાનો ફાળવવામાં આવ્યા છે. આવાસ યોજનામાં એલોટ થયેલા મકાનો મળ્યા બાદ કેટલાક લોકોએ મકાનો ભાડે આપી દીધા હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક લોકોએ મકાનો બારોબાર વેચી પણ દીધા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આવાસ યોજનામાં તપાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી […]

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો સામે સવર્ણ સમાજનો વિરોધ

વડોદરા, 28 જાન્યુઆરી 2026:   યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ યુજીસીના નવા નિયમો સામે વિરોધ ઊભો થયો છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન આપીને યુજીસીના નવા નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code