1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના બાપુનગરમાં 14 દૂકાનોમાં વહેલી સવારે લાગી ભીષણ આગ

બાપુનગરના ભીડભંજન હનુમાન રોડ પર 14 દૂકાનો આગમાં લપેટાઈ, 14 દૂકાનોમાં કપડાં-ચંપલ સહિત લાખોનો માલ બળીને ખાક, ફાયરબ્રિગેડે એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી અમદાવાદઃ  શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર ચાર રસ્તા નજીક આવેલી 14 દુકાનોમાં આજે વહેલી સવારે આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ લાગ્યાની […]

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું પુનઃગઠન, મંત્રી મંડળમાં 19 નવા ચહેરાઓને સ્થાન અપાયું

10 મંત્રીઓને પડતા મુકાયા, 7 મંત્રીઓને રિપિટ કરાયા, રાજ્યપાલ દેવવ્રતજીએ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા, નવા મંત્રી મંડળમાં 7 પાટીદાર, 9 OBC, 3 SC, 4 ST અને 3 મહિલાનો સમાવેશ ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ભાજપની સરકારના મંત્રી મંડળનું આજે પુનઃગઠન કરવામાં આવ્યું હતું. નવા મંત્રીમંડળમાં અગાઉના 10 મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે 19 નવા ચહેરાઓનો […]

ખેડા હાઈવે પર પામાલિન તેલ ભરેલા ટેન્કરે પલટી ખાધી, તેલ લેવા લોકો કેરબા લઈને દોડ્યાં

ગાંધીધામથી પોમાલિન તેલ ભરીને ટેન્કર નડિયાદ જઈ રહ્યુ હતું, કોઈ પશુને બચાવવા જતા ટેન્કરે પલટી ખાધી, ગ્રામજનો વાસણો-કેરબા લઈને તેલ ભરવા દોડ્યા અમદાવાદઃ ગાંધીધામથી પામોલિન તેલ ભરીને નડિયાદ જઈ રહેલું ટેન્કર ખેડા નજીક હાઈવે પર પલટી ખાધી હતી. આથી ટેન્કરમાંથી 32 ટન પામોલિન તેલ હાઇવે પર રેલમછેલ થતાં આજુબાજુના લોકો ડોલ-કેરબા સહિત જે હાથમાં આવ્યું […]

સુરતમાં હીરાના કારખાનેથી ઘરે પરત ફરી રહેલા રત્નકાલાકારની છરીના ઘા મારીને હત્યા

કાપોદ્રા વિસ્તારમાં બે શખસો રત્નકાલાકારની હત્યા કરીને નાસી ગયા, રત્નકલાકારને દિવાળી વેકેશન પડવાનું હોવાથી રાત્રે તેમને ઘરે પહોંચતાં મોડું થયું હતું, બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો  સુરતઃ શહેરમાં ક્રાઈમ રેટ વધતો જાય છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસ પહેલાં માત્ર 5 કલાકમાં હત્યાના બે બનાવ બન્યા હતા. ત્યારે ગત મોડીરાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં […]

કચ્છમાં રણોત્સવનો 23મી ઓક્ટોબરથી પ્રારંભ થશે, ટેન્ટના તોતિંગ ભાડાથી પ્રવાસીઓ નારાજ

રણ મહોત્સવ ટેન્ટમાં એક દિવસ રોકાવાનું ભાડું 9900 રૂપિયા, એસી કોટેજના પ્રતિ દિન રૂા.7900 અને નોન એસીના રૂા.5400 ભાડુ રહેશે, મધ્યમ વર્ગના પ્રવાસીઓને ટેન્ટસિટીમાં રહેવાનું પરવડતુ નથી ભૂજઃ કચ્છમાં ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ આગામી તા, 23મી ઓક્ટોબરથી થશે. સફેદ રણનો નજારો માણવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. કચ્છમાં ઘોરડા, ધોળાવીરાથી […]

ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે 5 દિવસ વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે, ઉત્તર-પૂર્વ તરફથી પવન ફુકાતા હવે ઠંડીમાં પણ વધારો થશે અમદાવાદઃ ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ વિદાય લીધા બાદ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં […]

બેન્કના નિવૃત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ 64.41 લાખ ખંખેરી લીધા

ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ઝાળમાં ફસાય છે, તમારા સીમકાર્ડનો મની લોન્ડરિંગમાં ઉપયોગ થયો છે, કહીને ધમકી આપી, CBI અને RBIના લેટર મોકલીને 18 દિવસ વિડીયો કોલ ચાલુ રખાવ્યો વડોદરાઃ સાયબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અને ભણેલા-ગણેલા લોકો જ સાબર માફિયાના શિકારનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં બેન્કના એક નિવૃત […]

સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારો, ધનતેરસની ખરીદી પર અસર પડશે

ઘણા લોકો મૂહુર્ત સાચવવા નામનું જ સોનું ખરીદશે, કેટલાક જવેલર્સએ ગ્રાહકોને આકર્ષવા 9 કેરેટના દાગીના બનાવ્યા, અક્ષય તૃતીયાના દિવસે પણ સોના ચાંદીની ખરીદી જરૂરિયાત મુજબ થઈ હતી, અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં અસામાન્ય વધારો થતાં હવે સોના-ચાંદીના દાગીના ખરીદવા મોંઘા પડી રહ્યા છે. દિવાળીના તહેવારો ટાણે જ સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. ગઈકાલે સોનામાં રૂ […]

અમદાવાદમાં ધનતેરસથી ત્રણ દિવસ લોકો એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે

એએમટીએસ દ્વારા ત્રણ દિવસ ફ્રી મુસાફરીની કરી જાહેરાત, સ્વદેશી ઝુંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય, મફત મુસાફરીને લીધે ત્રણ દિવસ એએમટીએસની બસો ભરચક દોડશે અમદાવાદઃ શહેરમાં એએમટીએસ બસોમાં શહેરીજનોને ત્રણ દિવસ મફત મુસાફરીની દિવાળીની ભેટ આપવામાં આવી છે. એએમટીએસ બસોમાં ધનતેરસ, કાળી ચૌદશ, અને દિવાળીના દિવસે લોકો મફત મુસાફરી કરી શકશે. શહેરીજનો એએમટીએસની […]

પાલનપુર નગરપાલિકાને હેલ્પલાઈન પર જર્જરિત રસ્તાઓની 60 ટકા ફરિયાદો મળી

હેલ્પલાઈન પર 30 ટકા નળ-ગટર અને 10 ટકા સ્ટ્રીટ લાઈટની ફરિયાદો મળી, હેલ્પલાઈન પર પ્રતિદિન 15 ફરિયાદો મળી રહી છે, નળ-ગટરની ફરિયાદોનો ત્વરિત નિકાલ પણ રોડ-રસ્તાની ફરિયાદોના નિકાલમાં વિલંબ પાલનપુરઃ શહેરમાં નગરપાલિકા દ્વારા નાગરિકોની સમસ્યા માટે હેલ્પલાઈન સેવા શરૂ કરી છે. જેમાં સૌથી વધુ બિસ્માર રોડ અને રોડ પર પડેલા ખાંડાની ફરિયાદો મળી છે. નગરપાલિકાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code