1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

બટાકાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોએ સરકાર પાસે સબસિડીની કરી માગ

પાલનપુર, 29 જાન્યુઆરી 2026:  જગતનો તાત કહેવાતા ખેડૂતો રાત-દિવસ મહેનત કરીને કૃષિપાક તૈયાર કરે છે. પણ ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી. પણ ખેડૂતો પાસેથી ઉપજ ખરીદી લીધા બાદ વેપારીઓ મોંઘા ભાવે ગ્રાહકોને વેચાણ કરતા હોય છે. બનાસકાંઠામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. હાલ બટાકાના ભાવમાં અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. […]

સુરતના પાલનપુર વિસ્તારમાં 30 વર્ષની ગેરન્ટીવાળો રોડ 7 મહિનામાં બેસી ગયો

સુરત, 29 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં રોડ-રસ્તા સહિત વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લીધે તકલાદી કામો થઈ રહ્યાની ફરિયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. ત્યારે સુરત શહેરના પાલનપુર કેનાલ રોડ પર સ્માર્ટ સિટીના નામે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બનેલો RCC રોડ માત્ર સાત મહિનામાં જ તૂટી ગયો છે, 30 વર્ષની ગેરંટીના દાવા સાથે બનાવેલો રોડ માત્ર 7 મહિનામાં […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પ્રહલાદનગરનું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026:  શહેરના પોશ ગણાતા કોર્પોરેટ રોડ પરના પ્રહલાદનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂપિયા 76 કરોડથી વધુના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. હવે મ્યુનિએ કરોડોના ખર્ચે બનાવેલું મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને રૂપિયા 350 કરોડમાં વેચવા કાઢ્યુ છે. વિપક્ષ કોંગ્રેસે આ મામલે ભારે વિરોધ કરીને મ્યુનિની નીતિ-રીતિની આંકરી ટીકા કરી હતી. […]

ઊનાના ગાંગડા ગામે પૂત્રને બચાવવા માટે પિતાએ દાંતરડું મારી દીપડાને મોતને ઘાટ ઉતાર્યો

ઊના, 29 જાન્યુઆરી 2026:  ગીર સોમનાથ જિલ્લામાં દીપડાની સંખ્યા વધતા જાય છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેત મજુરો પર દીપડાના હુમલાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે. ઊના તાલુકાના ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે દીપડાએ યુવાન પર હુમલો કર્યો હતો. તેથી પોતાના પૂત્રને બચાવવા માટે પિતાએ દાંતરડું લઈને હિંસક દીપડા સામે […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીર સફારીમાં વિહાર કરતા સિંહોનો નજારો માણ્યો

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રીશ્રી આનંદિત થયા હતા. મુખ્યમંત્રીએ આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રી એ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં વનકર્મીઓ માટેના 183 વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2026:  વનસંપદા અને વન્ય જીવ સૃષ્ટિમાં સમૃદ્ધ ગુજરાતમાં વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની વિવિધ કામગીરી માટે ફિલ્ડમાં ફરજ બજાવતા વનકર્મીઓને ચોક્કસ પ્રકારની ખાસ સુવિધાથી સજ્જ વાહનો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં આવા 183 વાહનોને આજે ગુરુવારે સવારે ફ્લેગ ઓફ કરાવ્યું હતું.  વન વિભાગે વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ […]

જામનગર: પોલીસ ભરતીમાં હથિયારી કોન્સ્ટેબલની કરતૂત, મિત્રને બે ચિપ આપી દોડ પાસ કરવાનું કૌભાંડ ઝડપાયું

જામનગર, 29 જાન્યુઆરી 2026: રાજ્યભરમાં હાલ પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે, ત્યારે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલ SRP ગ્રુપ-8 માં ફરજ બજાવતા એક જવાને પોતાના મિત્ર સાથે મળીને દોડની પરીક્ષા પાસ કરવા માટે ‘ચિપ’ ની અદલાબદલી કરી હતી. જોકે, ટેકનોલોજીની મદદથી આ કૌભાંડ પકડાઈ જતાં હવે […]

શહીદ દિન નિમિત્તે કાલે શુક્રવારે સવારે 11 વાગ્યે બે મીનીટનું મૌન પાળવા લોકોને અપીલ

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2026:  ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેમની સ્મૃતિમાં દર વર્ષે તા. ૩૦ જાન્યુઆરીના રોજ “શહીદ દિને” ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે આવતીકાલે તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૬ને શુક્રવારના રોજ “શહીદ દિને” નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ […]

અમદાવાદ: બાળક તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, નવજાત શિશુ બચાવાયું

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026: શહેરમાં બાળક તસ્કરીના કાળા કારોબાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એ મોટી સફળતા મેળવી છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોલીસે નવજાત શિશુના વેચાણના મોટા નેટવર્કને ઝડપી પાડી એક માસૂમ બાળકને રેસ્ક્યૂ કર્યું છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ATS ને […]

ગાંધીનગરનું નવું ‘ઓક્સિજન હબ’: ડમ્પિંગ સાઈટમાંથી નિર્મિત ભવ્ય અમૃત સરોવર

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: ગાંધીનગરના કોલવડામાં આવેલું ‘અમૃત સરોવર’ આજે વિકાસ અને પર્યાવરણના સુમેળનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યું છે. જે સ્થળ અગાઉ માત્ર એક ડમ્પિંગ સાઈટ તરીકે ઓળખાતું હતું, તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 8.47 કરોડના ખર્ચે 1.10 લાખ ચોરસ મીટરના વિશાળ અને આકર્ષક પિકનિક સ્પોટમાં રૂપાંતરિત થઈ ચૂક્યું છે. ‘અમૃત 2.0’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code