1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમારી દીકરીઓ ઉપર હુમલો તો જીવનનો અંતઃ હર્ષ સંઘવી

ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: રાજકોટમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજા ફટકારી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને કડક સંદેશ આપતી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, અમારી દીકરીઓ ઉપર હુમલો કરનારનો જીવનનો અંત આપશે. તેમજ તેમણે પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી છે. ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર […]

રાજકોટમાં બાળકી સાથે દુષ્કૃત્ય આચરનાર આરોપીને કોર્ટે ફરમાવી ફાંસીની સજા

રાજકોટ, 17 જાન્યુઆરી 2026: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં આવેલ કાનપર ગામે સાત વર્ષની નિર્દોષ બાળકી પર અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી રેમસીંગ તેરસીંગને આજે કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત અમલના ભાગરૂપે, પોલીસે માત્ર 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને ઘટનાના માત્ર 45મા દિવસે કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપીને […]

આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડની થીમ રહેશે વંદે માતરમના 150 વર્ષ

ભારતીય સેના દ્વારા પહેલીવાર બેટલ એરે ફોર્મેટનું પ્રદર્શન કરવામાં આવશે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખ મુખ્ય મહેમાન બનશે ગુજરાતના ટેબ્લોનું થીમ હશે સ્વતંત્રતા કા મંત્ર – વંદે માતરમ નવી દિલ્હી, 17 જાન્યુઆરી, 2026ઃ  ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતની લશ્કરી શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાના ૧૫૦ વર્ષ, રાષ્ટ્રીય ગીત […]

જીવનનો સંધ્યાકાળનો સુરજ, સ્વાભિમાનની એક નવી સવારની કહાની

સાંજના સાત વાગ્યા હતા. દિવસભરના કામથી થાકેલો રમેશ ધીમે પગલે ઘરમાં પ્રવેશ્યો. બહારથી તો બધું સામાન્ય લાગતું હતું, પરંતુ તેની આંખોમાં એક અજાણી વ્યાકુળતા છુપાયેલી હતી. ચહેરા પર થાક કરતાં વધારે ચિંંતા બોલતી હતી. ૪૦ વર્ષનો રમેશ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. નોકરી સ્થિર હતી, આવક નિયમિત હતી, ઘરનું ગુજરાન પણ સારી […]

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો 16મી ફેબ્રુઆરીથી થશે પ્રારંભ, 17મી ફેબ્રુઆરીએ રજુ થશે બજેટ

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026: ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આગામી 16મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. અને 17મી ફેબ્રુઆરીએ 2026-27ના વર્ષનું બજેટ ગૃહમાં નાણા મંત્રી દ્વારા રજુ કરવામાં આવશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 8માં સત્રનું આહ્વાન કર્યુ હતું. દરમિયાન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અગે ચર્ચા કરવામાં આવી હતી.  વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં […]

કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ સમિટમાં રૂ. 5.78 લાખ કરોડના રોકાણ માટે MoU થયા

ગાંધીનગર,16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની સફળતા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધરૂપે યોજાયેલી કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ સમિટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. આ બે દિવસીય રીજનલ સમિટ દરમિયાન […]

મોઢેરાના સૂર્યમંદિર ખાતે કાલે શનિવારથી દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે

મહેસાણા, 16 જાન્યુઆરી 2026: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આવતી કાલે તા.17 અને 18 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય […]

વડોદરા-હાલોલ હાઈવે પર ઈકોકારે બાઈકને ટક્કર મારતા બેનાં મોત

 વડોદરા,16 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વડોદરા-હાલોલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, વડોદરા-હાલોલ હાઈવે પર જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રેલીસ હોટલ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ચાર લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ […]

સમગ્ર દેશમાં એક વર્ષ સુધી ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

ગાંધીનગર,16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસની અભૂતપૂર્વ સફળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલું ‘સોમનાથ સ્વાભિમાન […]

લોકોના પ્રશ્નોના ઝડપી અને પ્રામાણિક નિવારણ માટે કલેકટરોને મુખ્યમંત્રીએ કરી તાકીદ

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરોને લોકોની રજૂઆતો સાંભળી તેના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજીને તેને સહાયરૂપ થવાની સંવેદનાથી જ લોકોનો ભરોસો-વિશ્વાસ સંપાદિત થઈ શકશે. તેમણે જિલ્લા કક્ષાએ નિવારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code